SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૪૫) સુધાર્ષિ ૧૯, મને તે ગણતાંય નથી આવડતું, કારણ કે હું તે ભય નથી અને ગાય નથી ” બધું જ પાણીમાં. શેકે આ સાંભળી જવાબ આપે, “અરે ગધેડા! તારી જિંદગી પાણીમાં ગઈ ! આટલાં વરસ તું છો પણ તારાં સઘળાં વરસ નકામાં ગયાં! “શેઠની આ ગમે તેવી વાતચીત સાંભળી ખલાસીને બહુ લાગી આવ્યું પરંતુ તે જરા સમજુ, ઠરેલ અને સહનશીલ હતે. શેઠની ટીકા તેણે સહન કરી લીધી અને કાંઈ બે નહિ. એટલામાં દુર્ભાગ્યે એવું થયું કે પવનના સખત ઝપાટા આવ્યા અને હેડી ડામાડોળ થઈ રહી. ખલાસીએ હેડીને ઠેકાણે રાખવાના ભારે ચને કર્યો પરંતુ તેમાં તે સફળ થયે નહિ, લોકો ઉથલાઈને નદીમાં પડયા. વહાણ આગળ ખેંચાઈ ગયું. જેમને તરતાં આવડતું હતું તેઓ તે સઘળા તરવા લાગ્યા અને કાંઠે જઈ પહોંચ્યા. પણ પેલા શેઠજી તે ડબકા ખાવા લાગ્યા! પેલે ખલાસી પૂછે છે, “શેઠજી! તરતાં આવડે છે કે?” શેઠે જવાબ આપે, “ના!” ખલાસીએ પિતાને લાગ આવે છે એમ જાણીને શેઠને કહ્યું, “શેઠજી! જે તમને તરતાં નથી આવડતું ત્યારે તે તમારા વરસ પણ હવે પાણીમાં જવાનાં છે!” એક સ્થળે ઉપયોગી પણ બીજે નહિ. શે પિલા ખલાસીને તે માત્ર વ્યંગમાં કહ્યું હતું કે તમારા વરસે પાણીમાં ગયાં છે, પરંતુ પરિણામ એ આવ્યું કે શેઠ તરી ન શકયા અને શેઠના વરસો અને શેઠ બનેય પાણીમાં તળીયે જઈને બેઠા ! આ ઉદાહરણનું તાત્પર્ય શું છે એ સમજવાને યત્ન કરો. આ ઉદાહરણ તમેને આપવાનું પ્રયોજન એ છે કે એ ઉપરથી એમ માલમ પડે છે કે અમુક વસ્તુ અમુક એક સ્થળે જ કામમાં આવે છે ત્યારે બીજી વસ્તુ બીજે સ્થળે જ કામમાં આવે છે. પાણીમાં પડયા હેઈએ અને કેઈ બચાવી લેનારે ન હોય ત્યારે ભણેલાપણું કામ નથી આવતું, ત્યારે તે જે તરવાનું શીખ્યા હેઈએ તે તેજ કામ લાગે છે અને જે દુકાને માલ ખરીદવા ગયા હોઈએ તે તે સમયે પાણીમાં તરતાં આવડતું હોય તે કામ નથી લાગતું-તે સમયે ભણેલાપણાનીજ આવશ્યકતા રહે છે. એજ સ્થિતિ અહીં છે. જેમ પેલે ભણેલે શેઠ તરવાની વિદ્યાની અવજ્ઞા કરવાથી સમુદ્રમાં ડુબી ગયેલ હતું તેજ પ્રમાણે ભવસમુદ્રમાં ઉભેલા પણ જે તેઓ તરવાની કળાની અવજ્ઞા કરતા હોય તે અવશ્ય માનજે કે ડુબી જવાના છે! બધી ઉસ્તાદી બાજુએ આપણે કયાં ઉભા છીએ? આ મહાભયાનક ભવસાગરમાં. આપણી નૌકા પણ મહાભયંકર એવા ભવસાગરમાં પડેલી છે, તે એ વખતે ત્રિરાશિના ગમે તેવા મોટા હિસાબ ગણવા શીખ્યા હશે અથવા તે એલજિબ્રા ભણ્યા હશે તે કામ લાગવાનું નથી. એ વખતે તે એ ભવસાગર તરવાને માર્ગ જે ભયે હશે તેજ છત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy