SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ જૈન કોમ જેમાં પ્રતીપક્ષી હોઈ એવા એક કેસમાં એક જૈન ગૃહસ્થને નિર્ણય આણવાની સત્તા સનાતન ધર્મવાળા ભાઈઓએ આપી તેનું શું કારણ ? ગમે તે હોય તો પણ જૈનોએ એકંદર આ બનાવથી બહુ મગરૂર થવાનું છે, શેઠ કટાવાળાએ બતાવી આપ્યું છે કે, હજી પણ જૈન પ્રજામાં એવા ન્યાયપ્રિય નેતાઓ વિધમાન છે કે જેઓ ગમે તેવા બારીક સંગોમાં ધર્મ જેવી નાજુક બાબતોને નિડરતાથી નિર્ણય લાવવાને શક્તિમાન છે. શેઠ કોટાવાળાએ જે ન્યાય આપે છે તે ઘણેજ ડહાપણભર્યો છે એમ ઉપર કહેવાઈ ગયું છે, અને તેને માટે તેઓ સંપૂર્ણ ધન્યવાદને પાત્ર છે એટલું જ નહીં પણ સનાતન ધર્મી બંધુઓએ તથા જન બંધુઓએ તેમના ઉપર મુકેલે વિશ્વાસ વ્યાજબી છે, તો પણ જનત્વનું અભિમાન ધરાવનાર વ્યકિતને એમ શું નથી લાગતું કે જેનેને કદાચ કિ ચિત્ અંશે પણ સહન કરવાપણું પ્રાપ્ત થયું હોય તે પણ જેનેએ તેને માટે જાતીય ગૌરવની ખાતર તૈયાર રહેવું જોઈએ ? જો કે આ નિર્ણયમાં કશું એવું છે નહીં અને એટલા માટે જેને તે તે વિશેષ આવકારદાયક લાગે એમાં કાંઈ આશ્ચર્ય નથી. સનાતનધર્મીય બંધુઓએ શેઠ કોટાવાળા જેવા એક જૈન ગ્રહસ્થની નિર્ણયપ્રદાતા તરીકેની પસંદગી કરવામાં સમસ્ત જન કેમને ભારે સન્માન આપ્યું છે એમ કહેવામાં હરકત નથી. જેને પોતે પોતાના આંતરવિગ્રેહમાં આવી કુનેહ વાપરે અને જન કેમ જૈન ધર્મને પુનઃ ગેરવશાળી બનાવે એવી આશા આ પ્રસંગે વ્યક્ત કર્યા વિના રહી શક્તો નથી. આપણામાં કેવા કેવા આંતરકલેશે ચાલે છે એ વિશે અંગુલીનિર્દેષ કરકરવાની શું જરૂર છે ? અને તેનું સમાધાન કેવી સુંદર રીતે આણી શકાય તેમ છે તે પણ શું આ દ્રષ્ટાંત ઉપરથી નથી સ્પષ્ટ થતું ? શેઠ કોટાવાળાએ પિતાના ઠરાવમાં બહુજ નમ્રતા પૂર્વક જણાવ્યું છે કે- મહાદેવ આદિની પ્રતિષ્ઠાના કાર્ય બદલ “જન સંઘ જેવી દયાળ કોમે ” રૂ. ૨૦૦૧) અંકે બે હજાર એક સનાતન ધર્મના આગેવાનને આપવા. જૈન કોમ પાસેથી રૂપીયા અપાવતાં શેઠ કટાવાબાને કંઈક સંકોચ અથવા લજ્જ થઈ હોય એમ આ “ દયાળ કેમ ” આદિ શબથી જણાઈ આવે છે. અમને એમ લાગે છે કે, એવી લજા કે સંકોચ રાખવાનું શેઠ કોટાવાળાને કશું કારણ નહતું. જન કોમમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy