SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ સેવામતિ નંદી મરીશ પણ નંદીષેણને તે નહિજ પરણું. પિતાએ કહ્યું: તે હું બીજીને પરણાવીશ. એટલે બીજીએ પણ એમજ કહ્યું. એવી રીતે સાતેએ એ જવાબ આપે. આ સાંભળી નંદીષેણને પારાવાર ખેદ છે. એટલે મામાએ કહ્યું નંદીષેણું! ખેદ કરીશ નહિ. તને બીજી કોઈ કન્યા પરણાવીશ. પણ નંદીને ગળે આ વાત ઉતરી નહિ. તેણે વિચાર્યું જ્યારે મામાની દીકરી ના પાડે છે ત્યારે બીજી તો કોણ તૈયાર થાય ? હુંજ એ કદરૂપ. મને કોણ ચાહે? દુનિયાનું સુખ મારા માટે છેજ નહિ. બન્યું આ જીવતર ! હવે તો હાડહાડ થવામાં પણ બાકી રહી નથી. મામી હમેશ હડધૂત કરે છે. મામાની દીકરીઓ પજવવામાં બાકી રાખતી નથી. એટલે અહીં રહેવું નકામું છે. દિવસે દિવસે આ વિચાર મજબુત થયે. : ૨ : એક વખત રાત અંધારી ઘર છે. ચમક ચમક તારા ચમકે છે. તે વખતે હડધુત નંદીષેણ બહાર નીકળી ગે. હવે કયાં જઉં ? શું કરું ? આ કરૂં તે કરૂં ? એમ અનેક વિચાર કર્યા. પણ કાંઇ નહિ. નિરાશા ને ખેદથી ઉભરાતા હૈયે તેણે રાત બધી ચાલ ચાલજ કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy