SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૩ મું ] ૧. ૩. ૪ ૫ છે. શિવાજી ચરિત્ર સાવતની સાથે શિવાજી મહારાજે નીચેની સરતાએ સલાહ કરી. 25 ૧૯૩ જાગીરની અરધી આવકમાંથી લખમસાવંતે ૧૫૦૦ માણુસનું પાયદળ રાખવું અને શિવાજી મહારાજને જ્યારે જરુર પડે ત્યારે આ પાયદળ મેકલવું, ફ઼ાંડાના કિલ્લા અને ફ઼ાંડાપ્રાંત શિવાજી મહારાજે રાખવા અને જ્યારે જરુર પડે ત્યારે તેના અચાવમાં લખમસાવંતે મદદ કરવી. સ્વરાજ્ય સ્થાપવાને માટે શિવાજી મહારાજની પડખે રહીને લખમસાવંતે તુર્કી ( મુસલમાને) સામે લડવું અને બધી બાબતથી વાકેફ રહેવા માટે તથા અરસપરસ સંબંધ જાળવી રાખવા માટે લખમસાવંતે પેાતાને વકીલ મહારાજના દરબારમાં રાખવેા. શિવાજી મહારાજના અમલદારા મહેસુલ કામ માટે જ્યારે જ્યારે જાગીરમાં આવે ત્યારે ત્યારે લખમસાવંતે તેમતે તેમના કામમાં મદદ આપવી. સદરહુ પ્રાંતનું ઉપરીપણું અને વતના તથા ઈલકાબે। સાવંતના કાયમ રહેશે. સદરહુ પ્રાંતના કિલ્લા અને થાણાં સાવંતના કબજામાં રહેશે. ૬. સિ’હાજી તરફ સહેજ નજર. શિવાજી મહારાજની ધામધૂમમાં તેમના પિતા સિંહાજીને આપણે તદ્દન ભૂલી જઈએ એ ઠીક નહિ. શિવાજી મહારાજ પેાતાની સત્તા મજબૂત કરી રહ્યા હતા તે વખતે સિંહાજીનું આદિલશાહીમાં શું સ્થાન હતું તે જાણવાની વાંચકાને સહજ ઈચ્છા તા થાય જ. સિંહાજીનું જીવન આપણે તપાસીશું તે આપણને જણાશે કે સિંહાજી જે જે બાદશાહતમાં રહ્યો ત્યાં ભારે માન પામ્યા છે અને પેાતાનું વજન એ પાડી શક્યા છે. એના જીવનમાં એક બાબત ખાસ ધ્યાન ખેંચે છે તે એ કે દરેક ઠેકાણે એની સત્તાની ઈર્ષા કરનારા બહુ નીકળ્યા. એને દ્વેષ કરનારા પક્ષ એને જરાએ જંપવા દૈતા નહિ, છતાં સિંહાજી હિંમત અને બાહોશીથી, દરબારમાં ઘણા દુશ્મના હોવા છતાં પાતાની મહત્તા પૂરેપુરી જાળવી શકતા. સિંહાજી' આદિલશાહીને સરદાર હતા છતાં ખાદશાહ (સહાજીને કાઈ પણ વાતે નારાજ કરી શકે એમ ન હતું. સિંહાજીને બંધનમુક્ત કર્યાં પછી એની સત્તા પહેલાં કરતાં વધી હતી. કર્ણાટકમાં તે એણે એની સત્તા એટલી બધી વધારી હતી કે એ તે ગાળાના તાજ વગરના રાજા જ બની બેઠા હતા. બિજાપુર દરબારમાં એક મજબૂત વિધી પક્ષ એને સતાવી રહ્યો હતેા. સહાજીના વિરાધીઓએ બાદશાહની પ્રીતિ સઁપાદન કરી હતી. એ બધા અલીના માનીતા થઈ પડ્યા હતા. સિંહાજીના વિરાખીએ વારવાર એના સંબંધમાં બાદશાહના કાન ભંભેરતા. તે દ્વેષીઓના કહેવાથી બાદશાહ ભેાળવાય પણ સિંહાજી તેથી જરાએ ડગે કે ડરે એવા ન હતા. એ પોતાના બળ ઉપર મુસ્તાક હતા. પેાતાના વિરાધીઓ મદશાહના કાન ભંભેરી રહ્યા છે તેની સિંહાને ખબર હતી પણ ચાડિયાએ પેાતાની બાજીમાં ક્ાવ્યા છે અને અલીઆદિલશાહ એમની જ આંખે જુએ છે એવું જ્યારે સિંહાજીએ જાણ્યું ત્યારે તેણે બાદશાહને તા. ૬-૭–૧૬૫૭ તે રાજ એક સખત પત્ર લખ્યા હતા તે પત્રમાં જણાવ્યું હતું કે સિંહાજી રજપુત છે અને તેથી તે કાઈપણ જાતનું માનભંગ સહન કરશે:નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy