SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૨૨૬) સુયાબિંદુ ૧લું. જેટલું હોઈ તે પછી તાતકાળ મોક્ષની પ્રાપ્તિ છે. એકલી નિજ રાજ કયાં હોય? ચૌદમે ગુણસ્થાનકે કર્મને બંધ હેતે નથી માત્ર એકલી નિરાજ હેય છે. હવે ચૌદમા ગુણસ્થાનકે આવી સ્થિતિ કેમ હોય છે તેને વિચાર કરો. ચૌદમા ગુણસ્થાનકમાં પણ જે બંધનું કારણ હેય અર્થાત્ કે જે ચૌદમે ગુણસ્થાનકે પણ નવાં કર્મો બંધાતાં હોય તે વળી તે કોની નિર્જરા માટે નવા ગુણસ્થાનકની અથવા નવી અવસ્થાની જરૂર પડે છે અને એવી જરૂર આવશ્યક હેવાથી ચૌદમાં ગુણસ્થાનક પછી મેક્ષ છે એ વિધાન ઉડી જવા પામે છે, પરંતુ આપણે જાણીએ છીએ કે ચૌદમું ગુણસ્થાનક એ તે એવું સ્થળ છે કે જ્યાંથી સીધા મોક્ષમાં જ પ્રવેશ કરવાનો હોય છે અર્થાત ચાદમાં ગુણસ્થાનકમાં કર્મના બંધને સંભવ જ નથી. ત્યાં માત્ર કર્મબંધની નિજ કરવાની બાકી હોય છે! ચૌદમા ગુણસ્થાનકમાં પણ જે કર્મને બંધ હોય તે પછી મોક્ષની દશા અસંભવિત જ થાય. મોક્ષની પ્રાપ્તિ પહેલાં અમુક ટાઈમે એ કર્મને બંધ રેકજ જોઈએ છે. એટલે ચૌદમું ગુણસ્થાનક એજ એક એવી દશા છે કે જ્યાં નિર્જરા હોય છે પરંતુ બંધ હેતે નથી. ચૌદમાં ગુણસ્થાનક સિવાય બીજી એક પણ દશા એવી નથી કે જ્યાં એકલી કર્મનિર્જરાજ હોય, અને ત્યાં બંધ ન હાય !! ચૌદમા ગુણસ્થાનક વિનાનું કોઈપણ સ્થાન કર્મનિર્જરા અને કર્મબંધ એ બને વિનાનું હોતું નથી સંવર અને નિર્જરાનું કારણ મિથ્યાત્વને બંધ કે સંવરનું કારણ આપણે માની શકતા નથી, તેજ પ્રમાણે અવિરતિ, કષાય કે યેગને પણ આપણે સ્વતંત્ર સંવર કે નિર્જરાનું કારણ માની શકતા નથી, જે એથી ઉલટી માન્યતા આપણે રાખવા જઈએ છીએ તો સંવર અને નિર્જરાના ભેદમાં પણ આપણે નવા નવા ભેદ વધારવા પડે છે. તત્વજ્ઞાનની દષ્ટિએ એમ કરવું તદન અશકય છે. તેરમા ગુણસ્થાનકની સ્થિતિને વિચાર કરજે. તેરમે ગુણસ્થાનકે પહેલા સમયમાં કર્મ બાંધવામાં આવે છે, બીજા સમયમાં તેને ભગવટે થાય છે અને ત્રીજા સમયમાં તેને નાશ પણ થાય છે. તેરમા ગુણસ્થાનકે બંધ અને નિર્જરા ઈચછાપૂર્વકના નથી, પરંતુ તે પિતાની મેળે જ થયા કરે છે. તેરમે સ્થાને પણ બંધ હોય છે પરંતુ એ બંધ ઈચ્છાપૂર્વકનો હતો નથી. તે છતાં પણ એ બંધને આપણે બંધ માનવજ પડે છે. હવે ઈચ્છા વિનાનો કર્મબંધ કેવી રીતે ઘટે છે તેને વિચાર કરે કર્મ કરનારે પોતે કાંઈ જાણતું નથી, તે કાંઈ વિચાર કરતા નથી, તેના કાયાના પેગ પ્રવર્તતા નથી, તેણે કાંઈ પણ વચન કહ્યું નથી, તેણે કાંઈ ખરાબ પ્રવૃત્તિ કરી નથી. નિદ્રામાં એનું મન બોલતું નથી અને તેના કાયાની પ્રવૃત્તિ પણ થતી નથી તે પછી તેના હાથે કામ કેવી રીતે થાય છે ? અને જે આવી દશામાં કોઈપણ કાર થી કમેં થતાં હોય તે પણ કર્મો કરનારની સંપૂર્ણ અજ્ઞાનતા છતાં એ કર્મોને દોષ તેને કેવી રીતે લાગે છે તે પ્રશ્ન તપાસીએ. વિકાર કર્મબંધ સરજે છે. ઉંઘ સંબંધીનું જે દષ્ટાંત આપણે લીધું છે કે તે એક સર્વ સામાન્ય દષ્ટાંત છે, આપણને એવી શંકા સહેજે થાય છે. તે ઉંઘમાં માણસ પ્રત્યક્ષરીતે કર્મો કરતું નથી તે પછી મને બંધ એને શા માટે લાગે છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy