SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિશ્રી હરિકેશ અર્થાત્ માત્ર માથું મુંડાવાથી શ્રમણ નથી થવાતું. માત્ર ઓંકાર બોલવાથી બ્રાહ્મણ નથી થવાતું. કેવળ જંગલમાં રહેવાથી મુનિ નથી થવાતું. કેવળ છાલનાં કપડાં પહેરવાથી તાપસ નથી બનાતું. એતો સમયાએ સમણે હેઈ; બંભરેણુ બંભણે. નાણેણ ઉ મુણિ હેઈ; તણ હોઈ તાવસે. એટલે સમતા હોય તે જ શ્રમણ થવાય છે. બ્રહ્મચર્ય હોય તોજ બ્રાહ્મણ બનાય છે. અને તપ હેય તેજ તાપસ બનાય છે. માટે હે ભાઈ તારા મનમાં જરાએ શંકા લાવીશ નહિ કે મારાથી કેમ ધર્મ થઈ શકે ! બળિયા પર આ ઉપદેશની જાદુઈ અસર થઈ. પિતે હલકે છે, નીચ છે એ માન્યતા ભૂલી ગયે. તેને લાગ્યું કે પિતાને પણ આત્મકલ્યાણ કરવામાં બધા જેટલેજ અધિકાર છે. અને તેણે બે હાથ જોડી મુનિરાજને વિનંતિ કરીઃ હે દયાળુ! આપે મારા પર મોટે ઉપકાર કર્યો. મારી સાચી શકિતનું ભાન કરાવ્યું. હવે મને આપનું જ શરણ છે. કૃપા કરી મને પ્રભુ મહાવીરને સેવક બનો. અને મુનિએ તેને દીક્ષા આપી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy