SearchBrowseAboutContactDonate
Page Preview
Page 619
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું છે. શિવાજી ચરિત્ર પાં જિંજિતા કિલ્લો બહુ મહત્ત્વને અને મજબૂત હતા. મહારાજે તેને કબજામાં લઈને તેની ખરાખર વ્યવસ્થા કરી દીધી. એ કિલ્લા ઉપર પેાતાના વિશ્વાસપાત્ર માણુસાને મહારાજે અમલદાર તરીકે મૂકી દીધા. રાયાજી નલગેને જિજિના હવાલદારની જગ્યા આપવામાં આવી. ભીમાજી કેશવને સબનીસ બનાવવામાં આવ્યેા. કિલ્લામાંની ઈમારતાની દેખરેખ માટે રૂદ્રાજીને જવાબદાર બનાવવામાં આવ્યેા. વીઠ્ઠલ પીલદેવની નિમણૂક મહાલના સૂબેદારની જગ્યાએ કરી અને પ્રજાને સગવડ પડતી અને ફાયદાકારક એવી જમીન મહેસુલની પદ્ધતિ શરૂ કરી. આ કિલ્લાની આજુબાજુએ ઊંડી ખાઈ ખાદવાનું કામ શરૂ કરવામાં આવ્યું અને ખીજા' જરુરી ખાંધકામો પણ શરૂ કરાવી દીધાં. આવી રીતે જિજિના કિલ્લા મરાઠાઓના હાથમાં આવ્યા. આ કિલ્લામાં મહારાજે બહુજ સુંદર સુધારાવધારા કરાવ્યા. જિંજિમાં જે સુધારા મહારાજે કરાવ્યા તેનું બાંધકામ બહુજ નમૂનેદાર અને મજબૂત હતું. નવા સુધારાઓ બહુજ આકર્ષક હતા. જિજિ બાંધકામના સબંધમાં મહારાજે જે સુધારા કરાવ્યા તે સંબધમાં તે વખતના મદુરામાં રહેતા જેસ્યુઈટ પથતા પાદરી લખે છે કે ` જિજિ કિલ્લામાં શિવાજી મહારાજે કરેલા સુધારા એવા તા સુંદર હતા કે તે જોઈને યૂરોપના કેટલાક મેટા કારીગરાએ પણ મેાંમાં આંગળી ધાલી. ' ૭, વેલેારા ઘેરો. જિજિ જીત્યા પછી મહારાજને વિચાર વેલેાર જીતવાના હતા એટલે મે માસની તા. ૨૩મી એ વેલેાર જઈ પહોંચ્યા. આ વખતે આ કિલ્લો આદિલશાહી સરદાર એબિસીનીયન અÖદુલ્લાખાનના કબજામાં હતા. એમ કહેવાતું કે આ કિલ્લા જેટલા મજબૂત કિલ્લે દુનિયામાં બીજે ન હતા. એ કિલ્લાની આસપાસ 'ડી ખાઈ એ ખાદેલી હતી. આ ખાઈ માં બહુ પાણી રહેતું. એવી ખાઈ આમાં જીવતા મગર રહેતા. એ કિલ્લાને બહુ મજબૂત પત્થરના કેટ હતા. તે એટલા બધા પહેાળા હતા કે એના ઉપરથી ર ગાઢી સહેલાઈથી ચાલી જાય. આવા અભેદ્ય અછત કિલ્લાને જીતવા માટે મરાઠાઓ આવ્યા અને એમણે કિલ્લાને ઘેરા બાઢ્યા. આ કિલ્લાને સર કરવા માટે જોઈતી સામગ્રી મરાઠાઓ પાસે ન હતી અને એક જ કિલ્લા પાછળ મરાઠાઓની આખી શક્તિ ખચી નાંખવાની મહારાજની ઈચ્છા ન હતી એટલે મહારાજે ૨ હજાર સવાર અને ૫ હજાર પાયદળ નરહરિ નામના લશ્કરી અમલદારને આપી અને આ વેરાની જવાબદારી સોંપી કિલ્લો જીતવા માટે જોઈતી સૂચનાઓ આપી. વેલેારના ઘેરાનું કામ આવી રીતે પતાવી શિવાજી મહારાજ પેાતાના લશ્કર સાથે ઈ. સ. ૧૬૭૭ ના જુનની ૨૦ મી તારીખે શેરખાન લેાદીની સામે લડવા માટે નીકળ્યા. તીરુવાડીની લડાઈ. શેરખાન લાદી એ બિજાપુરના સુલતાનના સરદાર હતા. કર્ણાટકના દક્ષિણ ભાગના આદિલશાહી મુલકના એ અમલદાર હતા. એ વલીગ'ડાપુરમાં રહેતા હતા. શેરખાન લેાદી સ્વભાવે બહુ શાન્ત હતા. એને કલર્ડ અને કચ્છ ગમતા નહિ. એ સમાધાનવૃત્તિથી કામ લેનારા સીધા સરળ માણુસ હતા. એના મંત્રીએ અને અમલદારા ખુશામતીઆ, માખણીઆ અને હાજી હા કરનારા હતા. ખુશામતથી ભલભલા વશ થઈ જાય છે. ખુશામત કાઈની કરવી પાતાને જરાએ ન ગમે અને આખી જિંદગીમાં ક્રાણુ પ્રસંગે પણ કોઈની ખુશામત ન કરી હેાય એવા ખુશામતને દુર્ગુણુ માનનારા પણ એમની ખુશામત ખીજો કરે ત્યારે એમને પેાતાને પણ ખબર ન પડે એવી રીતે ખુશામતના એ ભાગ થઈ છે. ખુશામતીએ ભલે ખુશામત કરે પણ હું તો મારા મન ઉપર એની અસર ન જ થવા દઉં” એવા ફ્રાંકા રાખનારા ણા નીકળે છે પણ તેમાંથી સેંકડે ૯૦ માણસાના હૈયા ઉપર ખુશામત અસર કરે છે. ખુશામતીઆને ખુશામત કરતાં અટકાવવા એજ ખુશામતથી બચવાના ખાસ ઈલાજ છે બાકી ભલભલા છાતી ઉપર હાથ મૂકીને મૂછ મરડીને વાતેા કરનારા ખુશામતથી ઢીલા બન્યા છે, નરમ પદ્મા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy