SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તારા સામગ્રીની પ્રેરણાએ ગુરૂદેવને ગંભીર આત્મામાં ભારતવિધાનાએ જે સંદેશે પ્રેર્યો છે, તે આપણને માર્ગદર્શક છે. એ ભાવનાએ એમના સ્વદેશ, રાજપ્રજા અને સમૂહ આદિ પુસ્તકોમાં પ્રસિદ્ધ થઈ છે. આ પુસ્તકમાંના નિબંધે એ ત્રણ પુસ્તકમાંથી જ લીધા છે. ત્રીસ વર્ષ પૂર્વેથી આ લેખે એમણે લખવા માંડેલા, પણ આપણે તે ભાવનાને આજે પણ અનુભવી શક્યા નથી, એને અનુભવતાં હજી વાર લાગશે; છતાં પશુ વાચક જોઈ શકશે કે એમાં કેટલું સત્ય સમાયેલું છે. કવિરાર દ્રષ્ટા છે એ આથી જ સાબિત થશે. એમના જીવન પ્રવાહ સતત વહ્યા કરે છે, અને તે કારણે આજે તેઓ સાધારણ જનસમાજથી એટલાજ આગળ ગયા છે-સાધારણ જનસમાજ કરતાં આજે પણ એટલું દૂર જઈ શકે છે. અનેક સામાન્ય ઘટનાઓના અનુભવે એમના ગૌણ અભિપ્રાયોમાં–આ પુસ્તકમાં જણાવેલા અભિપ્રામાં ફેરફાર કર્યા પણ છે, પણ જે મૂળ ભાવના એ તો એની એજ છે–સત્ય છે. વાચકને નિબંધ ચાનાં વઈ જોઈને ખાત્રી થશે કે, તેઓ દ્રષ્ટા છે, ભારતધર્મના ગુરુ છે શાતિનિકેનત એમની ગુરુપીઠ છે. મને એમણે સાનિધ્યને જે લાભ આપે છે અને એમને ગમે તે પુસ્તકને અનુવાદ કરવાની જે સમ્મતિ આપી છે તેને માટે હું એમને ઋણી છું અને તેથી એમની ભાવના ગુજરાતી વાચકવર્ગ સમક્ષ માટે મૂકવી જ જોઈએ એ મારું કર્તવ્ય માનું છું. ઉપર જણાવેલાં ત્રણે પુસ્તકના ઘણાખરા નિબંધે આમાં આવી જાય છે, પણ એમની સંમતિથી એ બધા નિબંધે કાળક્રમે એટલા માટે ગોઠવ્યા છે કે એમની ભાવનાનો વિકાસ કાળક્રમે કે તે તે જાણી શકાય. વળી પુસ્તકનું નામ જે રાખ્યું છે, તે પણ એમની જ સંમતિથી રાખ્યું છે. આશા છે કે ગુજરાત ભારતધર્મ સમજશે, હદયમાં ને કાર્યમાં ઉતારશે ને ભારતવર્ષનો ઉદ્ધાર કરી માનવધર્મને પરિપૂર્ણ કરવામાં પિતાને યથાયોગ્ય ભાગ-ફૂલ નહિ તે કુલની પાંખડી-અર્ધશે. તિનિકેતન નરસિંહભાઈ ઈશ્વરભાઈ પટેલ હોળી, સં. ૧૯૭૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034480
Book TitleBharat Dharm ane Andhara Rang Mahelno Raja
Original Sutra AuthorN/A
Author
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1936
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy