SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૨૪૧) સુધાબિંદુ ૧ લું કહેતું નથી કે તેને મુંઝા, ત્રિદેષ કે સન્નિપાત થયે છે, આટલું છતાં તે બધું આપણે દાકતરના કહેવા ઉપરજ એટલે “પુરુષ પ્રમાણુ તે તેનું વચન પણ પ્રમાણુ” એ સિદ્ધાંતને આધારે માન્ય રાખીએ છીએ પરંતુ જ્યાં ધર્મની વાત આવે છે ત્યાં દલીલ કરીએ છીએ કે ભગવાને કહ્યું તે ભલે કહ્યું, પરંતુ એમાંથી અમે તે તેટલું જ સાચું માનીશું કે જે વસ્તુ અમારા અંતરાત્મા પણ કબુલ રાખશે. આ કથન ઉપરથી તે સ્પષ્ટ રીતે એમજ લાગે છે કે જેઓ એવું કહે છે તેમની ધર્મપાલનની ઘાનતજ હોય એમ લાગતું નથી. કેઈ વિદેષથી પીડાતે દરદી વાયુના ઉન્માદમાં આવીને એમ કહે કે હું તે ત્રિદોષવાળે છું જ નહિ, મારા અંતરાત્મા તો મને એમજ કહે છે કે હું તદન નિર્દોષ છું અને મને દવાની જરૂર નથી હવે વિચાર કરે કે આવું બેલનારા દરદીને તેના ઈટમિત્ર હોય તે દવા આપવાની વ્યવસ્થા કરે છે કે દરદીનો આત્મા તેને દર્દ નથી એવું કહે છે માટે તેને દવાની જરૂર નથી એવું પ્રતિપાદવા બેસે છે? આવા સંગેમાં દરદીને સાચા મિત્ર અથવા તેને સાચે સનેહી તો તેને બળાત્કારે પણ દવા આપવાની જ આવશ્યકતા વિચારે છે. ધાર્મિક સનિપાતથી પીડાતા દરદીઓ તમારી શરીરપ્રકૃતિ તમારા હાથમાં ન હોય, ઉમાદથી તમે ઘેરાયેલા , વાયુના જોરમાં મસ્તાન છે તે સમયે જે તમારા માબાપ અથવા સગાસ્નેહી છે તે તમને બળાત્કારે પણ દવાજ આપે છે, તેજ પ્રમાણે તમે પણ જે જિનેશ્વરના શાસનમાં રહી ઉસૂત્રભાષી થયા , તે તમે પણ ધાર્મિક સન્નિપાતથી પીડાતા દરદી જ છો અને જે તમારે સાચે સ્નેહી હોય તે તે આ સંચોગામાં જરૂર તમને મેડહાઉસમાંજ મોકલી આપે ! મેડહાઉસમાં એ નિયમ કદી પણ પ્રચલિત કરી શકાતેજ નથી કે જે ગાંડ ખુશીથી દવા લે તેનેજ દવા આપવી અને બીજાને ન આપવી! ગાંડ દવા લે કે ન લે, તો પણ તેને બળાત્કારે દવા પાવીજ પડે છે, તે જ પ્રમાણે તમે મિથ્યાત્વાદિ ગાંડપણથી પીડાઓ છે આથી તમારા હિતૈષીઓની પણ ફરજ તે એજ છે કે તેઓ તમને બળાત્કારે પણ દવાજ આપે, અર્થાત્ બળાત્કારે પણ તમને ધર્મકાર્યમાં પ્રવૃત્ત કરે એજ તમારે સાચો નેહી છે. કેઈપણ માણસ એવો નથી કે જે ગાંડાભાઈને નગરશેઠની ખુરસી ઉપર બેસાડી દેવા તૈયાર હેય! મૂર્ખરાજની જગા તે મુખખાનામાં જ હોય છે. સિપાઈઓને ધર્મ શું? જેમ મુખને શેરબજારના શેઠની ખુરસી પર બેસાડી શકાતે નથી અને તેના મગજમાં જે આવે તેને જ પ્રમાણુ ગણી શકાતું નથી, તેજ પ્રમાણે જે માણસો મિથ્યાત્વાદિ દુર્ગણના રોગી છે તેમને માટે પણ એ નિયમ કરાવી શકાતું નથી કે તેમના મગજમાં જે આવે તે જ પ્રમાણ છે. ગાંડ પતે રાજસિંહાસન ઉપર ચઢી જાય અને ગમે તેવા ગાંડાઈ ભરેલા હુકમ કરે તે હુકમનો કઈ અમલ કરતું જ નથી, તેજ પ્રમાણે મિથ્યાત્વાદિ રોગથી પીડાતા માણસે કદાચ એમ બોલે કે અમારા હૃદયમાં આવે એજ સત્ય છે, તે તેમનું એ કથન પણ કઈ માન્ય રાખતું નથી, એટલું જ નહિ પરંતુ ગાડે માણસ તાજ ઉંચકીને ચાલવા માંડે તે સિપાઈની ફરજ તેને બળાત્કારે પણ તાજ લઈ જતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy