SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ { îપર ] ધમ જીજ્ઞાસુ અકબર. સુકાઇ ગયેલ પ્રેમવૃક્ષને પુ:ન નવપદ્ધવિત કરવાને માટે તમે રાત્રી દિવસ શ્રમ કરીને તમારા શંકાતાપનું પ્રાયશ્ચિત પુરૂં ન કરો ત્યાં સુધી તમા તેવાજ પવિત્ર પ્રેમ-કયાંથી મેળવી શકે ? અત્યારે તમારે નિરાશ થઇ અશ્રુ સારવાના સમય નથી, પરંતુ પતિના હૃદયમાં સુકાઇ ગયેલ પ્રેમ બગીચાને તમારા અખુટ પ્રેમ પ્રવાહથી પાણી પાઇ પાછે કેળવવાના છે. આ કાર્ય તમે સતત ખંત–શ્રદ્ધા અને લાગણીથી કરતા રહેા તેા પછી જોશે કે તમે કેટલાં સુખી અને સર્વોત્કૃષ્ટ સ્થાને છે. ” ચંપાએ સમજાવટથી માર્ગ દર્શાવ્યેા. પદ્મા આ વાત સાંભળી પોતાની અશ્રદ્ધા અને અધિ રાઈ માટે પસ્તાવા લાગી. પેાતે જોઇ શકી કે ખાદશાહને અપૂર્વ પ્રેમ ગુમાવવામાં પોતાનીજ ભુલ હતી અને તે માટે તેણે સહન કરવુંજ જોઇએ. અત્યારથી તેણે ખાદશાહના સુખમાંજ પેાતાનુ સુખ, તેમના આરામમાંજ પોતાના આરામ માનવાને ધાર્યું; તેમના પ્રેમને પુન: પ્રાપ્ત કરવાના મહાન તપ શરૂ કરવા નિશ્ચય કર્યો અને,ચ'પાની આ શીખામણમાટે ઉપકાર માની રાજમહાલય તરફ વિદાય થઇ ગઈ. કમળા આ વાતચિત પ્રસંગે ત્યાં બેઠી હતી. પરંતુ તે વચ્ચે કઇ એલી શકીજ નહિ, પાતે અકબરના માંદગીમાં પરીચય કર્યો હતા ત્યારે તે તેને પ્રેમમૂર્તિ તરીકે જોઇ શકી હતી, પૃથ્વીસિંહના રૂપે એકાંત કુટીરમાં સત્યપ્રેમી અને કા દક્ષ તરીકે પીછાણ્યા હતા, પરંતુ તેમાંએ પ્રજાપ્રેમની ગંધ હતી. ત્યારે શું તેજ અકબર પોતાની ધર્મપત્નિ પ્રત્યે . આટલે નિષ્ઠુર હશે ? એ વિચારે તેને દિગ્મુઢ કરી મુકી હતી. તે પદ્મા અને ચપા વચ્ચેના વાર્તાલાપ જેમ જેમ સાંભળતી ગઈ તેમ તેમ તેને નવા નવા વિચાર થવા લાગ્યા. વાતની શરૂઆ તમાં અકબર નિષ્ઠુર હાવાના જે તેને ભાસ થયા હતા તે અંતમાં આછા થયા. પરંતુ તેને એમતા જણાયુ કે અનેક સ્થાનેામાં પ્રેમ વહેંચી રહેલા અકબર એક સ્થાને પ્રેમનુ પુરૂ પ્રદર્શન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com
SR No.034493
Book TitleDharm Jigyasu Akbar Ane Acharya Hirsuriji
Original Sutra AuthorN/A
AuthorDalpatram Bhaishankar Raval
PublisherDevchand Damji Kundlakar
Publication Year1921
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy