SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. સુધા-બિંદુ ૧ લું. કર્મરૂપી વીંછી હવે વિચાર કરે કે એક વીંછીની વેદનામાં આ દશા થાય છે તે જેને કર્મચપી અનેક વીંછી સ્થળે સ્થળે કરડેલા માલમ પડે તેની શી દશા થાય ? તેને કેટલી વેદના થાય ? મિથ્યાત્વના કરેફર્મવાળાને આ વસ્તુ ન સમજાય તેને વીંછી કરડે તે શું ? તેને વીંછીને ડંખ માલમ ન પડે. કલેરફેર્મની અસરને લીધે વીંછીના ડંખની વેદના એને ન થાય. એને ન થાય પણ જેણે કરેફર્મ નથી સૂછ્યું તેનું શું ? મિથ્યાત્વના કલેરેમવાળો કહે કે વીંછી તે કરડતેજ નથી, અથવા કરડે છે તે એને ડંખ લાગતું નથી, ડંખ લાગે છે તે વેદના તે થતી જ નથી; એમ કહે, પણ તેથી કલોરે કેમ વગરનો માણસ એમ શા માટે કહે ? પેલાને વેદના ન સમજાય તેથી એને પણ ન સમજાય એવું કદાપિ પણ કહી શકાય ખરૂં ? એને તે દરેક સ્થળે ખ માર્યા છે. અનેક ડંખ માર્યા છે. એ કેમ એ ડખો સહી શકે ? વીંછીના ડંખ ઉલટા એની ચેતન શકિતને વધુ સતેજ કરે છે. વીંછી ને સાપમાં આ ફેર છે. વીંછી ચેતનાને જાગૃત કરે છે. નિયમિત ઉંઘને દૂર કરે છે, પિતાની સાચી સ્થિતિનું ભાન કરાવે છે. જ્યારે સાપ તંદ્રાવસ્થા લાવે છે. કવખતે નિંદ્રા લાવે છે. ભાન ભૂલાવી દે છે. કર્મના વીંછીનું આવું નથી. કર્મને વીંછી વેદના પણ કરે અને જાગૃતીને પણ નાશ કરે. કર્મને વીંછી ડંખે છે, વેદના ઉપજાવે છે, પણ એ ભાન સને થતું નથી. જેણે કરોફર્મ નથી સૂછું એટલે જેને જ્ઞાન થયું છે, તેને ડંખ લાગે છે ને ડંખની વેદના પણ તે અનુભવે છે; પણ જેને મિથ્યાત્વનું કરેફર્મ ચવ્યું છે તેને નથી કર્મના વીંછીને ડ ખ લાગતું કે નથી તેની વેદના થતી. કલેરોફે સુંઘાડીને કેઈના શરીરને અમુક ભાગ કાપી નાંખવામાં આવે તે કાપતી વખતે જેમ તે માણસને કલરફની અસરને લીધે કંઈ ખબર પડતી નથી, પરંતુ કલોરોફેમની અસર ઉતરી ગયા પછી કેટલું માલુમ પડે છે તેમ જ્યાં સુધી માણસનું મન મિથ્યાત્વની દશામાં ઘેરાયેલું હોય ત્યાં સુધી કર્મએ તેને કેમ રખડાવ્યો કેટલી ખુશીબતમાં મુક્ય, કેવા કેવા ડંખ દીધા અને કેટલી વેદના અનુભવાવી એનું ભાન થતું નથી. કલેરેમની અસર ઉતરે પછી કેટલું લેહી નીકળ્યું, કેટલું વજન ઘટયું વગેરે શરીરની સાચી સ્થિતિનું ભાન થાય છે. વિધ્યાત્વનું કલેરેફર્મ ઉતરે પછી આત્માને કર્મવછીએ કેવી રીતે હણે, શુભ વૃત્તિઓને કેવી રીતે નાશ કર્યો, જ્ઞાનાદિકને માર્ગે જતાં શી રીતે રોક્યો, વગેરે સત્ય વસ્તુનું જ્ઞાન થાય છે. જ્યાં આ કર્મના કંટકને વીંછીનું કંટક માન્યું ત્યાં સાથી પહેલે આ એકજ વિચાર આવે કે આ દુનિયાના ને ડંખથી હું કેવી રીતે બચાવું ? મૈત્રી ભાવના ગમે એવા વિરોધી હોય તેમને પણ કદી વીંછી કરડશે નહીં એવી મિત્રી ભાવના આખા જગતમાં કોઈને પણ વીંછીની વેદના થઈ નહિ હોય તેવાને થશે નહિ. વીંછીની અસહ્ય વેદનાને પૂરેપૂરો અભિપ લીધે હોય છે તેથીજ મનુષ્યને આવી લાગણી થાય છે. એ વેદનાને તે ભયંકર-જીવલેણ માને છે, વિછીના ડંખની વેદનાને તે નર્ક યાતના સાથે સરખાવે છે અને તેથી ઇચ્છે છે કે એવી યાતના જગતના કેઈ જીવને કદી ન થાય તે સારૂં. કર્મરૂપી વીંછીની વેદનાનું પણ આવું જ સમજવું. એનું પૂરેપૂરું ભાન જેને થાય છે તેને જ એનું સાચું સ્વરૂપ સમજાય છે ને એ સ્વરૂપ સમજાય છે તેથી જ એને એમ થાય છે કે આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy