SearchBrowseAboutContactDonate
Page Preview
Page 381
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૦ મું] છે. શિવાજી ચરિત્ર ૩૪૫ ખેલતા આવ્યા છીએ અને તેથી જ આપણે, દુશ્મન આપણા કરતાં વધારે બળવાન હાવા છતાં વારંવાર વિજય મેળવ્યા છે. વિચાર કરતાં મને તે લાગે છે કે આ વખતે એકલી સમશેર કામ નહિ આપે. વખત આવે સમશેર ચલાવવી પણ પડશે અને જ્યારે મરાઠા સમશેર ચલાવશે, ત્યારે મને ખાતરી છે કે માકાશના દેવા પણ ચક્તિ થશે અને મરાઠા વીરા ઉપર ફૂલેાની વૃષ્ટિ કરશે. મરાઠા સિપાહીગીરીમાં કાઈથી ઊતરે એવા નથી એ વાત મારે કબૂલ છે. આ પ્રસંગે અને ત્યાં સુધી આપણે ઓછામાં ઓછી લડાઈ એ લડવી જોઈ એ. બની શકે ત્યાં સુધી હાલના સોંગામાં લડાઈના પ્રસંગ ટાળવેા અને જ્યાં ન જ ચાલી શકે એમ હાય ત્યાં બરાબર લડાઈ આપી શત્રુને હંફાવવા. દુશ્મન ભારે ખળવાળા હાય તા તે લડાઈ માગે, પણ દુશ્મનને જે જોઈતું હેાય તે ન આપવામાં કુનેહ છે. ભારે દળવાળા દુશ્મનને લડાઈ વગર યુક્તિ પ્રયુક્તિથી થેાભાવી રાખવામાં આ વખતે આપણને લાભ છે એવું મને લાગે છે. કાઈ તે ગમે કે ન ગમે તે પણ મહારાજ મારા તો અભિપ્રાય છે કે આપ જયસિંહની મુલાકાત લો અને એને સમજાવો, તેમજ આ વખતે લડાઈના પ્રસંગ ટાળી શકાય તા ટાળા. જામેલી બળવાન સત્તા સામે આપણે માથું ઊંચક્યું છે એ વાત આપણે ભૂલવાની નથી. બને ત્યાં સુધી કળથી કામ કાઢી લેવાય તેા અળખતાવવાની જરુર નથી. લાગણીવશ થઈ વિચાર કર્યોથી આ પ્રસંગે નુકસાન થવાના સંભવ છે એવું મને લાગે છે. ” ખીજો સરદારઃ— મહારાજ! હરહંમેશ ધણાઓને ન રુચે એવી ગોળી ગળાવવાનું મારે નસીબે જ આવે છે. હું જાણું છું કે મારા વિચારા ઘણાને નથી ગમતા. કેટલાકને તેા ઘણી વખત મારા વિચાર। દર્શાવીને મે નારાજ કર્યાં છે. મહારાજ જ્યારે આ કટોકટીના પ્રસંગે મારા વિચારા જાણવા ઈચ્છા રાખે છે ત્યારે કાઈ પણ પ્રકારના ખીજો વિચાર મનમાં લાવ્યા વગર મારા પ્રમાણિક વિચાર। મહારાજ સામે ખુલ્લા દિલે જણાવવાની મારી ફરજ સમજું છું. દુશ્મન ગમે તેવે ખળવાન હાય, ગમે તેટલા પ્રભાવશાળી હાય તેા પશુ, તેનાથી ડરી જવું નહિ, હિંમત હારવી નહિ, તેના તેજમાં અંજાઈ જવું નહિ એ વાત મારે કબૂલ છે; પણ દુશ્મનનું બળ આંકતી વખતે આપણે પોતાના અળનું વધારે માપ આંકી દુશ્મનનું ખળ અને શક્તિ એછાં આંકવાની રીત મને જરા પણુ પસંદ નથી. મહારાજ ! એવી રીતે દુશ્મનનું ખળ ઓછું આંકવામાં આપણે પેાતાની જાતને નુકસાન કરીએ છીએ. પેાતાના બળ ઉપર હદ કરતાં વધારે વિશ્વાસ રાખી દુશ્મન ખળ વધારે હાવા છતાં તેની ગણુતરી ઓછી કરવી એ પોતાના પગ ઉપર જ કુહાડા મારવા જેવું છે. મુગલાનું બળ જામેલું છે. આજે મુસલમાનાનું બળ વધી રહ્યું છે. મુગલાની સત્તા જામેલી છે, ઈસ્લામના દીન ચડતા છે. જયસિંહ જેવા હિંદુ પણુ આજે મુસલમાન સત્તાને મજબૂત કરવા માટે નવી ઊભી થયેલી હિંદુ સત્તાને દાખી દેવા દક્ષિણ આવ્યા છે, એ વાત પ્રત્યે આપણે ખેદરકાર નથી રહી શકતા. જયસિંહુ બહુ ખળી અને ખંધા વીર છે, એને જીતવા એ હાલના સંજોગેામાં બહુ જ કઠણ છે. આવા મહા બળવાન મુગલ સરદાર સામે મરાઠાઓએ કેસરિયાં કર્યું અને બધા જીવાની દરકાર કર્યાં વગર હિંમતથી છાતી ઉપર બ્રા ઝીલતાં કપાઈ કૂવા એ કીર્તિ મહારાષ્ટ્રને માટે મેળવવી હોય તો હમણાંજ આપણા વીર સરદાર પ્રતાપરાવે જે અભિપ્રાય આપ્યા તે પ્રમાણે આંધળિયાં કરવાં; પણ ખળે અને કળે, શક્તિ તથા યુક્તિથી મરાઠાઓએ એછાં સાધના અને પ્રતિકૂળ સંજોગો હોવા છતાં જામેલી મુસલમાન સત્તાની જડ ઉખેડી નાખી એ કીતિ મહારાષ્ટ્રને નામે અમર કરવી હાય અને હિંદુત્વનું સાચે સાચું રક્ષણુ કરવું હેય તે આ વખતે બહુ જ કુનેહથી અને દીદિષ્ટ વાપરીને કામ લેવું જોઇએ. જરુર પડે અને અતિ આવશ્યક હાય તા નમી પડીને પણુ ઉગતી સત્તાને સાચવી રાખવાની આજે તેા મને ખાસ જરુર જણાય છે. મહારાજ સહિસલામત હશે તો તોફાની માર્જીનુ જોર ઓછુ થતાં મરાઠાઓ પાછું માથું ઊંચું કરી શકશે. સમરાંગણમાં આવેશની જરુર હાય છે પણ સમરાંગણુને વખતે તો સાણસે વિચાર કરતી 44 Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy