SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ છે. શિવાજી ચરિત્ર [ પ્રકરણ ૬ 66 ઉપદેશ શિવાજીના અંતઃકરણમાં ઉતારી ન શકી. એણે પતિને કહ્યું “ સારે નશીબે દીકરા પાક્યા છે. તે માતિપતાનાં વચનેને માન આપે એવા છે, આના ધારક છે, છતાં યવને સાથેના વતનની બાબતમાં એ કેવળ લાચારી બતાવે છે. મેં એને વિવિધ રીતે સમજાવ્યા, એના ઉદ્ધૃત વર્તનનાં માઠાં પરિણામ આવશે તેની એને ચેતવણી આપી, પણ યવન સત્તા અને તેને માન આપવાની વાત આવે છે કે એ કેવળ લાગણીવશ થઈ જાય છે. ડાઘા, ચતુર, બુદ્ધિમાન અને વિવેકી દીકરાને તેની યવને પ્રત્યેની વર્તણૂકને લીધે જ સા કરવી અને તેના ઉપર ક્રોધ કરી, તેનું દિલ દુભાવવું, એ મને ઠીક નથી લાગતું. યવતાનું નામ સાંભળતાં જ એના પિત્તો ઊછળી જાય છે. કાણુ જાણે એને યવને સાથે ક્યા જન્મનું વેર છે. આપે એને સમજાવવામાં ક્યાં બાકી રાખી છે, મેં પણ બાકી નથી રાખી. પણ એ તા સાક્ સાફ જણાવી દે છે કે જીવ જાય તેા પણ એ યવનેાની તાબેદારી સ્વીકારવાના નથી. નાથ ! આ ઋણાનુબંધની વાતા છે. આવા વિવેકી છેકરાના વિચારે. આવા થાય એ આપણું નસીબ, એને પાસે રાખી હુ ંમેશ હૈયાની હોળી સળગતી રાખવી એને દુખી કરવો, જાતે દુખી થવું અને વળી આપની જાગીરને જોખમમાં નાખવી એ ઠીક નહિ. દીકરા પ્રત્યે માયા તેા હોય, પણ એ માયાપાશને વશ થઈ એને પાસે રાખી આપની પ્રતિષ્ઠાને હાનિ પહેાંચાડવી, તેના કરતાં માયાપાશ તાડીને તેને નજરથી દૂર રાખવા એજ રસ્તા મને તે ઉત્તમ દેખાય છે. દૃષ્ટિથી દૂર થશે એટલે આપને તે દેખવુંએ નહિ અને દાઝવું નહિ. આ સજોગેામાં એને દૂર રાખવા એજ મા મને કલ્યાણકારક લાગે છે. મને ઠીક લાગ્યું તે મેં કહ્યું છે, પછી તે। આપને યેાગ્ય લાગે તે ખરું. ” જીજાબાઈના આ શબ્દો સાંભળી સિહાજીને ભારે દુખ થયું. જીતભાઈના પ્રયત્નો સફળ થશે એવી સિંહાજીને આશા હતી તે પણ જતી રહી. જીજાબાઈ એ સૂચવેલા માર્ગોના સંબંધમાં સિંહાજીએ પોતાના સ્નેહીએ અને સલાહકારા સાથે વાતચીત કરી. બધાંને દુખ થયું પણ આ અડચણામાંથી રસ્તા કાઢે જ છૂટકા હતા એટલે શિવાજીને પૂનાની જાગીર ઉપર જીજાબાઈ સાથે પાછા મોકલવાનું બધાએ નક્કી કર્યું. દાદાજી કાન્ડદેવ આ વખતે જાગીરની જમીનના હિસાબ લઈ ને બિજાપુર આવ્યા હતા. તેમની સાથે સિંહાજીએ જીજાબાઈ અને શિવાજીને પૂતે રવાના કર્યા. પ. રાજમુદ્રા શિવાજી મહારાજની સાથે પૂનેથી નીકળી બિજાપુર જતા પહેલાં આપણે અત્રે જરા થેાભીને શિવાજી મહારાજના ચરિત્રમાં અને ખાસ કરીને મહારાષ્ટ્ર અને આખા દેશના ઇતિહાસમાં એક મહત્વની ખીના તરફ નજર કરીશું. આજે પણ મોટા પુરુષોના વિચાર તેમના સિદ્ધાંતા, તેમની મુદ્રા ઉપરથી અંકાય છે. મુદ્રાની પસંદગી કરનાર, મુદ્રા તૈયાર કરનાર અથવા મહાગ્રંથામાંથી મુદ્રા માટે પોતાને મન ગમતાં વાક્યા ચૂંટી કાઢનાર માણસના જીવનના આશય છે તે મુદ્રાલેખ ઉપરથી ઊઁડી નજર દોડાવનારાએ કલ્પી શકે છે. એ માણુસના વિચારા કઈ તરફ ઢળે છે તે બીજાએ તેની મુદ્રા ( મુદ્રાલેખ ) ઉપરથી કલ્પી શકે છે. પેાતાના મુદ્રાલેખ મુજબ જ મુદ્રા નક્કી કરનાર બધા પુરુષાનાં વન હોય છે જ એવું નક્કી ન કહેવાય, પણ મુદ્રાલેખ પ્રમાણેનું વર્તન એમને પસંદ છે, એ વાત તે નિર્વિવાદ છે. એ પ્રમાણેનું વર્તન રાખવાની એમની ઈચ્છા છે એ તો કહી જ શકાય. મુદ્રાલેખ એ માણસને પેાતાનું જીવન બડવામાં વારંવાર મદદ કરનારા મોટા મિત્ર છે. મુદ્રાલેખ એ જીવનની નબળી ઘડીએ જોરમાં આવે તેવે વખતે માણસ પતિત થતા હોય તેા તેની સામે દીવાદાંડીરૂપે અડગ ઊભા રહેનાર દાસ્ત છે. મુદ્રાલેખ નક્કી કર્યા મુજબનું જીવન ઘડવા માટે વારંવાર ટકાર કરનાર સ્નેહી છે. શિવાજી મહારાજે હુ નાની ઉંમરમાં જ પેાતાને માટે રાજમુદ્રા ઘડી હતી. શિવાજી મહારાજ સમજવા લાગ્યા ત્યારથી જ માતા જીનખાઈ એ તેમને જુલમગાર સત્તાનાં જીલની કૃત્યો સમાવ્યાં હતાં. ધરક્ષણુ કરવાના જુસ્સો મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034490
Book TitleChatrapati Shivaji Charitra
Original Sutra AuthorN/A
AuthorVaman Sitaram Mukadam
PublisherVaman Sitaram Mukadam
Publication Year1934
Total Pages720
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy