SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ચક્રવર્તી સનસ્કુમાર સુસ્તીથી પડેલા હતા. બીજા કેટલાક ઝાડે ભરડે દઈને ગળેલા પ્રાણીઓનાં હાડકાં ભાંગી નાંખતાં હતાં. આવા જંગલમાં શોધ કરતાં તે એક પછી એક દિવસ પસાર કરવા લાગે. ગુફાઓ ને કેતરો બધા શોધવા લાગ્યો. શું મિત્રને સ્નેહ ! મહેંદ્રસિંહને જંગલમાં રખડતાં આજે એક વરસ થયું છે. તેના કપડાંલત્તાં ફાટી ગયાં છે. માથાની હજામત વધી ગઈ છે. ભુખને થાકથી તેનું શરીર દુબળું થઈ ગયું છે. છતાં તે પિતાની ટેક છોડતું નથી. મિત્ર મળશે એવી આશાએ જંગલમાં ભટકી રહ્યો છે. એક દિવસ જંગલમાં તે ચાલ્યો જાય છે. ત્યાં સારસ, હંસ ને જળકુકડીના અવાજ સાંભળ્યા. એટલે અનુમાન કદ નજીકમાં કે સરોવર છે એટલે તે તરફ ચાલ્યો. ડીવારે ઠંડે પવન આવવા લાગે. કમળની ખુશબે આવવા લાગી. તેને પાકી ખાતરી થઈ કે કેઈ સુંદર સરોવર નજીકમાં જ છે. તે ઝડપથી ચાલવા લાગ્યું. અને તેના કાને સુંદર ગીતને અવાજ આવ્યો. વણ ને મૃદંગ વાગતાં સંભળાયાં. તેના આશ્ચર્યને પાર રહ્યો નહિ. આ જંગલમાં મંગળ શું? ગીતગાન શાં? તે સરોવર કિનારે આવ્યા. ત્યાં થોડે દૂર જુવાન બાળાઓનું ટેળું. વચ્ચે સનસ્કુમાર, અરે આ શું સાચું છે કે સ્વપ્ન છે એમ મહેંદ્રસિંહ વિચારમાં પડી ગયો. પણ બીજી જ ક્ષણે ચારણની બિરૂદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034477
Book TitleBal Granthavali Biji Shreni
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherDhirajlal Tokarshi Shah
Publication Year1931
Total Pages300
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy