SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ પકw છે. શિવાજી ચરિત્ર પ્રકરણ ૮ આ કુમકની ખબર પડતાં જ એમણે બહિલોલ ખાનના આવવાના રસ્તાઓ રોકી દીધા. મેટાં મોટાં વૃક્ષો તોડીને મરાઠાઓએ બિજાપુરથી આવવાને માર્ગ બંધ કરી દીધો. યુપ્રિયક્તિથી આવતી મદદ અટકાવવાના મરાઠાઓએ ખૂબ પ્રયત્ન કર્યા હતા. ફડ કિલાની મદદ અટકાવવાનો મરાઠાઓએ ભારે પ્રયત્ન આદર્યો હતો. અરણાઇ દતાને ફેડ તાકીદે કબજે કરવાનો સંદેશો પણ મોકલ્યો. બિજાપુરવાળાઓ કોંડા કિલ્લાને મહત્ત્વ જાણતા હતા. બહિલોલ ખાન તેંડાને ઘેરો ઉઠાવવા આતુર હતા પણ એની ઝડપ મરાઠાઓની યુક્તિઓ આગળ ટકી શકી નહિ. અનેક અડચણે અને આપદાઓ વેઠીને પણ બહિલેલખાન મીરજ સુધી લશ્કર સાથે આવી પહોંચ્યો હતો. બહિલેલખાન ફેડે જવા માટે મીરજથી નીકળે તે પહેલાં તે ઈ. સ. ૧૯૭૫ ના એપ્રીલની ૧૭ મી તારીખે ફેડા કિલ્લાને આબાદ સુરંગ લગાડી મરાઠાઓએ સર કર્યો. આ સંબંધમાં અંગ્રેજ કોઠીવાળાઓએ તો કહ્યું છે કે શિવાજી મહારાજે બહિલોલ ખાનને ૫૦ હજાર હનની લાંચ આપીને પાછા કાઢો હતો. ફેડાને કિલ્લે મરાઠાઓએ કબજે કર્યો એ વાત એમાં ખાસ મહત્ત્વની છે. ફૉડા સર કર્યા પછી મરાઠાઓએ કેકણને બિજાપુરના તાબાના મુલકને કેટલોક ભાગ તાબે કર્યો અને કારવાર લૂંટયું. ત્યાર પછી મહારાજના લશ્કરે એટગિરિ અને ભાગાનગરની નજીકના કેટલાક બિજાપુરી ગામે લૂંટ્યા અને એ લૂંટ ફંડા કિલ્લામાં મોકલવામાં આવી. મહારાજના લશ્કરની બીજી એક ટુકડી મુસલમાનો મુલક જીતવા નીકળી હતી તેમણે હોંસપેટ કંટયું અને આશરે ૨ લાખ હોનની કિંમતનો માલ કબજે કર્યો. ૨૦૦૦ ઘેડેસવારોની ટુકડી લઈને દત્તાછ નીકળ્યો હતો તેણે કો૯હાપુર અને રાયબાગ પાસેથી ખંડણી લીધી. પ્રકરણ ૮ મું ૧. મુગલ મહાએ ફરી પાછા રણમાં ૪. બહાદુરખાન અને બિજાપુરના મનસૂબા ૨. શિવનેરી કિટલે. ૫. બહાદુરખાનની દયામણી દશા. ૨. આદિલશાહીએ શિવાજી મહારાજ સાથે ૩. મહારાજે મુગલોને હાથતાલી આપી સલાહ કરી. ૭. નેતાજી પલકરની શુદ્ધિ. ૧. મુગલ મરાઠાઓને પાછી જામી. એ હારાજે રાજ્યાભિષેક સમારંભ નિર્વિને પાર પાડ્યો પણ તેથી કંઈ એમના જીવનની ખેંચતાણ છે અને ધમાધમી ઓછી ન થઈ. એમના દુશ્મને એમની ચડતીથી ભડકે બળતા. ઈર્ષાખોરો અને એમની સત્તા જામવાને લીધે જેમની હયાતી આફતમાં આવી પડી હોય એવા શત્રુઓ એમને જપીને બેસવા દે એવા ન હતા અને રાજ્યગાદી સ્થપાયાથી એમની જવાબદારી બેવડાઈ હતી એનું એમને પૂરેપુરું ભાન હતું એટલે એ જપીને બેસે એવા ન હતા. આ સમારંભ પૂરે થતાં જ એમણે પિતાને કાર્યક્રમ ઘડી કાઢવા તરફ ધ્યાન દોડાવ્યું. રાજ્યાભિષેક સમારંભમાં વિદને નાંખવાની ઔરંગઝેબની ભારે ઈચ્છા હતી પણ દક્ષિણના મુગલ પ્રતિનિધિમાં આ સમારંભને અટકાવવાનું પાણી ન હતું. શિવાજીને પિતાની સત્તા પ્રબળ કરવા માટે જોઈતી ફુરસદ ન આપવા મહારાષ્ટ્રના મુગલ પ્રતિનિધિઓને દિલ્હીથી ઘોંચપરોણા થયા જ કરતા હતા. કાંકણપટ્ટીના શિવાજી મહારાજના મુલક ઉપર ચડાઈ કરવા મગ વારંવાર પ્રયત્નો કરતા પણ મહારાજે ડુંગર અને ખી ના રસ્તાને પાકે બંદોબસ્ત કરી દીધું હતું, એટલે મુગલોને વારંવાર નિરાશ થવું પડતું. રાજ્યાભિષેક સમારંભ બહુ સુંદર રીતે પાર પડ્યાના સમાચાર સાંભળીને ઔરંગઝેબના હૈયામાં તેલ રેડાયું. શિવાજીએ ધીમે ધીમે આગળ વધતાં વધતાં એક Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy