SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૬ ] છે. શિવાજી ચરિત્ર પ્રતાપરાવે ત્યાંથી મેર ફેરવ્યું. આ વખતે જસવંતસિંહ ખાનદેશના સુબેદાર પાસે મુઅઝીમના કહેવાથી રૂપિયા ૫ લાખ શાહજાદા માટે ખાનદેશની તીજોરીમાંથી લેવા આવ્યો હતો. આ વખતે ખાનદેશને સૂબેદાર દાઉદખાનને દિકર અહમદખાન પત્ની હતા. તેણે જસવંતસિંહને જવાબ આપે. કે “ શહેનશાહને લેખી હમ હેય તે પાંચને બદલે વીસ લાખ રૂપિયા આપવા હું તૈયાર છું. શહેનશાહના હુકમ સિવાય એક પાઈ પણ હું આપી શકું નહિ.” આવી રીતે અહમદખાન પનીએ રોકડું પરખાવી દીધું એટલે જસવંતસિંહને અપમાન લાગ્યું અને એણે બહાણપુર લૂંટવાની અહમદખાનને ધમકી આપી. સુબેદાર અને જસવંતસિહ વચ્ચે નાણુ બાબતમાં અણબનાવ થયો હતો તે અરસામાં જ પ્રતાપરા બહાદુરપુરા લૂંટયું હતું. બહાદુરપુરાની લૂંટમાં પણ મરાઠાઓ મુગલ મુલકની તૈયત પાસેથી ખૂબ ધન લઈ ગયા. પ્રકરણ ૪ થું ૧. મુગલ મુલક સાથે થાઇને કર. 1 . ધાડપને ઘેરે, મુગલોએ મરાઠાઓને મારી ૨. મુગલોનું કારંજ શહેર મરાઠાઓએ લૂંટયું. હટાળ્યા. . સ. મેરેપંત પિંગળને વિજય. ૭. અહિવતને કિટલે મરાઠાઓએ . ૪. સાલેરને કિલો મરાઠાઓએ ૫. મરાઠાઓની સામે સુએઝીમ, મેહબતખાન ૮. સૂપ મુગલએ સર કર્યું, પૂનામાં મરાઠાઓની અને દાઉદખાન. કતલ, ૧. મુગલ મુલકને માથે ચેથાઈને કર. તાપરાવ ગુજર બહાદુરપુરાથી બહાણપુર ન આવતાં બીજી દિશાએ ગયા. ત્યાં એણે અનેક છે શહેર લૂંટવાં અને મુગલ મુલકની પ્રજા ઉપર મરાઠાઓની ચોથ ઠોકી બેસાડી. મેટા મોટા શહેર, ગામે અને ગામડાંઓના આગેવાને પાસેથી પ્રતાપરાવે લખાવી લીધું કે મુગલોને અમે વાર્ષિક જે કર ભરીએ છીએ તેને ચોથો ભાગ અમે શિવાજી મહારાજને અથવા વસુલ કરવા આવનાર એમના અમલદારોને આપીશું.' પ્રતાપરાવે લેકોને ખાતરી આપી કે લેવામાં આવતા નાણાંની પહોંચે આપવામાં આવશે અને જે ગામમાંથી ચોથ વસુલ થતી હશે તે ગામ ઉપર ચડાઈ કે લૂંટ પણ થશે નહિ. એટલું જ નહિ પણ મહારાજને ચેાથ ભરનાર ગામ અથવા ગામડા ઉપર બીજી કોઈ સત્તા ચડાઈ કરે અથવા લંટ કરે તે ચેાથ ભરનાર પ્રજાનું રક્ષણ શિવાજી મહારાજનું લશ્કર કરશે. આવી રીતે સત્તાધારી મુગલ મુલકમાં શિવાજી મહારાજને ચેથાઈને કરી પ્રતાપરાવે દાખલ કર્યો. ૨. મુગલોનું કારંજા શહેર મરાઠાઓએ લૂંટયું. પ્રતાપરાવ ગુજર મુલકો સર કરતે, કિલ્લાઓ છતતે, ગામો લૂંટતે, ચેક નક્કી કરી નાણાં ઉધરાવત, શિવાજી મહારાજની જય પિકારતે ખાનદેશમાંથી વરાડમાં આવી પહોંચ્યો. તે વખતે વરાડમાં આકેલાની નજીકમાં આવેલું કારંજા શહેર જાહેરજલાલી ભોગવતું હતું. એ શહેર ધન દોલતની બાબતમાં વરાડ પ્રાંતમાં ઉમરાવતીથી બીજે નંબરે આવે એમ હતું. એ શહેરના શ્રીમંતોએ પુષ્કળ ધન જમીનમાં દાટી સકેલું છે એવી વાતો ચારે તરફ બેલાતી હતી. મહારાજે આ શહેરની અને ત્યાંના શ્રીમંતોની તથા તેમની ધન દાટી મૂકવાની હિકમતની ઝીણું તપાસ કરાવી. પ્રતાપરાવ ગુર્જર કારંજાની દરેક બાબતથી વાકેફ થઈ ગયો હતે. એ શહેર ઉપર તે જમાનાની આફત નહિ આવવાથી લગભગ પ્રજાએ ૫૦ વરસ સુખના ભોગવેલા હતા. આવી રીતે આ પ્રજા લૂંટફાટ અને સત્તાના જલમમાંથી બચેલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy