SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદસુધાસિંધુ. ( ૩ ) જીંદગીથી કંટાળેલા અને મરવા માટે તત્પર થયેલા અને મરણના મુખમાં જનારા—આપઘાતના પ્રયત્નો કરનારા પણ કેટલાય ખચી ગયા છે. આ ઉપરથી આમાંથી શું સમજવું? એટલુજ કે જીવવાની ઇચ્છા હોય કે ન હેાય પણ જીવવું એ માણસના પેાતાના હાથની વાત નથી, જેમ મરણુ પામવાની ઈચ્છાવાળા જીવનથી કંટાળેલા માણુસા ઇચ્છા પ્રમાણે મરી શકતા નથી. તેમ દરેક જીવ મરણકાળ પર્યંત જીવવાની ઈચ્છા છાડતા નથી. જીવનથી કંટાળેલા જીવનની ઈચ્છાને અને જીવન સાથે કશે! સબંધ નથી, જીવનથી કંટાળેલે જીવનની ઇચ્છા ન રાખે છતાં જીવે છે; જીવવાની તૃષ્ણારાળા જીવવાની પ્રખળ ઇચ્છા રાખતા છતાં મરી જાય છે! તેા પછી જીવવાની ઇચ્છા કરવાનું પ્રયાજન શું? એવી નિરર્થક ઇચ્છા શા માટે રાખવી ? જે જીવવાની ઇચ્છા ન હેાય તેા પણ જીવે છે, ઇચ્છા હાય તા પણ જીવે છે તે ઈચ્છાને અને જીવનને શૈા સમધ ? આયુષ્ય મર્યાદા: સુધા-મિ'દુ ૧ લું. આપમેળે ધસી સાર કાઢવા ? આયુષ્ય હોય ત્યાં સુધીજ જીવી શકાય છે. એનાથી વધારે એક પળ પણ કેાઈ જીવી શકતા નથી, આયુષ્ય લાંબુ હોય તે મરણના કારણા હાવા છતાં તે મરતા નથી, અને આયુષ્ય પૂરૂ થયુ' હાય તે ગમે એવા મહાન્ પ્રયત્ન આદરે તાયે મરણુ દૂર ઠેલી શકાતું નથી, તે મરેજ છે, એટલે જીવવુ એકાઇના હાથમાં નથી. પરંતુ એ વસ્તુ કેવળ પૂર્વભવના કર્માંને આધીન છે. પૂર્વજન્મના કર્માનુસાર જેટલુ આયુષ્ય મેળવ્યું હોય તેટલું જ આ જન્મમાં છવાય છે, અને તેટલુ' તા કાટી ઉપાયે પણ જીવવુંજ પડે છે. દૃઢ સંકલ્પથી આત્માન્નતિ થાય, આત્માન્નતિને અંગેના કાર્યો સિદ્ધ થાય, પશુ જીવી ન શકાય. જીવવાના કે મરવાના દૃઢ સંકલ્પ જીવાડી કે મારી શકતા નથી. આ ઉપરથી સમજવાનું છે તે એજ કે જીવવું એ માત્ર આયુષ્ય કર્મને આધિન છે. આ વસ્તુનુ સ્વરૂપ તત્વ દૃષ્ટિએ કેવું છે તે જાણવા માટે આટલું વિવેચન કર્યું, પરંતુ આના દુરૂપયોગ કરનારા પણ જગતમાં ઘણા છે. સાચી વસ્તુના અનથ કરનારાથી દુનિયા ભરેલી છે. કેટલાક સાચી વસ્તુ સમજતાજ નથી, કેટલાક સમજવા છતાં તે સ્વીકારતા નથી ને ઉંધી માજી તરફજ દૃષ્ટિ કરે છે. એ પ્રમાણે કાઇ કહેશે કે આયુષ્ય પ્રમાણે જીવે છે, જીવનદોરી તુટયા વિના કાઇ મરતુ નથી તેા પછી ધર્માંધ અને શાસ્ત્રાને શું કરવા છે ? આયુષ્ય ખુટયા વિના કેાઈ મરતું નથી એ ખરૂ' આ સીધી અને સાદી વાત છે. પણ વાંકી દ્રષ્ટિએ જુએ તે ? માજઠ સીધા હોય પણુ ખુણા પરથી દ્રષ્ટિ કરે તેા વાંકેજ લાગે ને ? સીધી લીટીમાં લખે પણ કાગળ વાંકે રાખે તે ? એ મુજબ તત્વષ્ટિની વાત કેટલાને વાંકી લાગે છે. વાંકી એટલે કેવી રીતની વાંકી ? મુખ્ય મુદ્દાજ ખગાડી નાંખ્યા. મૂળ તત્ત્વનાજ અન કર્યાં અને તે ખુખ યુતિથી, એવી યુકિતથી કે સામાન્ય બુધ્ધિ તા એ ભ્રમણામાં ગોથાં ખાયાજ કરે. ઉધી દૃષ્ટિ એ આમ બન્યું. અહિંસા અને દયા એ બે ચીજના જગતમાંથી લેપ થયા કારણ કે સાચી વસ્તુને ઉંધી રીતે જોઈ. Rsિ'સા કરનાર દુ'સા કરે છે કારણ કે જેની હિંસા થાય છે તેનું આયુષ્ય પૂરૂ થયું હોય છે, તેના મરણુ કાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy