SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ પહે ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૧૧ મુ આ સંજોગામાં આદિલશાહી સલ્તનત છંછેડવા તૈયાર ન હતી. આદિલશાહી સરદાર અને મુત્સદ્દીઓએ વ્યકાળ રાજાના પુત્ર ઉપર વિચાર કર્યાં અને એ પત્રનેા જવાબ તરતજ ખાસ માણુસ સાથે મારતે ધાડે માકલ્યો કે ‘સિંહાજી રાજાએ આ સલ્તનતની સેવા બહુ વાદારીથી અને નિમકહલાલીથી બજાવી હતી તેના બદલામાં આ રાજ્યે એમને આ સપત્તિ વંશપરંપરાને માટે આપી છે. એ અને એમના વંશજો એના ઉપભાગ કરે એવી સનદ પણુ એમને કરી આપવામાં આવી હતી. શિવાજી રાજા એ સંપત્તિમાં સ. સિ’હાજી રાજાના દિકરા તરીકે ભાગ માગે એ કેવળ વાજખી છે. આ રાજ્યને એ નુકસાન કરી રહ્યા છે તે માટે અમારે શું કરવું ઘટે તે અમેા જોઈ લઈશું. તમે તમારા અંગત સ`પત્તિની વહેંચણીના ઝગડે! દરબારમાં ધાલીને શિવાજી મહારાજની આ સલ્તનત પ્રત્યેની દુશ્મનાવટ નાહક ન વધારા. સિંહાજી રાજાના એ વડીલ પુત્રના પિતાની સંપત્તિમાં પુત્ર તરીકે ભાગ હાય જ અને એ તે ભાગ માગે એ પણ વાજબી છે. ' ઉપર પ્રમાણેતેા જવાબ વાંચી બકાજી તે ઠંડીજ થઈ ગયા અને એમને આડે રસ્તે ઢારવનાર એમના સલાહકારાનાં ગાત્રા ઢીલાં થઈ ગયાં. આવી સ્થિતિ ખની. સલ્તનત તરફથી કુમકની બીલકુલ આશા ન રહી છતાંએ વ્યકાળને શિવાજી મહારાજ સામે ઉશ્કેરાયેલા રાખવાની એમની દાનત જરાએ નરમ પડી ન હતી. વ્ય કાજીએ આદિલશાહી દરબારમાં પત્ર લખ્યા હતા તેને જવાબ આવવાની રાહ જોઈ રહ્યો હતા પણ તે દરમિયાન શું બન્યું તે જાણુવાની જરુર છે. વ્ય...કાજી રાજાને શિવાજી મહારાજે તજાવર વિદાય કર્યો અને વહેંચણીના સંબંધમાં એને જવાબ આવશે એ આશાએ થોડા દિવસ થેાભ્યા પશુ એના તરફથી કાઈપણ પ્રકારના જવાબ કે લખાણ આવ્યું નહિ એટલે મહારાજે પેાતાના ખાસ કારકુનને વ્ય કાજી પાસે મેકલો અને એની જોડે કહેવડાવ્યુ` કે · પિતાની સ*પત્તિમાંને મારા ભાગ આપવાના સંબંધમાં તમારો જવાબ નથી. આ સંબંધમાં તમે આવું મૌન સેવા એ મને નહિ પરવડે. તમારા તરફથી આ સંબંધમાં કંઈપણુ લખાણ ન આવ્યું એટલે મારે મારે ખાસ કારકુન તમારી પાસે માલવા પડ્યો છે. આ માણસ જોડે આ સબધી તમારેા જવાબ મેાકલવામાં ઢીલ કરશો નહિ. ગૃહકલહ કરવામાં માલ નથી. તમે બીનના ચડાવ્યા ન ચડે. આપણા ઘરમાં કલહ ઘાલીને સ્વાર્થી સ્વા` સાધે છે તે તમારે સમજવું જોઈએ. હું આજે તમને આ છેલ્લી સૂચના આપું છું કે હું મારા હક, મારા ભાગ લેવાને છું. કાઈપણ સંજોગામાં હું તે જતા નહિ કરું. તમારે તે આપવોજ જોઈએ અને આપવેાજ પડશે. તમે બધી બાબતે તે વિચાર કરીને વાજબી જવાબ આપશો તે તમે નાના ભાઈ છે. એટલે વિચાર કરીને હું ઘેટું ઘણું જતું પણું કરીશ. ' ઉપર પ્રમાણેના સંદેશો શિવાજી મહારાજ તરફથી આવ્યા એટલે વ્યાજી ધણા ગભરાયા. એના સલાહકારામાંના કેટલાકાએ અલ ચલાવી અને બિજાપુરના જવાબ આવીને બધું નક્કી થઈ જાય ત્યાં સુધી શિવાજી મહારાજને ઠંડા રાખવાનું નક્કી કર્યું. આ કારકુનને જવાબ તા આપવાના હતા જ પણ એવો જવાબ આપવા એમણે વિચાર કર્યાં કે તેથી શિવાજી મહારાજ જરાએ ઉશ્કેરાય નહિ અને વાત ખાળખે પડે. આ બધા વિચાર કરીને બ્ય કાજીએ જવાબ આપ્યા કે ‘ રઘુનાથપતને મેકલા તો આ સંબંધમાં કેટલીક ખામતના ઉકેલ થાય. પિતાશ્રીની સંપત્તિના સબંધમાં નક્કી કરવા માટે જૂના કાગળાં વગેરે તપાસવાની ખાસ જરુર પડશે અને તે એમના સિવાય સહેલાઈથી થઈ શકે એમ નથી. ' વગેરે વગેરે બાબત કહી વ્યકાજીએ મહારાજ તરફથી આવેલા કારકુનને પાછા રવાના કર્યાં. આવી રીતે આવેલા માણસને કુનેહથી પાછા કાઢવામાં આવ્યેા. વ્યકાજી તદ્દન ઢીલા પડી ગયા હતા પણુ એના સ્વાથી સલાહકાર અને તેજ રાખવા માટે પોતાથી બનતું કરી રહ્યા હતા. બિજાપુરથી આવેલા નાસીપાસીભયો પત્ર અને શિવાજી મહારાજને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy