SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. સુધાબિંદુ છું. શરીર દ્વારા થાય છે એ વાત સાચી છે પરંતુ એ તપસ્યા પણ શરીર ઉપર કાબુ રાખનાર આત્મા જ કરે છે. ટેલીફેનનું રિસીવર હાથમાં લઈ તમે વાતચીત કરવા માંડે છે ત્યાં તમને તમારી સાથે બેલનારા માણસને અવાજ સંભળાય છે. અગર જો કે આ અવાજ તે પેલું ભુંગળું આપે છે પરંતુ ભુંગળા દ્વારા તમારી સાથે બેલનાર માણસજ વાતચીત કરી રહેલા હોય છે તેજ પ્રમાણે શરીરદ્રારાએ તપ થાય છે ખરું, પરંતુ એ તપ કરનાર પણ આમાજ છે. શરીરજ કાંઈ તપ કરી શકતું નથી. આ સઘળા ઉપરથી સ્પષ્ટ થાય છે કે તપ કરવું એ કાંઈ અજ્ઞાનીનું અથવા તે અસમર્થનું જ કામ નથી પરંતુ તે જ્ઞાનીનું અને સમર્થ માણસનું પણ કામ છે. અર્થાત જ્ઞાનીને અને સમર્થ આત્માને તપની જરૂર નથી એમ કહેવું સર્વથા ટુંજ છે. તપ એ ગયા ભવના ઘેર કમેને ટાળનારૂં હેવાથી સઘળાને માટે તપ એ જરૂરી ચીજ છે. તપ વિના ફળ નથી. ભગવાન શ્રી મહાવીરદેવ કે જેમની તપશ્ચર્યામાં કોઈ પણ જાતની શંકા નથી, જેમની શક્તિ અપાર અને અમેઘ હતી, જે ચાર જ્ઞાનના ધણી હતા, જેમને શુદ્ધ સમ્યકત્વની પ્રાપ્તિ થએલી હતી તેવા વીર પુરુષોને પણ તપશ્ચિયની જરૂર પડી છે. જે એવા મહાત્માઓ પણ તપ વિના ફળ નથી મેળવી શકયા તે પછી આપણે તે તપ વિના ફળ મેળવવાની વાત જ શા માટે કરવી? તપ વિના ફળ મેળવવાની તીર્થકર તેમાં પણ શકિત નહતી એથી સ્પષ્ટ થાય છે કે તપ વિના ફળ મેળવવાની આપણી પણ શકિત નથી જ ! જે આ શરીરને લુગડું માને છે, જે આત્માને પિતાને માને છે અને આ દેહને પારકી માને છે તેવા માણસો તો જરૂર એ ખેળીયા વડે–એ પારકી દેહ વડે તપ કરીને પિતાના આત્માનું કલ્યાણ કરી જવામાં જરા પણ ઢીલ દર્શાવવાના નથી જ જે આત્મા છવને અનાદિને માને છે તેને કબુલ રાખવું જ પડશે કે જે જીવ અનાદિને છે તે દેહ આદિની છે અને તેથી દેહ એ આત્માએ મેળવેલું લુગડું છે અથવા તળાઈ ઉપર ચઢાવેલું પેળીયું છે. તળાઈને ભેગે ખેળીયું ન જાળવે. જે માણસ દેહ રૂપી ખેળીયા વડે આત્મા રૂપી તળાઈ આચ્છાદિત થએલી માને છે તે આત્મા કદી પણ એ તળાઈને ભાગે બળીયાને સાચવવાનો નથી. ભલે મારી તળાઈ ગંદી થાય પરંતુ મારૂં ખેળીયું તે નવું નકર રહેવું જ જોઈએ એવું કહેનારે મૂર્બોજ હેઈ શકે. કોઈ પણ ડાહ્યો માણસ તળાઈને ભેગે પેળીયાને બચાવી લેવાની વાત કરવાને નથી તેજ પ્રમાણે કોઈ પણ સમજુ આત્મા દેહની રક્ષા કરવા માટે આત્માને પાયમાલ કરી દેવાને નથી! તે શરીરને ભેગેજ આત્માને બચાવી લેશે અને આત્માની સુંદરતા, મહત્તા અને પ્રતિષ્ઠાને જાળવી રાખશે. પરંતુ ખુબ યાદ રાખજો કે દેહને ભેગે આત્માને શણગારવાની, દેહને ભેગે આત્માને ભાવવાની, દેહને ભેગે આત્માની શાકત વધારવાની વાત તે તે જ માણસ કબુલ રાખશે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy