SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૯ મ આ મહારાજના ખ્યાલ બહાર તેમને ન દુભાવતાં સારી માણુકાજીને સંદેશ સાંભળ્યા વિસાપુરના કિલ્લા શિવાજી મહારાજને સ્વાધીન કરી દેવા માટે માણુકાજી દેશમુખે સીદીને સંદેશા માકલ્યા. આ કિલ્લા કબજે લીધા પછી સીદીને સ્વાધીન કરવાને શિવાજી મહારાજા વિચાર હતા કારણ કે સરદાર સિંહાજી રાજાના નિમકહલાલ કર છે, એ શિવાજી નહતું. આવા નિનકહલાલાને તાતાએ કરીને પોતાના પક્ષમાં લઈ, જગા ઉપર રાખવાની મહારાજની નીતિ હતી. સીદી સરદારે અને એ બહુ ગુસ્સે થયા. એણે જવાબ મેાકલ્યા કે “ મહારાજનું આવું વર્તન ઉદ્ધતાઈભરેલું છે. આવાં આચરણા એમને ધટતાં નથી. આવા વર્તનથી એ પોતાને જાન જેખમમાં નાખે છે. આવા માણસની તાકરીમાં રહેવા હું ખુશી નથી. ” આ જવાબ સાંભળી શિવાજી મહારાજ જરાપણુ ક્રોધે ભરાયા નહિ. સીદી સરદારે તેા પોતાને જે ખરુ લાગ્યું તે હિંમતથી જણાવી દીધું, તેથી મહારાજ બહુ રાજી થયા. પેાતાના પિતાના આ નિમકહલાલ જાના નેાકરની હિંમતની કિંમત મહારાજે કરી. સીદી સરદાર હિલાલને કાઈપણ જાતના ઠપકા ન આપતાં મહારાજે સીદીને સારી બક્ષીસ આપી તેને પોતાના પિતા સિંહાજી મહારાજ પાસે મોકલી દીધા. આમ વીસાપુરા કિલ્લા મહારાજે કબજે લીધે. ૧૨૨ પ્રકરણ ૯ સું ૧. પૈસાની તંગી, કયાણના ખજાના, ઉત્તર કાંકણમાં પગપેસારો. ૨. સીદી સામે શિવાજીરાજા. ૩. ભવાની તલવારની ભેટ. ૪. બાળાજી માવજી ચિટણીસ. રાજાપુરની જીત. ૫. પઠાણાને શિવાજી મહારાજે આશરેા આપ્યા. ૬. પિતા પરહેજ, પખાલીને પાપે પેાઠિયાને ડામ. ૭. પરહેજના માતઃકાળ. ૧. પૈસાની તંગી, કલ્યાણના ખજાના અને ઉત્તર કોંકણમાં પગપેસારો મહારાજે મેળવેલી છતાના આનંદ આપણે મનુભવ્યા. હવે મહારાજની અડચણો તરી જરા નજર કરીએ. શિવાજી મહારાજે લેહીનું એકપણ ટીપું પાડ્યા સિવાય એક પછી એક કિલ્લા કબજે કર્યાં, જમીન લીધી, ગામ લીધાં, કિલ્લાઓ સમરાવ્યા; તેની મજબૂતી કરી; જમીને ખેડાણુ કરાવી, ગામા સુવ્યવસ્થિત કર્યા. મહારાજ ધીમે ધીમે પણ મક્કમપણે આગળ ધપવા લાગ્યા. એમની હીલચાલ તરફ્ લેાકેાનું ધ્યાન ખેંચાયું અને બિજાપુરનાં બાદશાહના મુસલમાન સરદારામાં પણ શિવાજીનાં મૃત્યાની અનેક જાતની ચર્ચા શરૂ થઈ. સૂર્યના પ્રકાશ શરૂઆતમાં બહુ ધીમે હાય છે, પણ એ વધતા પ્રકાશને શી રીતે ઢાંકી શકાય ? આટલા કિલ્લાઓ લઈ ને મહારાજે શરૂઆત કરી દીધી પણુ કામ એવી ખુખીથી લીધું અને સમય તથા સંજોગા જોઇ તે એવી ગોઠવણુ કરી દીધી કે લડાઈ કર્યો સિવાય, નુકસાનીમાં ઉતર્યા સિવાય અને વધુમાં એક ખાદશાહની સાથે ખુલ્લું વેર બાંધ્યા સિવાય, પોતાની મતલબ હાંસલ કરી. બિજાપુર બાદશાહતના અધિકારી અને અમલદારાની ખોડખાંપણ, નબળાઈ તથા ત્રુટીઓને શિવાજી મહારાજે પૂરેપુરા લાભ ઉઠાવ્યેા. એમનાં દરેક કૃત્યો માટે જ્યારે જ્યારે બાદશાહ તરફથી પૂછવામાં આવતું ત્યારે ત્યારે મહારાજ બહુ સાઈબંધ અને મુત્સદ્દીભર્યો જવાબ આપતા. અનેક વખતે એમણે બિજાપુર એવી મતલબનું લખી મેાકલ્યું હતું કે “ અમારી જાગીરના મુલકાની મજબૂતી માટે આ કિલ્લાએ બહુ જરૂરના હેાવાથી કબજે કર્યાં છે અને તે કરવામાં બાદશાહતની મે સેવા કરી છે. અમારી જાગીર મજબૂત રહેશે એ પણ કાયદો તે સરકારને જ છે. ખીજાં કિલ્લાએમાં અત્યંત ગેરબંદોબસ્ત અને અવ્યવસ્થા ચાલી રહ્યાં હતાં. એવા સંજોગામાં કિલ્લાને હાથમાં લઈ, વ્યવસ્થિત કરવામાં તે। બાદશાહની અમે ચાખ્ખી સેવા જ કરી છે. કેટલાક કિલ્લેદાર અને દેશમુખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy