SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ બુદ્ધ અને મહાવીર આ મહુવના એમ તે ના જ કહી શકાય જે એમણે આ આધ્યાત્મિક પ્રશ્નના ઉપર વિચાર નહાતા કર્યાં. પણ વાન આટલી જ છેઃ એમના વિચારા અને એમનુ ધ્યાન મુખ્યત્વે કરીને દુ:ખભર્યાં આ સંસાર તર્ હતું. ધાર્મિક આચરણની જ એમને કીંમત હતી, સૌના હિતને માટેના આદમય જીવનની અને આ અષ્ટાંગિક માર્ગની જ એમને પરવા હતી. અને અને નજર સામેના ઉદ્દેશ ઉપર ધ્યાન આપી બાકીના દૂરના ઉદ્દેશને છેાડી દેતા, એવા સીમાપારના વિષય ઉપરના વિચારેને એમણે જાણી જોઇને ટાળી રાખ્યા છે. જે વિષયેા સમજી શકાય નહિ અને જેને વિષે સ્પષ્ટ રીતે ખેલી શકાય નહિ એ વિષયેાના જ્ઞાનમાં માથાં મારવાં એમાં એમને એવડું જોખમ લાગ્યું: એક તે એનાવડે સાચી જીવનચર્યામાંથી લપસી જવાય અને ખીજાં વિષમતા; કારણ કે તે સમયે પણ જુદા જુદા વિચારકા પેાત પેાતાના મત સબધે એક બીજા સાથે હારજિતની મારા મારીમાં પડયા હતા. નિર્વાણુના અને અંતિમ વિષયા જાણવા સબંધેના પ્રશ્નથી બુધ્ધ દૂર રહેતા એ વાત એમના સંબંધેની જુદી જુદી કથાએથી અને જુદાં જુદાં વણુાથી સ્પષ્ટ થાય છે. થામાં કહ્યું છે જે એક વાર એમના સાધુ શિષ્ય માલુંયાપુત્તે—મહત્ત્વના અને ઉંડા પ્રશ્ના ઉપર શા માટે ચુપ રહે છે એમ પુછ્યું. જગત્ શાશ્વત છે કે અશાશ્વત, એ સાન્ત છે કે અનન્ત, મુક્ત થયેલા આત્મા, ખાસ કરીને મુદ્દે મરણ પછી રહે છે કે નહિ; એ પ્રતાના ઉત્તર એ શિષ્યને જાણુવા હતા. એના ઉત્તર ખુલ્લે આમ આપ્યાઃ—એલ્ડનબર્ગના સુંદર અનુવાદમાંથી હું ઉતારા કરૂં છું:~ " માલુ કયાપુત્ત, મેં પૂર્વે તને શું કહેલું ? મેં એમ કહેલું જે આવ, માલુંકયાપુત્ત તે મારા શિષ્ય થા, જગત્ શાશ્વત છે કે અશાશ્વત, જગત્ સાન્ત છે કે અનંત છે, જીવ અને શરીર તે એકની એક વસ્તુ છે કે જુદી જુદી વસ્તુ છે, તથાગત ભરણ પછી જીવે છે કે નથી જીવતા (એટલે કે અમુક ભાવનાએ રહે છે ) અથવા તેા એ લય પામે છે કે નથી પાત્રતા ( એટલે કે એની મરણ પછીની સ્થિતિ સંબંધે કશું કહી શકાય નહિ ); એ પ્રશ્નાના હું તને ખુલાસા આપીશ એવું મેં તને કહેલું ? ” 66 "" ના ભગવાન, એવું તે શું તમે કહેલું નહ “ અથવા તા જગત શાશ્વત છે કે અશાશ્વત, જગત શાન્ત છે કે અનન્ત છે વગેરે પ્રશ્નાના મને ખુલાસા આપા મૈં હું તમારા શિષ્ય થઇશ ” એવું તેં મને કહેલું ?—માલુંયાપુત્તે આ વાતની પણ ના પાડી. હવે મુદ્દે કહ્યુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034485
Book TitleBuddha Ane Mahavir
Original Sutra AuthorN/A
AuthorUnknown
PublisherZZZ Unknown
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy