SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણુ હું સુ ] ૭. શિવાજી સ્ત્રિ ર૧ સરદારને આપી બધે બંદોબસ્ત કરવા હુકમ કર્યાં. આ મુગલ સેનાપતિએ યુક્તિ પ્રયુક્તિથી નેતાજીને પકડી પાડ્યો અને તેને ખરે ખાંડે યુદ્ધ કરવાની ફરજ પાડી. યુદ્ધ બહુ જબરું થયું. બન્ને તરફના સેનાપતિઓએ પેાતાનું સમરકૌશલ્ય અજમાવ્યું. નેતાજીએ પોતાનું બળ, શૌર્યાં, હિંમત વગેરે પૂરેપુરાં ખતાવ્યાં. મુગલ લશ્કરને ખૂબ નુકશાન કર્યું, પણ મુગલોનું સંખ્યાબળ બહુ ભારે હાવાથી નેતાજી પાલકરને પરાજ્ય થ્યા. નેતાજી ધવાયા અને મરાઠાએ હાર્યાં. મુગલાના હાથમાંથી ધવાયેલા નેતાજી નાસી છ્યો. મુગલાએ તેની પૂ પકડી નેતાજી ઉપર ભારે આક્ત આવી પડી. શરીર ઉપર ભારે જખમા થયા હતા, લશ્કર રતો થઈ ગયું હતું, પરાજયને લીધે લશ્કર નાસીપાસ થયેલું હતું, દુશ્મન તદ્દન નજીકમાં આવી પહેાંચ્યા હતા, આવા સંજોગામાં મુગલાના હાથમાં નેતાજી આવી જાત અને તેથી મરાઠાઓને બહુ ભારે કટકા લાગ્યા હેત, પણ હિંદના સિતારા પાધરા હશે એટલે પ્રભુએ રુસ્તમઝમાનના અંતઃકરણમાં પ્રેરણા કરી. મહારાજના મિત્ર રુસ્તમઝમાનની સાચી સેવા આ વખતે કામ લાગી ગઈ. એણે નેતાજીની પૂરું પડેલા મુગલ સેનાપતિને જણુાવ્યું કે આ દક્ષિણ દેશ ડુંગરાળ છે. ખીણુ અને ગુફાઓમાં મરાઠા પેસી જાય છે અને એમની પૂ પકડવી એ ભારે મુશ્કેલીનું કામ છે. આ દેશના ભોમિયા વગર એમની પૂઢ કાઈ પકડી શકતું નથી. તમે તેમને કાટિ ઉપાયે પણ પકડી શકવાના નથી અને આ ધાડા અરણ્યમાં અને ખીણામાં યુક્તિથી તમને લઈ જઈને મરાઠાએ તમારાં હજારા માણસાના ધાણુ વાળી દેશ. ઘણાને તેઓ ગારદ કરશે. નેતાજીને જ પકડવા હાય તા હું તેની પૂð પડી તેને કેદ કરીશ. મરાઠાઓની પૂંઠે આ મુલકમાં પકડવી એ ભારે જોખમનું કામ છે. ” રુસ્તમઝમાનની સૂચના મુગલ સેનાપતિને ગળે ઉતરી. મુગલ સેનાપતિ પાછો ફર્યો અને નેતાજી બચી ગયા. અણી ચૂક્યા સેા વર્ષ જીવે એ પ્રમાણે જ થયું. 66 ૪. ભાજી બદલાઈ. ઉત્તર હિંદુસ્થાનમાંથી દક્ષિણમાં આવીને શાહિસ્તખાને લગભગ ૧ વષઁ સુર્પી દોડધામ અને ધમાલ કરી. પછી મામુ ઠંડા પડી ગયા. ચાકણા કિલ્લેા લેતાં મામુને નાકે દમ આવી ગયો. થાડા લશ્કરવાળા આ ડુંગરના ચૂઅને પાંજરામાં પૂરવાનું કામ કેટલું કઠણુ હતું, તેની ખાનને ખબર પડી ગઈ. કેટલી વીસીએ સા થાય છે, તે ખાને ચાકણુના કિલ્લાને ઘેરા બ્રાહ્યા ત્યારે બરાબર જણાયું. ચાકણુના અનુભવથી ખાનને લાગ્યું કે મહારાજના કિલ્લા લેવા એ સહેલું કામ નથી. કડી લેતાં પાટણ જતું રહે, એવા પણ બનાવ વખતે બની જાય, તેથી ખાન બહુ સાવધ રહેતા. ચાકણુની લડાઈમાં ફિરંગાજી નરસાળાનાં પરાક્રમા જોઈ, ખાન તા હેબતાઈ ગયો હતા. જીતેલા મુલકને ટકાવી રાખવા એ જ આ સંજોગામાં ડહાપણુ ભરેલું માની, ખાન પૂનામાં ખાનપાનમાં ગુસ્તાન થઈને પડ્યો હતા. ખીજું મહારાજ જ્યારે બિજાપુર સત્તા સામે લડવામાં રાકાયેલા હતા, મહારાજ જ્યારે પનાળાના કિલ્લામાં ઘેરાયેલા હતા, ત્યારે તેમના સરદારાએ જે શૌય, હિંમત, મુત્સદ્દીપણું તથા કુનેહ બતાવ્યાં તે અનુભવીને ખાન, મહારાજનાં શૌર્ય'ની કલ્પના કરી શક્યો. મહારાજને નાહક છેડવામાં માલ નથી, એમ માની ખાન શાંત રહ્યો હતા. મહારાજને જોતજોતામાં હું ભોંય ભેગા કરી દઈશ એવી પ્રતિજ્ઞા ખાને દિલ્હીથી નીકળતી વખતે કરી હતી તે તે ભૂલી ગયો. મહારાજે જોયું * ખાન દ્વીલે થઈ ને બેઠા છે. તે તકના લાભ લઈ, મુગલ મુલક ઉપર છાપા મારવાની એમણે શરૂઆત કરી. મારા ત્રિષક પીંગળની સરદારી નીચે પાયદળ તથા નેતાજી પાલકરની સરદારી નીચે હયદળ સોંપી, તેમને મુગલેાના સામના કરવાની સૂચનાઓ આપી. કલ્યાણુ ભીંવડીના મુલક તથા તે ગાળાના કિલ્લાઓ કબજે કરી લેવાની જવાબદારી મારાપત પીંગળને માથે નાખવામાં આવી. નેતાજી પાલકર મુગલાના દૂર દૂરના મુલકામાં જઈ પહોંચ્યો અને મહારાજની સત્તા પાછી જમાવી. બાલામ્રાટ, પરાંડે, હવેલી, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy