SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ - ૩ હરકોઈ જાતને હરકોઈ ધર્મ માનવાની છુટ છે (આ વાત તે નાનું બચ્ચું પણ સમજે તેવી છે. ધર્મ એ કેદખાનું નથી કે કોઈને વાડામાં ઠાંસી દેવાય ધર્મ એ આત્માની સ્વતંત્રતા છે અને જયાં સ્વતંત્રતા છે, ત્યાં છુટજ સંભવી શકે કેમકે સારું છે તે સહુ કોઈ સ્વીકારે છે ને સ્વીકારશે. આ છુટના પરિણામે જ જૈનત્વ અનંત ઉત્સર્પિણી, અવસર્પિણી ને રાજ્યક્રાંતિ વચ્ચે પણ અડગ અને અનાદી અચળ છે અને રહેશે ) જ જૈન ધર્મ મુજબ કોઈપણ જીવ ઉત્પન્ન કરનારી વસ્તુ દેવને સ્પર્શ કરવાથી તેમજ જૈન વિધી ક્રિયા વિરુદ્ધ દેવનું સ્થાપન કે પુજન કે ક્યિા થાય તે શ્રી તીર્થંકર પ્રભુની આશાતના થઈ ગણે છે. (આ શબ્દ ખુલી આંખે તીર્થંકર પ્રભુની આશાતના ન થવા પામે તે માટે સ્માર્તભાઇઓની મુર્તિઓ ત્યાંથી દૂર પધરાવવા જરૂર છે તેમ દર્શાવે છે. જ્યારે કોકસની દ્રષ્ટિએ પખાલ કરવી એ જાણે આશાતના થતી હોય તેમ સમય કે સંબંધ વગરને અર્થ ઉપજાવવા જતાં અક્કલની કિંમત અંકાય છે.) ૫ અને પિતાની જગ્યામાં શાસ્ત્ર મુજબ શંખ ભેર, નોબત વગેરે વાત્ર વાગે તેમ હવન હમાદી ક્રિયા થાય તેથી જૈન મંદિરના પ્રભુની આશાતના થવા ભય નથી. આ પ્રશ્ન ઉભો કરવામાં કેવળ ઉશ્કેરવાની બાજી માણી છે પહેલું તો એ વિચારવું જોઈએ કે શકર, પાર્વતી અગર ગણપતી એ ત્રણ પૈકી કોઈપણ દેવને હવન હોભાદી ક્રિયા થતી જ નથી. અને તેથી એર્ડમાં શાસ્ત્ર મુજબ એ શબ્દ મુકવામાં લવાદે ડહાપણ વાપર્યું છે. વળી આ કેસમાં માએ આપણા દેરાસરમાં બળાત્કારે પ્રવેશ કરી તેને ધર્મની ક્રિયાઓ કરી હતી અને તે માટે આપણે ફરીયાદ કરતાં કંઈ દાદ મળી નહતી એટલું જ નહિ પણ પાટણ વિભાગના ફોજદારી ન્યાયાધીશે તા, ૨૫-૧૦-૧૫ થી એક વર્ષ કરતાં વધારે વખત જપ્તીને કેસ રાખી અંતે સર્વેને દર્શન બાધા વિગેરે કરવા દેવાનો હુકમ ફરમાવ્યો હતો તેથી જે ફેસલામાં આ શો ન આવેતે ઉપરને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy