SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૮ છે. શિવાજી ચરિત્ર પ્રકરણ : ૫ કરે તેટલી કડવાશ નેહવાને માણસ તે નહિ જ કરે. એનું અંતઃકા સહેજ કુમળે તે હે જ, (૧૧) દિલ્હી ગયા પછી જે બાદશાહ વિશ્વાસઘાત ન કરે તે જરૂર તેના ઉપર હું સુંદર છાપ પAી શકીશ એ બાબતમાં મને વિશ્વાસ છે. હું એને સમજાવીને તેની પાસેથી દક્ષિણની બેકારી મેળવી શકીશ. (૧૨) જે હું સૂબેદારી મેળવી શકે તે એવળાંકા અને બિજાપુરનાં મુસલમાની રાતને મુગલની મદદથી સંપૂર્ણ નાશ કરી શકે. (૧૩) એ બંને સત્તાને નાશ થતાં એ રામના સરદાર સેનાપતિઓ અને લશ્કરી અમલદારોને અપનાવી લઈ, આપણે મહારાષ્ટ્રમાં પ્રબળ સા આપણુ ના રક્ષણ માટે સ્થાપી શકીશું. (૧૪) એવી રીતે પ્રબળ સત્તાની જમાવટ કર્યા પછી મુગલાઈના રાજપૂત સરદારે અને રાજાઓ જેમની સાથે સ્નેહ થયું હોય તેમને અંદરખાનેથી ભમમાં આવી પડેલા હિંદુત્વને બચાવવા માટે આપણી લડતને અનુકુળ કરી લઈ અને જે અનુકુળ ન થાય તેમને તટસ્થ રાખીને અને કેટલાક ક્ષત્રિયને ખુલી રીતે સાથે લઈને દિલ્હી ઉપર હલ્લો કરી, મુસલમાની સત્તાને જમીનદોસ્ત કરી શકીશ. (૧૫) મુગલ બાદશાહ આ મુલાકાતમાં જે વિશ્વાસઘાત કરશે, દગે છે, તે મિરઝારાજાનું વચન જશે અને જે એમનું વચન જાય તે તેનું પરિણામ વિપરીત આવે. મિરઝારાજા પિતાના વચન માટે પ્રાણ આપે એવા છે. બાલ્સાહ ને આ બાબતમાં એમનું અપમાન કરે તે જોવા જે તાલ આવે. મિરઝારાજાનું વજન મુગલ દરબારમાં બહુ છે અને એ મુગલ દરબાના હિ સરદારોના અગ્રણી છે. મિરઝારાજાના અપમાનથી મુગલ દરબારમાં ભારે સડો પેસશે અને અમલ દરબારના સડાને લાભ મહારાષ્ટ્રને જરૂર મળશે. દિલ્હી જવામાં ભારેમાં ભારે જોખમ છે એ આપણે તારવી કાઢયું, પણ એ જોખમ ખેડવામાં આવે તે આપણે હાથમાં લીધેલા કામને કેટલે લાભ થવાને સંભવ છે એને પણ અડસટ્ટો કાઢવાની જરૂર છે. મારી ગણતરી મુજબ ત્યાં જવામાં જોખમ છે તેના કરતાં એ જોખમ ખેડે મહારાષ્ટ્રને લાભ વધારે છે. સ્વતંત્રતાની કિમત બહુ ભારે હોય છે. ભારેમાં ભારે જોખમે માથે લીધા સિવાય સાચી સ્વતંત્રતા હાંસલ થતી નથી અને બેગ, ત્યાગ, જખમ અને સાહસ વિના મળેલી સ્વતંત્રતા ઝાઝી ટકતી નથી. આપણે ધર્મ રક્ષણનું અને પ્રજાના જુલમે દૂર કરવાનું પ્રમ હાથ ધર્યું છે અને તેને માટે સત્તા સ્થાપવાનો નિશ્ચય કર્યો છે એટલે આવાં આવાં જોખમે તે માટે લીધે જ છૂટકે છે. (૧૬) દિલ્હી ગયા પછી બાદશાહ દિગે દેશે તે મહારાષ્ટ્રમાં નવું ચેતન આવશે. મુગલ દરબારમાં સડો પેસશે. મુગલાઈના હિંદુ સરદારોમાં ભારે અસતેષ થશે. આખા હિંદના હિંદુઓને મુગલો પ્રત્યે તિરસ્કાર ઉત્પન્ન થશે અને તેથી મુગલાઈની પડતી થશે. મુસલમાની સત્તા જેમ જેમ પડતી જશે, તેમ તેમ હિંદુ સત્તા જામતી જશે. મારા વહાલા સરદારે! તમારે મારા પ્રત્યેને અપ્રતિમ પ્રેમ જોઈ મને ભારે સંતોષ થાય છે. મેં તમને જણાવ્યા ઉપરાંત બીજ ઘણાંએ કારણ છે કે જેને લીધે મારે દિલ્હી જવાનું સાહસ ખેડવું જ જોઈએ. મારા ઉપરના પ્રેમને લીધે તમને થતી માનસિક વેદના હું સમજી શકું છું. મારા ઉપર તમને પ્રેમ છે તેથી મને આનંદ છે, પણ તમારા પગ ઉપર તમને વધારે પ્રેમ હોવો જોઈએ. મારે માટે તમે તમારા પ્રાણ સાંધા કર્યા છે, કરો છે અને કોઇ મારા કહેવાથી તમે તમારા સર્વસ્વનું બલિદાન આપી રહ્યા છે, પણ તમારા મને માટે તમે મા બલિદાન આપવા તૈયાર થાઓ. ધર્મરક્ષણના પ્રશ્ન આગળ માર માયા, પ્રેમ વગેરે દૂર કરવાં જોઈએ. અને તમે બધા હરતે વદને દિલ્હી જવાની રજા આપે. પરમ પૂજ્ય ગુરૂશ્રી સમર્થ રામદાસ સ્વામીએ પણ મને દિલ્હી જવા આશીર્વાદ આપ્યા છે. આત્મશ્રદ્ધા રાખે. વિભૂમાં વિશ્વાસ મૂકી મને મારા કામમાં નાતાં વિતા દર કરવાની શક્તિ આપવા, દુશમનની સામે વખત આવે ઝઝૂમવા હિંમત આપવા અને હાથ ધરેલાં કામે પાર ઉતારવામાં સંકટ આવી પડે છે તે આનંદથી વેઠવા શક્તિમાન પ્રભુ બળ આપે એવી એને પ્રાર્થના કરે. હિંમત રાખે. સંકટ તૂટી પડે, આખી યોજના ભાગી પડવાનો સમય આવે તે પણ હિંમત હારતા નહિ.” ઉપર પ્રમાણે દલીલ કરી શિવાજી મહારાજે પોતાના સરદાસને સમજાવ્યા અને તે સંજોગોમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy