SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧`હું] છે. શિવાજી ચરિત્ર અંધારામાં ચાલતાં ચાલતાં ઝાડનું એક ડીયું માલાજીના પગમાં અથડાયું. માજી આ ઠાકરથી થા−ા અને સામે જોયું તેા શ્રીભવાનીની મૂર્તિ એની નજરે પડી. માલાજી તા આ પ્રકાર જોઈને ખૂબ ચમકયા અને મૂર્છાવશ થઈ જવાની અણી ઉપર હતેા પણ ભવાનીએ એને તરત જ ધીરજ આપી અને જણાવ્યું કે “ ડરતા નહિ; હિંમત રાખ ! તારૂં તકદીર ખુલી ગયું છે. તારા કુટુંબમાં શંકર ભગવાન પોતે જ જન્મ લેવાના છે. હિન્દુ ધર્મનો ઉત્કર્ષી કરવા માટે, દુષ્ટોનું દમન કરવા માટે, યવનોનો નાશ કરવા માટે અને તારી ૨૭ પેઢી ઉપભાગ કરે એવું રાજ્ય સ્થાપવા માટે ઈશ્વર તારે ઘેર અવતરશે. ૨૭મા રાજા આંધળા થશે અને રાજગાદી ખાશે. ” આ મતલબના વાક્યા ખાલી ભવાનીએ માલાજીને એક ઉધાઈનો રાફડા બતાવ્યા અને કહ્યું “ આ રાફડા તું ખાજે. એમાંથી તને ધન મળશે. ” દેવીના આ શબ્દો સાંભળી માલાજી ઊંડા વિચારમાં પડવો, તે જોઇ દેવી ખેલ્યાં “તું જરા પણ ડરતા નહિ, આ રાફડા ખાદીને તું દ્રવ્ય કાઢ અને તે દ્રવ્ય શ્રી ગાંદાના શેશાજી નાયકને ત્યાં તું તારે ખાતે અનામત મૂકજે.” આ સૂચનાએ આપી દેવી અદૃશ્ય થયાં, અને માલાજીને મૂર્છા આવી. ખેતર જતાં રસ્તામાં માલેજીને આ સાક્ષાત્કાર થયા તે દરમીયાન તેનો ભાઈ વિઠાજી ખેતરેથી ઘેર ગયા અને ઘેર જઈ તપાસ કરી તે। જાણ્યું કે માલાજી એની શોધમાં ખેતરે ગયા છે. આ સાંભળી વિંદાજી ખેતર તરફ પા વળ્યેા. રસ્તામાં વિઠાજીએ પોતાના ભાઈ માલાજીને મૂર્છાવશ સ્થિતિમાં પડેલાં જોયા. વિઠાજીએ ભાઈને શુદ્ધિમાં લાવવા કેાશિશ કરી. ઘેાડીવારે માલાજી શુદ્ધિમાં આળ્યે અને બનેલા બનાવ વિગતવાર વિદ્યાજીને કહ્યો. બનેલા બનાવ ઉપર વિચાર કરતાં કરતાં બન્ને ભાઈ એ ઘેર આવ્યા. સવારે ઉઠી બન્ને ભાઈ એ બનેલા બનાવવાળા જંગલમાં ગયા અને શ્રીભવાનીએ બતાવેલા ઉધાઈના રાફડા એમણે ખાદ્યા. આગલી રાત્રે સાક્ષાત્કારમાં શ્રીભવાનીએ કહ્યા મુજબનું ધન તે રાફડામાંથી નીકળ્યું. માલાજી અને વિડાજીએ એ ધન ત્યાંથી લીધું અને શ્રીભવાનીની સૂચના મુજબ શ્રી ગાંદાના શેશાજી નાયકને ત્યાં પેાતાને ખાતે જમે કરાવ્યું. શ્રી ગાંદાના શેશાજી નાયકને પણ સ્વમમાં દર્શન દઈ ને દેવીએ સૂચના આપી દીધી હતી કે માલેાજી જે ધન અનામત મૂકવા લાવે તે રાખવું અને તે ધન બહુ કાળજીપૂર્વક નીમકહલાલીથી સાચવવું અને એ જ્યારે માગે ત્યારે તેમને પાછું આપવું. આ દ્રવ્યમાંથી આ ભાઈ એએ શિંગણાપુરમાં એક સુંદર સરેશવર ખાદાવ્યું અને મંદિર બંધાવ્યું. વેફળ મુકામે શ્રી પ્રીનેશ્વરનું દેવળ પણ એમણે આ ધનમાંથી બંધાવ્યું. આ બન્ને ભાઈએ આપની કમાઈ ઉપર અથવા જાત મહેનત વગર અકસ્માતથી મળેલા ધન ઉપર ભાગવિલાસમાં જીંદગી ગુજારનારા ન હતા. તેઓ શરીરે અને સ્વભાવે સિપાહી હતા. પેાતાની જમીને ની વ્યવસ્થા માલેાજીએ વિશ્વાસુ માણસે રાકીને કરી, અને બન્ને ભાઈ એએ લશ્કરી નેકરીમાં જોડાઈ પેાતાનું નસીબ અજમાવી વડીલેાની ઈજ્જતમાં વધારા કરવાના નિશ્ચય કર્યાં. બન્ને ભાઈ ઓ સિંદખેડવાળા લખુજી જાધવને મળ્યા. લખુજી જાધવરાવ કાણુ તેની પિછાન કરાવી માલેાજીના ઇતિહાસ તરફ વળીશું. ૬. લખુજી અથવા લુખજી જાધવ કોણ? લખુજી અથવા લુખજી જાધવ એ ઇતિહાસમાં “ સિંદખેડના જાધવરાવ ” એ નામથી પ્રસિદ્ધ છે. સિખેડના જાધવે એ યાદવ કુળના ક્ષત્રિયા છે. દક્ષિણના દેવગિરિના રાજારામદેવથ ઉતરી આવેલું આ કુટુંબ છે. રાજારામદેવને શંકરદેવ નામના પુત્ર હતા. આ શંકરદેવના દીકરા ગાવિંદદેવે હસનગંગુને બ્રાહ્મણી રાજ્ય સ્થાપવામાં ખૂબ મદદ કરી હતી. આ ગાવિંદદેવતા છેકરા ઠાકુરજી ખાનદેશમાં સિખેડના દેશમુખ બન્યા હતા. ઠાકુરજીને ભૂખણુદેવ નામનેા છેકરા હતા. આ ભૂખણદેવે ખાનદેશમાં ધણા મુલક મેળયેા. એને અચલે∞ અથવા અચલકર્ણજી નામના છે.કરા હતા. આ અચલર્જીજી નિઝામસાહના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy