SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ વાથી નિષ્પન્ન થાય છે (ની. ૧૩) પંચક્યાસમાં પણ તે સંબંધી ઉલ્લેખ છે તેથી મુતઓ ખસેડવામાં કાંઈ હરકત નથી. એવી જૈનની માન્યતા છે એવું સ્પષ્ટ માલુમ પડે છે તેની સાથે ગણપતી અને પાર્વતીની મુતઓ જે ભીંતમાં હતી તે ભીંતમાં અગાઉ આરસને પથર બેસાડેલે તે વખતે મુતઓ કાઢવામાં આવેલી એવું બચાવનું કહે છે. ફર્યાદ પક્ષ તરફથી તે સંબંધે વાંધો ઉઠાવવામાં આવેલો છે અને એમ કહેવામાં આવે છે કે મુતીઓ ઉખેડ્યા વગર આરસના પથ્થર બેસાડયા હતા અમોએ જાતે ચારૂપ જઈ મંદીરની સ્થિતિ જોઈ તે ઉપરથી પ્રથમ પણ આ મુર્તિઓ પણ કાઢી આરસ બેસાડેલા હોવા જોઈએ એવું માનવા કારણ મળે છે, તેથી જૈનને મુર્તિઓ ફરી કાઢવાને હક પહોંચે છે કે નહિ એ પ્રશ્ન નથી, તેથી વિવાદીની શુદ્ધબુદ્ધી હતી કે નહિ એટલાજ પુરત જ તેને ઉપયોગ કરવાનું છે તે દ્રષ્ટીથી જોતાં મુતિઓ ઉખેડવામાં હીન્દુઓની લાગણી દુખાવવાનો વિવાદીઓનો ઈરાદો હતે, અગર હીંદુઓની લાગણી દુખાશે એવું તેમને કૃત્ય કરતી વખતે ચેકસ જ્ઞાન હતું એવું અનુમાન કરવા કામમાં બીલકુલ પુરાવા નથી. ગામમાં જૈનેની વસ્તી નથી, છતાં આવું કર્યાં તેઓ કરે એવું પણ સંભવીત નથી જે દહાડે આ કૃત્ય કરવામાં આવ્યું તે દહાડે પુનમ હતી અને સવારમાં બીજા ઘણું જેને દર્શન કરવા આવ્યા હતા. તે વખતે એટલે તેમની હાજરીમાં અને તેમની મદતના ભરોસા ઉપર આવું કૃત્ય કર્યું હતું તે કદાચ તેમના બદ ઈરાદા વિશે અનુમાન કરવા કારણ મળત નહિ પરંતુ જૈનો બધા ચાલ્યા ગયા પછી આ કૃત્ય થયું છે તે ઉપરથી હીંદુઓની લાગણી દુખવવાને તેમને ઉદેશ નહોતે એવું જ અનુમાન કરવું દુરસ્ત થશે. તા. ૨૮-૨-૮ ના રોજ ચારૂપ ગામના લોકોએ કડી પ્રાંતના સુબા તર્ક એક અરજી કરી તેમાં ગણપતી વિગેરેની મુતિઓ ઉખેડવાનો વિચાર મંદીરના વહીવટ કરનાર લહેર વકીલનો છે. તે ઉપરથી સાંપ્રત જે કૃત્ય કરવામાં આવ્યું તે કરવાનો ઇરાદો હિંદુઓની લાગણી દુખાવવાને હતું એવું ફર્યાદપક્ષ મનાવવા માગે છે. સદર અરજીની ૫૪ માં રજુ થઈ છે. તથાપિ તે અરજીથી જેવું અનુમાન વિવાદી વિરૂધ્ધ નીકળી શકતું નથી એવું નીચેની ન્યાયાધીશીએ ઠરાવ્યું છે તેમના મત સાથે અમો મળતા આવીએ છીએ. સદર અરજી ઉપરથી કાંઈ કામ ચાલેલું નહોતું તેથી તેના ખરાપણું બદલ અનુમાન કરવા કહ્યું સાધન નથી તેના ખરાપણા બદલ અનુમાન કરવા કશું સાધન નથી અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy