SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ માનંદ-સુધાસિંધુ. (૨૮૮) સુધાબિંદુ ૧ છું. અજ્ઞાન દશામાં જે સકલ્પવિકલ્પરહિતાવસ્થા છે તે કલ્યાણુ આપનારી નથી” અર્થાત્ ખાલાનુસારિપણું એ મિથ્યા છે એવુ' સહુજ જણાઈ આવે છે. જેમ ખાલાનુસારિપણું ઇચ્છવા ચેગ્ય નથી તેજ પ્રમાણે તરૂણાનુસારિપથ્` પશુ ઈચ્છવા ચેાગ્ય નથીજ. તમે કહેશે. તે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ ત્રણેમાં તીવ્ર ઉદ્યમ કરી શકે છે તેજ જુવાન છે બીજો શરીરે અલમસ્ત તે જુવાન નથી, તેા પછી આવા જુવાન માણસને અનુસરવામાં અને તક્ષ્ણાનુસારિપણાની તરફદારી કરવામાં શુ' વાંધે છે ? વળી દીક્ષાના સંબધમાં કાઈ એવી દલીલ પણ કરી શકે છે કે દીક્ષા એ કાંઇ રમત જેવી ચીજ નથી. સંસારીની દૃષ્ટિએ તે દીક્ષા એ લાખ`ડના ચણા ચાવવા સમાન છે તેા પછી એ દીક્ષામાં ઘરડે ખાખરા કેવી રીતે પહેાંચી શકે ? અહીં તેા તરૂણ હોય તેજ કામ લાગી શકે! આચારાંગસૂત્ર શું કહે છે ? તમારી આ શકાના પણ જવાબ શાસ્ત્રકાર મહારાજાઓએ પુરીપુરી રીતે આપીજ રાખ્યા છે. જુવાનીમાં ચારિત્ર લેવાની યાગ્યતા છે એમ આપણે માનીએ છીએ. આચારાંગસૂત્રમાં પણ લખ્યું છે કે “મધ્યમવય” મધ્યમવય એ પદ ત્યાં લખ્યુ છે તે સબધમાં વ્યાજબી અધિકાર ધ્યાનમાં લેવા જોઈએ. આચારાંગસૂત્રમાં જણાવેàા એ પ્રસ`ગ વિચારવા સૈગ્ય છે. તેમાં જણાવ્યુ` છે કે એક સાધુ હતા. આ સાધુ એક વસ્ત્રથી, એ વજ્રથી અથવા તેા અચેલક રહેતા હતા. તે સાધુ એકવાર ગાચરી લેવા ગી. ત્યાં એને ઠંડી લાગી અને ઠંડીથી તે ધ્રુજવા લાગ્યા. સાધુને પ્રજતા જોઇ પેલા ગૃહસ્થને શંકા થઇ આવી કે આ સાધુ શા માટે ધ્રૂજતા હશે? શું તે ટાઢથી ધ્રૂજે છે કે મારી પત્નીને જોઇ તે વિકારવશ થઈને ધ્રૂજે છે? સાધુ મહારાજ અહીં પેલા ગૃહસ્થને ઉત્તર આપે છે કે હે મહાનુભાવ! હુ ઠંડીથી થરથરૂ છું, વિકારથી ધ્રૂજતા નથી. અહીં વિકારના કારણને સદ્ભાવ લાગે છે અને તેથી તેનુ નિવારણ કરવાની જરૂર પુરતુ અહીં સૂત્ર છે. ખાટી વીતડાંજ કરવી છે! આચારાંગસૂત્ર હૈ। કે બીજી. કાઇ સૂત્ર હા પરંતુ જેમને પ્રકરણ દેખવું નથી, પ્રકરણના પ્રસંગ દેખવા નથી અને માત્ર શબ્દો દેખીનેજ કુટાકુટ કરવી છે તેએજ ગમે તે સૂત્રના ગમે તેવા અર્ધાં કરી શકે. ખાકી ખીજા તે કાઇપણ પ્રસંગે અા અન નજ કરી શકે. આચારાંગસૂત્રમાં લખેલી મધ્યમવય તે આવા અભિગ્રહા અને આવી તપસ્યાઆએને માટેજ લાયક છે એજ આ પ્રસગના અથ છે. આવા પ્રસંગેામાં બાળક કે વૃદ્ધને અનુસરવું એ નકામુ' છે. બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થા અને આવા પ્રસંગેા માટે અચેાગ્ય હાઈ મધ્યમવય અહીં જરૂરની છે એટલેાજ શાસ્ત્રકારના કહેવાને માત્ર હેતુ છે. ‘યુવાન’નાઉત્સાહની તેા કેાઈનાથી પણ ના પાડી શકાય એવું છેજ નહિ. તે આશા અને ઉત્સાહનું પુતળું છે. આશા અને ઉત્સાહથી તે ભરેલા છે અને આશા અને ઉત્સાહ એજ તેનુ જીવન છે પર ંતુ તેજ સાથે એક એ વાત પણ યાદ રાખવાનીજ છે કે યુવાના વગર દારૂ પીધે સવાશેર દારૂની ઘેનવાળા હાય છે. યુવાનીની જો કોઈ સારામાં સારી વ્યાખ્યા આપી શકાતી હાય તે તે વ્યાખ્યા એ છે કે “યુવાની જે ક્ષળિય વિચારોનું સ્થાન ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat - www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy