SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ આન-સુષાસિંધુ, (૩૨૫) સુધાબિંદુ ૧ લું. થાય છે. સંસાર છોડવાને જ છે એ નક્કી છે અને એ હુકમનામાની જાણ થઈ અને છેડી દઈએ તે કર્મભાર વધવ બચી જાય છે આટલું જાણ્યા છતાં પણ જેઓ હુકમનામાની રકમ ચુકવી આપવાની ના પાડે છે અર્થાત રાજીખુશીથી જ ઉભેપગે ત્યાગ કરતા પાછા પડે છે તેમને માટે એમ કહેવાને વાંધો નથી કે તેઓ આબરૂ વિનાના દેવાળીયાજ છે. શેરની કિંમત ક્યારે ઉતરે? શરીર છેડવાનું છે એ વાત જેમ ચકકસ છે તેજ પ્રમાણે શરીરની સાથે સંબંધ રાખનારાઓને રોવાન છે એ વાત પણ તેટલીજ ચોકકસ છે. આ શરીર અને તેને સંબંધ અને સંબંધીઓ એટલે એક લીમીટેડ કંપની છે. આ કંપની લીકવીડેશનમાં ગઈ કે તેના શેરહોલ્ડરને માથે ચફાળે લેવાને અને પિક મુકવાની એ પણ નકકી જ છે. શરીર એ કંપની છે અને એ શરીરના સંબંધીઓ માતા, પિતા, પતિ, પત્ની એ સઘળાં એ કંપનીના શેરહાઉડરે છે. શેરહોલ્ડરો જેમ કંપની સાથે લાભ ધરાવે છે કંપનીના હિતમાં તેમનું હિત સમાયેલું છે તે જ પ્રમાણે શરીરના સગાંવહાલાં રૂપી શેરહોલ્ડરોનું પણ શરીરની સાથે હિત છે શરીર ચાલતું રહે અને કમાતું રહેતે જ એ શરીર વારતહેવાર શીખંડ અને બાસુદી ઉંચકી લાવે અને શેરહોલ્ડરોને મઝા થાય ! જે કંપની બરાબર ન ચાલે તે શેરહોલ્ડરનું વ્યાજ પણ ખલાસ ! શેરની કિંમત ઉતરી જાય છે અને શેરહોલ્ડરે જે ભાવ આવે તે ભાવ લઈને પિતતાના શેર ફટકાવી મારે છે. સંસારના સ્વાથી સંબંધ. એજ સ્થિતિ અહીં સમજે. જ્યાં શરીર રૂપી કંપની પણ બરાબર ચાલતી બંધ થઈ, તમારી કમાણીમાં વાંધો આવે અને તમે તમારા સગાંઓના માજશેખ પુરા ન પાડયા ત્યાં તમારા શેરની કિંમત ઘટવા રૂપ તમારા ઉપરને નેહ તમારા કુટુંબીઓને સનેહ પુરે થશે, અને જેમ જે આવે તે ભાવ લઈને શેર ફટકાવી મારવામાં આવે છે તે જ પ્રમાણે તમારા સ્નેહીઓ પણ જે હાથમાં આવશે તે તમારી પાસે મેળવી લઈ તમને ઉંચા મૂકી ચાલતા થશે. પછી બહેન પણ તમને નહિ ઓળખે કે આ મારો ભાઈ છે, બાપ પણ ન જાણે કે આ મારો વંશજ છે, માતા પણ ભૂલી જશે કે આ મારો છોકરો છે અને ધણિયાણું પણ જરૂર ભૂલી જશે કે આ મારો ધણી છે! આ રીતે જયાં આ તમારી કંપની વ્યાજરૂપી બધાને પોષણ આપતી બંધ થાય છે કે તમારા સ્નેહી સંબંધીઓની પણ આવી દશા થવા પામે છે. તમારી કંપની લીકવીડેશનમાં જાય કે માથે ફાળે એાઢીને શેરહોલ્ડરોને રડવાનું છે એ વાત પણ સ્પષ્ટ જ છે. હવે આવા શેરહોલ્ડરે અને આવી કંપની તે કેટલો કાળ ટકે તે જરા વિચારજે. - છેવટે તે દેવાળું છે. કંપનીને તમે લીકવીડેશનમાં ન જવા દે તે શું થાય? પરિણામ એ આવે કે ખેટને ખાડે વધ્યાજ કરે, તેજ પ્રમાણે ત્યાગરૂપી તમારા સંબંધીને વિગ તમે ન સહી શકો અને તેને દીક્ષા ન લેવા દે અથવા તે પિતે ૫ણ દીક્ષા ન લે તે તેને કર્મને ભાર વધેજ જાય છે! કે જે ભાર બધે વ્યક્તિએજ સહન કરવાને છે. આ શરીરરૂપી કંપની મૃત્યુરૂપી નાદારી લેવાની છે અને તે સમયે ડાયરેકટર રૂપી સગા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy