SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ પણ ધ્વનિતાર્થે પ્રકટ થાય છે કે ઉપરની ઘટનાના ઉદેશને અનુસરીને જૈન પક્ષનાઓએ જ આ હિન્દુ મુઓ પિતાની બાધા આખડીઓ માટે જ સ્થાપી હેય. અત્ર એવી તપાસ કરતાં અમે એવા અનુમાનપર આવીએ છીએ કે ચારૂપ છનાલયનું પુજન બ્રાહ્મણ કરે છે. હવે ઉત ગામમાં જૈન વસ્તીને અભાવ છે અને કદાચ ભાવ હોય તો પણ અન્ય પ્રત્યેક સ્થળમાં શ્રી પુજનાદિ કાર્યો માટે બનતા સુધી બ્રાહ્મણ અથવા જૈન ધમીનાં અનુયાયીને રાખવામાં આવે છે. હવે જ્યારે એક બ્રાહ્મણ જીન મંદિરમાં પુજન વિગેરે કરતો હોય તેને તેજ બ્રાહ્મણ હિન્દુ મંદીરમાં હિન્દુના દેવોનું પુજન કરે એ સ્વાભાવિક છે હવે જે ગામમાં એક પણ શ્રાવક રહેતો નથી. ત્યાંના આપણું પ્રતિમાજીને અપુજ્ય રહેવા દેવા એ પ્રભુની આશાતનાજ છે માટે ત્યાં બ્રાહ્મણને પુજન કાર્ય માટે નિયત કરેલો હશે અને તેજ બ્રાહ્મણની કોશીશથી તેના ધર્મના દેવની મુતીઓનું ત્યાં સ્થાપન થયું હશે. એટલે કે એકંદર અનુમાનથી નિશ્ચય પર આવતા ત્યાંના આપણા જીનાલયમાં વિધમી એના–હિન્દુઓના દેવે આવવાનું કારણ એ ત્યાં પૂજન કરતા બ્રાહ્મણની ત્યાં એકી સાથે ઉભય દેવની પુજા કરવાનું હશે. અસ્ત્ર કોઇપણ પ્રકારે એ આવેલી મૂતઓ હિન્દુઓની હોવાથી તે મૂતી ઓ તેને વિના તકરારે આપણે સેંપી દેવી જોઈએ લવાદે તેને નિર્ણય કરતાં હિન્દુઓના લાભમાં જઈ એક પોતે એક જેનીગૃહસ્થ હોવા છતાં જૈનપ્રજાના વિદીર્ણ થતા અંતઃકરણને જરા પણ ખ્યાલ રાખ્યા સિવાય તત્ સંબંધી ધ્રુવાધુવનો વિચાર કર્યા પહેલાં લવાદ મી. કટાવાળાએ જે ચુકાદો આપ્યો છે તે આપણે કેમને અમાન્ય છે તેથી તેમના ચુકાદાનો પ્રતિકાર કરવા માટે મુંબઈ, વગેરે સ્થળોમાં તથા ખુદ પાટણમાં જ સભાઓ ભરાઈ દરખાસ્ત મુકી તેનો પ્રતિહાર કર્યો છે તે યેગ્યા છે. ચારૂપ જીનમંદીરનું સ્વામિત્વ આપણું છે તે આપણું બેલવા પરથી જ નહીં પણ મહેસાણાની કોર્ટમાં પ્રસ્તુત કેસ ચાલતાં તે કેસને ચુકાદો આપણા લાભમાં આવ્યો છે તેમાં મુખ્ય કારણ કોઈપણ હેય તે પણ તે મંદીરને ભેગવટે આજથી સો વર્ષથી પણ આગળના સમયથી આપણો છે. હવે એવી રીતે મંદીરનું સ્વામિત્વ આપણું છે એજ બતાવી આપે છે કે ત્યાં હિંદુ ધર્મની જે મૂર્તિ સ્થાપિત થઈ છે તે જિનાલય થયા પછી એ સ્થાનમાં આવેલી છે. હવે ઉભય ધર્મના અનુયાયીઓ આમ એક જ સ્થાનમાં એક જ મંદિરમાં, ઉભય ધર્મીઓના દેવ વિરાજતા હોવાથી ત્યાં પુજન અર્ચનાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy