SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ મહારાજા શ્રેણિક જુવાન છે છતાં આમ કેમ ? કાંઈ સુંદર કપડાં નહિ, મેાજ મજાના સાધન નહિ? શું આપના પર કાર્ય એવું દુઃખ આવી પડયું છે કે કાષ્ઠની સાથે તકરાર થવાથી ચાલી નીકળ્યા છે ? ૭૪ મુનિરાજ—હે મહાનુભાવ ? મને કાંઈ દુઃખ આવી પડયું નથી. મારે કાઈની સાથે તકરાર નથી. પણ હું અનાથ છું એટલે ચાલી નીકળ્યો છુ. શ્રેણિક–શું તમે અનાથ હતા ? કાઈ તમારા નાથ ન થયેા ? કાઇએ તમારૂ રક્ષણ ન કર્યું ? મુનિ- હા, હું અનાથ હતા. મારૂં રક્ષણ કાઇએ ન કર્યું. શ્રેણિક—આશ્ચર્યની વાત ! આપ આવા તેજરવી ને પ્રતાપશાળી છતાં કાઈ આશ્રય આપનાર ન મળ્યું ! ખેર ! જો આપને જરૂર હોય તેા આપના નાથ હું થાઉં. સુનિ–પણ મહાનુભાવ ! તુ પાતેજ અનાથ છે ને મારા નાથ કેવી રીતે થઈશ ? શ્રેણિક-શું હું અનાથ! આપને મારી શક્તિની ખખર લાગતી નથી. હું મગધદેશના મહારાજા શ્રેણિક છું. મારે અસંખ્ય હાથી ધોડા ને પાયદળ છે. મારા તાબામાં લાખા ગામ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy