SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૪૨) સુધા–બિંદુ ૧ લું. સંઘનું સાચું સ્વરૂપ છે. જૈન બાળકને ધાર્મિક સંસ્કાર : શાસકાર મહારાજા શ્રીમાન ન્યાયાચાર્ય થશે વિજ્યજી મહારાજ જ્ઞાનસાર નામના ગ્રંથમાં જણાવે છે કે આત્મા અનાદિ કાળથી કર્મને આધીન રહી ભવપરંપરા કર્યા કરે છે. એ માટે ગઈ કાલે જણાવ્યું છે કે જે, પિતાને જન બનાવવાને તૈયાર થાય તેણે, ગઈ કાલે જણાવેલી ત્રીપદી હદયમાં ધારણ કરવી જ જોઈએ. આજે તે દરેકને જન કહેવડાવવું છે, પણ એની જે ગળથુથી છે તે કેઈને પીવી નથી, અથવા પિતાના સંતાનોને પાવી નથી, તમને માલમ હશે કે દરેક બાળકને શરૂઆતમાં ગળથુથીમાં સાકરનું પાણી અપાય છે. પણ મોટા થયા પછી માણસને તેને ખ્યાલ રહેતું નથી. હવે જે બાળકને ગળથુથીમાં સાકરનું પાણી ન આપતાં તેને શીખંડ ચખાડીયે તે તેની શું દશા થાય? તે પ્રમાણે જૈનત્વની ગળથુથીમાં શું હોવું જોઈએ, તે તમારે વિચારવાનું છે. લાડુ પકવાન વગેરે સારી વસ્તુ છે, ખેરાક તરીકે તેનું મહત્વ ઉત્તમ, છે તેની કેઈ ના પાડી શકે નહી. પણ એ વસ્તુ સારી હોવા છતાં, નાના બાળકને એ ચીજ આપી શકાતી નથી, અને જે આપે છે, તે તેથી બાળકના આરેગ્યનું, સત્યાનાશ નીકળી જાય છે. બાળકને આ ખેરાક નથી પચતે, માટે શું એમ માનશે કે એ ખેરાકજ ખરાબ છે ? બીલકુલ નહીં. ખેરાક ખરાબ નથી. પણ જે બચ્ચાને ખેરાક આપવાનું છે તે બચ્ચાની અવસ્થાને એ ખોરાક અનુકૂળ નથી માટે નાના બાળકને આ જડ ખોરાક ન આપતાં તેના બાળપણને યોગ્ય ખોરાક આપવો પડે છે. એ પ્રમાણે બચ્ચાને ગળથુથીમાં ધર્મ આપવાને તમે શું ઉદ્યમ કરે છે? એને તમે વિચાર કરે આ પ્રશ્નનો ઉત્તર શૂન્ય સિવાય બીજું કઈ નથી. શ્રી જીનેશ્વરદેવને જે માને છે તે જન છે, આ વસ્તુ લાડવાના ખોરાક જેવું ભારી જમણ છે, અને નાના બચ્ચાંને આ ધામીક ખોરાક પચી શકે એવો નથી, તમે એમ સમજશો કે તમારું બાળક જૈન સાધુના વ્યાખ્યાનમાં જાય છે એટલે તે સંસ્કારવાળું બનશે પણ સાથે તમારે એ વાતને પણ ખ્યાલ રાખવાનું છે, કે જે ખેરાક તમે પચાવી શકે છે તે રાક બચ્ચાને પચી શકે નહી. બચ્ચું લાડવાનો ખોરાક ખાય તે તે મીઠે. લાગે છે, પણ એ ખોરાક તેને પચતું નથી તેજ પ્રમાણે વ્યાખ્યાન, સામાયિક, પ્રતિક્રમણ ઈત્યાદિ બચ્ચાંને સારા તે જરૂર લાગે પણ તેથી તેને આત્મા તૈયાર થ જોઈએ તે તૈયાર થાય નહીં. બચ્ચાને ગળથુથીજ આપી શકાય. તેજ તેનું હીત કરે, અને તેજ તેને પચી પણ શકે. તમે તમારા બચ્ચાંને માટે તેના એક ભવના જીવનને માટે વિચાર કરે છે તેને શું ખાવા આપવું, શું પીવડાવવું કેમ માટે કરો ઈત્યાદિ બધું વિચારે છે, પણ તેના અનેક ભવના જીવનને સુધારવાને માટે તમારે હાથે કંઈપણ કાર્ય ઘડતું નથી. જન પિતાની લાયકાત. જ્યાં સુધી સ્ત્રી બચ્ચાંનું લાલન પાલન કેમ કરવું એ વિષય શીખે નહી, ત્યાં સુધી તે માતા થવાને નાલાયક છે, તેમ તમે પણ જૈન પિતા બનવાને લાયક કયારે છે એ તમારે વિચારવું જોઈએ તમે તમારા બચ્ચાને જન બનાવવાને માટે તૈયાર ન હોય, અને તે શી રીતે બનાવે તે યોજના તમે શીખ્યા ન હોવ તો તમે જૈન પીતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy