SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાથી બંને કોમોએ તેમને પસંદ કર્યા હતા અને લવાદ તરીકેને ઠરાવ પણ ન્યાયપુર્ણ દ્રષ્ટીએ બંને કેમોના હિતાહિતનો વિચાર કરી ઘણે વિકતા ભરેલ આપે છે. છતાં કેટલાક જૈન સદગૃહસ્થોની તેમાં ગેરસમજ થયેલી લાગે છે અને જૈન ધર્મગુરૂઓએ પણ તેને ટેકો આપી તેમાં વધારો કર્યો છે જેડીક જમીન તથા ૨૦૦૦) રૂપીઆ જૈન સંઘે સનાતનીઓને આપવાનું એમાં લખેલું છે તે વાત જેન આચાર્યોને અરૂચીકર લાગી છે. એવોર્ડ કેવા સંજોગોમાં લખાય છે. તેને બરાબર અભ્યાસ જેઓએ કર્યો છે તેઓ એવોર્ડ માટે માનબુદ્ધિ ધરાવે છે પણ જૈન ધર્મ ગુરૂઓએ કે જેમના અભિપ્રાયો ગઈ તા. ૧૪મીના સાંજ વર્તમાનમાં પ્રગટ થયા છે, તેઓએ તે વખતના ખરા સંજોગો પર ઢાંકપીછોડો કરીને જૈન કોમને કજીયો વધારવા ઉશ્કેરણી કરી છે એ દીલગીર થવા જેવું છે. દરેક ધર્મગુરૂઓએ દેશમાં સુલેહશાંતી વધારવાને મથવું જોઈએ એ સિદ્ધાંત સમજીને જ સઘળાં જૈનાચાર્યો આજ સુધી એવોર્ડની બાબતમાં ન્યાય વિચારી શાંત બેઠા હોવા છતાં એક બે મુની મહારાજોને કેટલાક જેનોએ પુરી હકીકત સમજાવી નથી, અને તે છતાં તે મહારાજેએ એવોર્ડ માટે પોતાનો અભિપ્રાય આપી દીધો છે એ આશ્ચર્ય પામવા જેવું છે ખરીબીના એવી છે કે પાટણની કોર્ટમાં ચારૂપને લગતા કેસોમાં જૈનોની હાર થઇ હતી. મસાણામાં ફેંસલે મહાદેવ ઉત્થાપનના કેસમાં જેના લાભમાં થયો હતે પણ વડોદરા હાઈકોર્ટમાં તે ઉપર સનાતનીઓએ અપીલ કરેલી હોવાથી મહેસાણાની જીતથી જૈનોએ ફુલાઈ જવાનું નહતું. કારણકે હાઈ કોર્ટમાં પણ તેજ થશે, એવી જૈનને શું ખાત્રો? હવન કેસ અને નાક કાન કાપ્યાના કેસમાં પણ પાટણમાં સનાતનીઓની છત. મહેસાણામાં જૈનોની અપીલથી ફરી તપાસણીને હુકમ થતાં ફરી તપાસણીમાંયે સનાતનીઓની અછત અને વડોદરા હાઈ કોર્ટમાં મોટા કેસમાં શું ચુદો થશે તે અનીશ્ચીત એટલે વિરૂદ્ધ પણ કેમ ન જાય એ ભય; આવાં કારણોને લઈને જેનોએ તેને અંત લવાદથી લાવવાનું છે... ધાર્યું હતું. કોર્ટમાં જે જૈનોને સંપૂર્ણ વીજય મ ત અને આમલી કોર્ટોનો ભય ન હોત તો તેઓ કદી પણ સમાધાન કરવા તયાર થાત નહીં. વળી એક કોટાવાળાએ પણ એ કોર્ટોના સંગેનો બારીક અભ્યાસ કરીને જ આ ચુકાદો આપેલો છે એમ તેમાંના બુદ્ધિ ભરેલા શબદોથી જણાઈ આવે છે. ચુકાદો લખતી વેળા શેઠજીએ નષ્પક્ષપાતપણેજ લખવું જોઈએ અને તેમ લખાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy