SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ જs we w આનંદ-સુધાસિંધુ, સુધા-બિંદુ ૧ લું. કેને કહેવાય? સર્પ કે વીંછીની વેદના મટાડે, ઝેર ઉતારે તે જાગુલી,-તે એવી વેદનાના પ્રસંગે કઈ જાંગુલી આવે તે કેટલો ઉત્સાહ થાય? એ જાંગુલીને બેલાવીએ, તે ઉપચાર કરે અને વેદના મટવા લાગે તે વખતે જે આનંદ થાય તે આનંદ કે હોય છે? એનું વર્ણન કરી શકાશે ? નહિં કરી શકાય, કારણકે એ આનંદ અવર્ણનીય છે. એટલે બધે આનંદ શાથી થાય છે? કારણ કે વીંછીની અસહ્ય વેદનામાંથી મુક્તિ મળે છે. વીંછીનું ઉતરવું અને એ ઉતારવાની ક્રિયા તેથીજ આનંદ આપે છે. તે જ પ્રમાણે જ્યારે એ જીનેશ્વર દેવરૂપી જાંગુલી, સદગુરૂપી જાંગુલી વેદના મટાડનાર છે, કર્મરુપી વીંછીની વેદનામાંથી મુક્તિ અપાવનાર છે, એમ જાણીએ ત્યારે જે આનંદ થાય તે અવર્ણનીય હોય છે જ્યારે એ આનંદ થાય અને એ આનંદથી હાથ જ્યારે એ તરફ ઉછળી પડે ત્યારે સમ્યકત્વ થયું એમ ગણાય. અને એમ થવાથી જે સમ્યકત્વ થયું એનું જ નામ પ્રમોદ ભાવના. આમ મિત્રિ ભાવના અને પ્રમોદ ભાવના બે ભાવનાનું રહસ્ય શું છે, અને એ ભાવનાઓ શાને કહેવાય એ આપણે જોયું, અને હવે એ તમને સમજાયું હશે. કારૂણ્ય ભાવના. મૈત્રીભાવના, પ્રમેદભાવના અને એની પછી કારૂણ્યભાવનાનું દર્શન થાય છે, કારુણ્યભાવના કોને કહેવાય? કર્મના કાંટાની વેદના કેઈને થાય નહીં, આખું જગત એ વેદનાથી દૂર રહે એમ ઈચ્છવું, આખા જગતની એ વેદના દૂર કરી પ્રમોદભાવ પ્રગટાવ એટલું જ નહીં, એ ભાવના એથી આગળ વધે છે. જગતના જીવેને પીડા પમાડતી વીંછીની વેદના હું દૂર કરૂ, હું એ વેદના મટાડનારે થાઉં, મારી બનતી શક્તિ વડે જગતના જેને એ વેદનામાંથી મુકત કરૂં એવી જે ભાવના એ કારૂણ્યભાવના, પણ આ કારૂણ્ય ભાવના ને ઉપયોગ કેમ કરવો? એવું બને છે કે કેટલીકવાર અતિ દયાને લીધે કરવા જઈએ સીધું ને થઈ બેસે અવળું. એટલે એનો ઉપયોગ પણ સમય સમજીને કરવું જોઈએ. જગતમાં કેટલાંક પાપ એવાં હોય છે કે કરીએ ગુણાકાર ને હેય ભાગાકારને ભાઈ! ૧૦૦ ને . એ ગુણે તે ગુણ થયે કે દોષ? અપૂર્ણાકને ગુણકાર એ ભાગાકારને ભાઈ. આના કરતાં ૪ થી ભાગ્યા હતા તે શો વાંધે હતે, હિસાબ ગુણાકારને ને ફળ ભાગાકારનું. આ પ્રમાણે તમે કઈ જીવને કર્મના કાંટાથી બચાવવા જાઓ પણ તે બીચારે અંદર વધારે ફસાય એવું પણ બને. ત્યારે શું થાય ? એવા પ્રસંગે મોન પકડવાની જરૂર પડે. એકવાર એવું બન્યું કે કેઈ સ્થળે એક કુ હતે. પડશના ઘરને ચાર વર્ષને છેક રમત રમતે કૂવા પર ચઢી બેઠે. પગ કૂવાની અંદર ને બેઠે છે થાળ પર જરા ચૂક્યું કે કૂવામાં પડતાં વાર નહીં. જાનનું જોખમ આવી ઉભું રહ્યું. બાળકને તે આ જોખમનું ભાન કયાંથીજ હોય ? એ તે રમતના આનંદમાં મશગુલ હતે, પોતે કેવી ભયંકર રમત આદરી છે, એ સમજવાની એનામાં શકિત પણ નહતી પણ બીજા જે માણસેએ એને કુવા પર આ રીતે બેઠેલે જય, તેઓ તે સાચી સ્થિતિ તરત સમજી જાય. બાળક કે ખેલ ખેલી રહ્યા છે, અને તેનું પરિણામ શું આવે એ સમજતાં જેનારને તે જરા પણ વખત નથી લાગતે. દેખતાં વાર તે બાળકનું ભવિષ્ય તરત સમજી જાય છે. કૂવા પાસેના એક ઘરની બારીએથી એક માણસે આ દ્રશ્ય જોયું, જેઈને ચમકે તે ખરે, પણ માણસ ચતુર હતું એટલે કંઈ પણ બોલ્યું નહીં. તે મૂંગે મૂંગે નીચે આવીને ધીમેથી કૂવા પાસે ગયે ને પાછળથી બાળકને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy