SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧ ભંભેર્યા છે પણ સમાજનું જયાં દુર્લક્ષ છે અને કાર્યવાહકોમાં ઉત્સાહ નથી ત્યાં અમારી શી ગતિ? ઠીક છે. સમય સમયનું કામ કરશે જ. એસો સીએશન જેવી સંસ્થાના સાધનસંપન્ન દક્ષ કાર્યવાહકે ઉત્સાહિત થશે, તેઓને પ્રમાદ ઉડી જશે. હવે બીજું કશું તે નહીં, પણ મી. પુનમચંદ કરમચંદ કોટાવાળાના ઘડેલા લવાદનામા સંબંધી જે મત માગવામાં આવ્યું છે તે બાબતમાં તે પોતાનો મત સત્વર બહાર પાડશે તે ઠીક થશે. અમારા ચર્ચાવાળા કોલમમાં નિડર મુનિમહારાજેએ મોકલેલા અભિપ્રા પ્રગટ થયા છે. તેમ સવેળા એસોસીએશનના ડાહ્યા કાર્યવાહકો મત દર્શાવે, એમ સમાજને કેટલાંક ભાગ ઈચ્છે છે. એસસીએશન ઉંધી રહે અને ઘડાની કુલડી થઈ ગયા પછી એસોસીએશન જાગે એ શું યોગ્ય કહેવાય ? એસોસીએશનના વાર્ષિક મેળાવડા પ્રસંગે જ જે ઢંગ ધડા વિનાનું કામકાજ બતાવવામાં આવે છે, અને તેથી જે ખેદ ઉત્પન્ન થાય છે, તે ખેદ આવા પ્રસંગે પ્રમાદમાં જ પસાર થઈ જવાથી પણ ઉત્પન્ન થાય. એસોસીએનના વિદ્વાન કાર્યવાહક મી. કટાવાલાના લવાદનામા સંબંધી શું મત ધરાવે છે, એ જયાં સુધી અંધારામાં રહે ત્યાં સુધી વિદ્વાન કાર્યવાહકોની બુધ્ધિ, ન્યાયપરાયણતા અને ધર્માભિમાનના વિષે સમાજ જાણ પણ શું શકે અને જયાં સુધી તે જાણે નહીં ત્યાં સુધી તે સંસ્થા તરફ સમાજનું આકર્ષણ પણ ક્યાંથી થાય? માટે રેગ્ય છે કે જૈન એસએશન ઓફ ઈડીઆની મેનેજીંગ કમિટીએ પિતાને મત વેળા જાહેરમાં મૂકો. પરિશિષ્ટ ૨૬. જૈન ધર્મ પ્રકાશ” અંક ૧ લે. ૫૦ ૩૩ મું. (સં. ૧૯૭૩ ના ચૈત્ર વીર સંવ ર૪૪૩) પાટણ તાલુકે ચારૂપ કેસનો ફેંસલે. પાટણ તાબે ચારૂપ ગામમાં શ્રીશામળા પાર્શ્વનાથજીનું સુંદર મંદિર છે. આ જૈનનું તીર્થ ઘણું પ્રાચીન છે અને તેનું નામ અનેક સ્તોત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034489
Book TitleCharupnu Avalokan
Original Sutra AuthorN/A
AuthorMangalchand Lalluchand, Chunilal Maganlal Zaveri
PublisherMangalchand Lalluchand
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy