SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ (૩૩૪). સુધાબિંદુ ૧૭. શિરીરનું ઓછામાં ઓછું પ્રમાણ. વચમાં સ્થાનકે ગમે એટલાં મોટાં હોવા છતાં, આપણે જાણીએ છીએ કે ઉત્કૃષ્ટ સ્થાન અને જઘન્ય સ્થાન હંમેશાં એકજ હોય છે. વચલાં સ્થાનકો તે જેટલા ઉત્કૃષ્ટ હોય તેટલા હોય છે. એજ દષ્ટિએ આગળ વધે તે સાફ જણાઈ આવશે કે આત્માની અપેક્ષાએ તે જે ઔદારિક શરીર રચે છે તે જે ઉત્કૃષ્ટ ઔદારિક હોય તે તે વધારેમાં વધારે એક હજાર એજનનું હોય છે. હવે બીજી તરફ તમારી દષ્ટિ જઘન્ય તરફ વાળે. જઘન્યના સ્થાનની સ્કૂલતા કેટલી છે તેને વિચાર કરે. હવે બંને છેડાના કેન્દ્રનો વિચાર કર્યા પછી મધ્યમસ્થાને અસંખ્યતા છે એ તમે સહેજે જાણી શકશે, પછી મધ્યમ સ્થાન ઉપરથી જઘન્ય ઉપર જઈ જઘન્યની સ્થિતિ વિચારશો તે માલમ પડશે કે ઉત્કૃષ્ટનું સ્થાન જેમ એકજ છે તેજ પ્રમાણે જઘન્યનું સ્થાન પણ એક જ છે, અને એ જઘન્યના સ્થાનની સ્થિતિ ઓછામાં ઓછા અમુક પ્રમાણુથી નાની નથી. ધારો કે સો ઉત્કૃષ્ટ હોય તે ૯૯૮,૭,૧૬ એ તેમના મધ્યમ સ્થાનક થયા એ મધ્યમ સ્થાનકેને આધારે નીચે ઉતરતા જઈએ તે જઘન્ય સ્થાન જ આવે છે. મધ્યમ સ્થાનકને વિચાર કરવાથી જઘન્યની ન્યૂનતાને ખ્યાલ આપણને સારી રીતે આવી શકે છે. હવે એવું જઘન્ય શરીર પ્રમાણે ઓછામાં ઓછું કેટલું હોઈ શકે તેને વિચાર કર. શરીરનું ઓછામાં ઓછું પ્રમાણ પણ શા ઠરાવેલું જ છે. એકજ શરીરમાં અનંતા છો. આગળનો જે અસંખ્યાત ભાગ તેટલું ઓછામાં ઓછું શરીર હોય છે. એથી એણું શરીર હોઈ શકતું નથી. જેમ નિગોદમાં અનંતાછો માન્યા છે તે જ પ્રમાણે શરીર પણ ઓછામાં ઓછા આગળના અનંતમાં ભાગ જેટલું હોય એમ તે આપણે માની શતાજ નથી. ત્યારે હવે તમને એ પ્રશ્ન મુંઝવશે કે શરીર આંગળના અનંત ભાગ જેટલું આપણે શા માટે માની શકતા નથી. એકજ શરીરમાં આપણે અનંતાછ માનીએ છીએ. એકજ શરીરમાં અનંતાજી રહેલા છે એ વાતનો કોઈ ઈન્કાર કરી શકતું નથી. તે પછી જઘન્ય શરીર પણ આંગળના અનંતમા ભાગે માનવામાં અડચણ શી? આંગળને અસંખ્યાતમે ભાગ માને કે અનંત ભાગ માને પરંતુ એ બને ભાગો જ્ઞાનીએ દેખવાના છે. એ ભાગો કાંઈ આપણે દેખવાના નથી, અને જ્યાં સુધી અસંખ્યાતમાં ભાગને પિતાની નજરે જોઈ શકે છે, તે જ્ઞાની મહારાજ તે અનંતમો ભાગ પણ સહજ જોઇ શકે છે, તે પછી અનંતમા ભાગે શરીર ન માનીએ અને શરીરમાં અનંતા જીવે હેવાનું વીકારીએ એનું કારણ શું? જીવ અને આહાર, આ૫ણી ઉપલી માન્યતામાં શાસ્ત્રો સંમત છે. શાસ્ત્રો માને છે કે જઘન્ય શરીર આંગળના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. છતાં આપણે તર્કથી આ વાત વિચારીને તે ગ્રહણ કરવાની છે. શરીર આંગળના અનંતમા ભાગનું બની શકતું નથી. જ્યારે છ આંગળના અસંખ્યાતમા ભાગમાં અનંતા રહી શકે છે. આ વસ્તુ સમજવી તમોને મુશ્કેલ છે પરંતુ તે સમજવાની ભારે જરૂર છે. આ વસ્તુ સમજવાને માટે શરીર બનવાનું કારણ શું છે તેનો વિચાર કરો. જીવ જે આહાર ગ્રહણ કરે છે તે આહાર શરીર બનવાનું કારણ છે. તે પછી શરીર અ૫માં અલ્પ કેટલું માનવું તેને જવાબ એજ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy