SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ ઘણી જ પ્રાચીનતા સંબંધી જરા પણ શંકા રહેતી નથી. વળી “મહાતીર્થે' આ શબદો લેખમાં આપ્યા છે. તે સ્પષ્ટ સુચવે છે કે પ્રાચીનકાલે આ ચારૂપના શ્રી શામળાજી મહારાજની પ્રતીમા મહાતીર્થમાં ગણતી હતી. મહારાજ શ્રી કાંતીવીજયજી મહારાજે શ્રી આબુજી ઉપર વસ્તુપાળ તેજપાળના તમામ કામની નોંધનો લેખ હાલમાં મેળવ્યું છે, તેમાં પણ ચારૂ૫ ગામમાં શ્રી આદેશ્વરજી મહારાજના દેહરાને મંડપ સુધરાવ્યો એમ હકીક્ત છે. તે શ્રી આદેશ્વરજીની પ્રતીમા હાલ તે શ્રી શામળાજી મહારાજની બાજુએ છે. વળી હાલના દેહરાની આસપાસની જમીન ખોદાવતાં ૨૦-૨૫ હાથ ઉંડાં જવા છતાં પરથાર ખુટતું નથી ને પાઈઆચાલુજ દેખાય છે, ને લગભગ ૩૦-૩૦ તીશ, તીશ શેર વજનની ઈટો નીકળે છે. આ ઉપરથી પણ અહીંયા પ્રથમ જબરદસ્ત દહેરૂં હશે ને તે ઘણું કાળ ઉપર હશે એમ પ્રતીતી થાય છે, અન્ય દર્શનીયો જેઓ ચારૂપ તથા તેની આસપાસના ગામોમાં રહે છે. તેઓ શામળાજી મહારાજ ઉપર પૂર્ણ આતા રાખે છે ને કદીપણું તેમના ખોટા સોગન ખાતા નથી, એવો મુતિને ચમત્કાર છે. ચારૂ ૫ ગામમાં શ્રાવકની વસ્તી છેજ નહિ. રજપુત લેકેની વસ્તી છે, અને તેઓના ઘરડા માણસો કહે છે કે કાળના વખતમાં પાટણના શ્રાવકોએ પ્રતીમાજીને લઈ જવાનો વિચાર ધારેલે પણ ગમે તેટલા બળદે જોડવા છતાં ગાડું ન ચાલવાથી તે વિચાર માંડી વાળ્યો હતો. ઉપર પ્રમાણે આ ચારૂપતીર્થની પ્રાચીનતાના પ્રમાણે શાસ્ત્રના પુસ્તકથી સિદ્ધ થાય છે. તે દેરાસરનો વહિવટ આપણે સમાજ કરતો આવ્યો છે, છતાં આ ઝઘડો ઉત્પન કેમ થયો ? ચારૂ ગામમાં આશરે પાંચ છ વર્ષ પહેલાં દેરાસરનું સમારકામ ચાલતું હતું, તે વખતે પવાસનને કેટલોક ભાગ રીપેર કરાવવાનો હતો એટલે ત્યાં બિરાજતી શંકર પાર્વતીની પ્રતિમા કે જે પ્રતિષ્ઠીત કરેલી નહિ પણ છુટી હેવાનું કહેવામાં આવતું હતું તેને બહારના રંગમંડપમાં મુકવામાં આવી. અને ભીંતમાં ગણપતિના સ્થાનક પાછળ આરસ જડા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy