SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ લઈ મન સંબંધી અનેક શોધખોળ કરીને તેણે માનસશાસ્ત્રની પધ્ધતિમાં કાતિ આણી. આ શાસ્ત્રને જાહેર કરવા માટે ડૉ. શૈલેએ અનેક પરીઓને અભ્યાસ કર્યો હતો. સંખ્યાબંધ માણસનાં મસ્તકે તેણે તપાસ્યાં હતાં. જુદા જુદા સ્વભાવ તથા ધંધાવાળા માનવીઓને તેણે અવલોકી તેમની ઉન્નતિનું સામુદ્રિક કારણ શું છે તે તપાસ્યું હતું અને આમ અનેક વર્ષોની મહેનત બાદ તે જે શીખ્યો તે તેણે પુસ્તકે દ્વારા જાહેર કર્યું. તેનાં આ પુસ્તકાએ અનેક દેશમાં ખ્યાતિ મેળવી અને ટૂંક સમયમાં જ તે પ્રસિધ્ધ પણ બની ગયે. મસ્તકમાં છુપાયેલું ભવિષ્ય મનુષ્યના મસ્તકમાં પણ તેનું ભવિષ્ય છૂપાયું છે. આ ભવિષ્ય જાણવા માટે મસ્તકના જુદા જુદા ભાગોનો, તેની રચના કેવા પ્રકારની છે તેને તથા તેના આકાર આદિનો અભ્યાસ કરવો જરૂરી છે. એ અભ્યાસ બાદજ અભ્યાસી માથા ઉપરથી માણસની શક્તિઓ, તેની કાર્ય કુશળતા અને તેની સારી-નરસી ટેવ પારખી શકે છે. આ સંબંધમાં ડૉકટર વિલિયમ વેર કે જેઓ ગ્લાસગે મેડીકલ જર્નલના તંત્રી હતા તેમનો અભિપ્રાય જાણવા ઠીક થઈ પડશે. તેઓ કહે છે કે – “છેલ્લાં વીસ વર્ષ થયાં હું માણસનાં મસ્તક તરફ તથા તેનાં શરીર તરફ ખૂબ ધ્યાન આપતે આવ્યો છું. મને જીવતા મનુષ્યના માથાના આકાર અને કદની સાથે તેમની બુદ્ધિ અને માનસિક ચારિત્ર્યની સરખામણું કરવાની ઘણી તક મળી છે. મરી ગયેલા માણસનાં માથાનાં બીબાં તથા પરીઓને હું હંમેશાં તપાસતો રહ્યો છું, અને તેઓ જીવતા હતા તે વખતે તેમણે કરેલાં કાર્યોની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034483
Book TitleBhavishya Vani Vibhag 1 2 3 4
Original Sutra AuthorN/A
AuthorAnadkumar Bhatt
PublisherN M Thakkar Co
Publication Year1943
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy