SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૨૯) સુધા બિંદુ ૧ લું રહેશે અને આપણે છૂટા થઈ શકીશુંજ એ એ ભવિતવ્યતા ઉપર વિશ્વાસ છે કેઈપણ માણસ નજ મૂકી શકે. ધારો કે તમે જંગલમાં ગયા છે. જંગલમાં કઈ વાઘના હાથમાં તમે સપડાઈ ગયા છે અને વાઘ તમેને તરાપ મારીને ખાઈ જવાને માટે તૈયાર બની રહ્યો છે. વાઘે તમારા ઉપર તરાપ પણ મારી, પરંતુ તે તમારી ઉપર આવી પડે તે પહેલાં જ આકાશમાંથી વીજળી તૂટી પડી, ધડાકો થયો અને વાઘ મરી ગયે. તમારી રક્ષા થઈ. આ વખતે આકરિમક સચોગેને લીધે તમારી રક્ષા થઈ છે એ વાત સાચી છે પરંતુ શું એ રીતે દરવખતે તમારી રક્ષા થયા કરશે એમ તમે માની શકશે? મૂMઈ માનવામાં મુદો શું? અકસ્માતને યોગે એકવાર તમારી રક્ષા થઈ તેથી વારંવાર તમારી રક્ષા થયાજ કરશે એવું તમે માની લેતા નથી અને વાઘના પંજામાં આવી પડે એવી રીતે વારંવાર તમે જંગલમાં જવાનું પસંદ કરતાજ નથી, તેજ રીતે તમારે અહીં પણ સમજી લેવાનું છે. ભવિતવ્યતાને વેગે વળી તમે ગુલામી ભાગીદારીમાંથી છૂટીજ શકશે એમ માની લઈને કઈ પણ ડાહ્યો માણસ કે જે ભવિતવ્યતાને ગે એ ગુલામીમાંથી છૂટેલ છે તે ફરી ફરી એ ગુલામીમાં જવાનું પસંદ નહિજ કરે. જે કોઈ એ દાવે કરતા હોય કે ભાઈ! એકવાર ગુલામી ભાગીદારી કરે પરંતુ તે છતાં એ ભાગીદારીમાંથી ભવિતવ્યતાને ગેજ છૂટી ગયા ખરાને, માટે કરે સાહસ ! વળી એ ભવિતવ્યતાને ગેજ આપણે છૂટી જઈશું એ જે કઈ વિચાર કરશે અથવા તેવી રીતનું વર્તન પણ કરશે તે તેણે તે ખરેખર એક પ્રકારની મૂખઈ કરી છે તેમજ આપણે કહી શકીશું. આ રીતના વર્તનને આપણે મૂખાઈ અથવા દોઢ ડહાપણ કહીએ છીએ. હવે આવા વર્તનને આપણે મૂર્ખતા કયા મુદ્દાથી કહીએ છીએ તે વિચારજો. ભય રાખવાની જરૂર છે. અનંતાની ભાગીદારીમાં તમે બંધાયેલા હતા. એ ભાગીદારી માંથી તમને કઈ છોડાવી શકે એવું જ ન હતું. તમારા પિતાનામાં એવી શક્તિ ન હતી કે તમે છૂટી શકે. ત્યારે વિચાર કરે કે તમને કોણે છોડાવ્યા અને તમે કેવી રીતે છૂટી શક્યા? તમને જવાબ એકજ મળશે કે તમે કેવળ ભવિતવ્યતાને લીધે જ છૂટી શક્યા છે, બીજા કોઈ પણ કારણથી તમારો છૂટકારે થયે નથી. બીજું એક પણ કારણ તમને અનુકૂળ ન હતું. આવા સંજોગોમાં અને આ વખતે તો ભવિષ્યમાં પણ કેવળ ભવિતવ્યતાને આશરે રહી શકે ખરા કે તમને તાવ આવ્યો હોય, તાવને તમે એકવાર દાકતર અને દવાથી ટાળી શકે પરંતુ શું તેથી તમે તાવ પ્રત્યે બેદરકાર રહી શકશે અને ભલેને તાવ આવ્યો, દાકતર અને દવા છે ને, તે તાવ મટાડશે, એમ તમે માની શકશે નહિ. હવે વિચાર કરે છે જેના નિયમિત કારણ છે તેવા કારણે વાળા પ્રસંગો આવે ત્યાં તમે કરે છે તે પછી અનંતકાયના પ્રસંગથી તમારે પોતે શા માટે ન કરવું જોઈએ વારં? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy