SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ - ર૧ એકવીસમા વ્યાખ્યાનમાં શ્રાવકના ર૫ ગુણો પૈકી “વૃદ્ધાનુસારીત્વ” ગુણ વિષે કહેવામાં આવ્યું છે અને એ ગુણને વાસ્તવિક અર્થ અને તેની ઉપયોગીતા સમજામાં છે. તે સમજાવવામાં બીજી અનેક બાબતને આપણને બોધ આપવામાં આવ્યું છે. (૧) મોક્ષાભિલાષી આત્માઓએ મુખ્યતયા શું વિચારવાની જરૂર છે, (૨) બત્રીશ ઠોકર ખાય તે બત્રીસ લક્ષણો થાય એ કહેવતને મર્મ શું, (૩) જ્ઞાનમૂલક અને અજ્ઞાનમૂલક સંકલ્પવિક૫રહિતપણને તફાવત. (૪) કેવલજ્ઞાની મહારાજાએ પંચેન્દ્રિયની સ્થિતિ દર્શાવતા ઉત્કૃષ્ટ, “સાત આઠ” ભવ રહે અને શરીરને અંગે બેથી નવ ધનુષ્ય હેય એમ કહેલું છે તે શા અભિપ્રાયથી, તેઓ જો સર્વજ્ઞ હતા તે આવું અનિશ્ચિત ઉચ્ચારણ કેમ કરે, (૫) ઉત્કૃષ્ટ સ્થાન અને જધન્યસ્થાન તે શું, (૬) કર્મમાં બળાત્કાર કરવાની શક્તિ નથી છતાંપણ જીવ તેને વશ કેવી રીતે થઈ જાય છે, (૭) નિર્લેપન કાળ તે શુંઆ અને આવી બીજી બાબત ઉપર ઠીક સમજ આપવામાં આવેલી છે. રર બાવીસમા વ્યાખ્યાનમાં ન દષ્ટિએ સંસી યાને વિચારવાને કણ અને અસંસી યાને વિચાર અન્ય કોણ તે સંબંધમાં ઘણું બધાયક વિવેચન કરવામાં આવ્યું છે. અનેક યુકિવ પ્રયુકિતથી સતિષકારક રીતે પુરવાર કરી બતાવ્યું છે કે પિતાના ભૂત અને ભવિષ્ય સહિત વર્તમાન જીવનને જે વિચાર કરે છે તેજ ખરેખર રીતે સંસી યાને વિચારવા કહેવાય, અને જે એમ કરતો નથી તે અસંસી ચાને વિચાર થી છે. આ ભવ સારો તો બધું જ સારું અને આ ભવ ખરાબ તો બધુંજ ખરાબ. એમ માનીને વર્તમાન ઈદગીને જ મહત્વ આપનારને લોકસંજ્ઞા લેવાનું શાસકારો જણાવે છે. અને તેવા વિચારમાંજ નાસ્તિકતાની જઇ રહેલી છે, અને તેથી જ મોક્ષના અથએ પોતાના આત્મ કલ્યાણને માટે પોતાની ભૂત, વર્તમાન, અને ભવિષ્યની જીંદગીને અવશ્ય ખ્યાલ કરે ઘટે છે એ આપણા દીલ પર ઠસાવવામાં આવ્યું છે. આ વિષય પરત્વે ચર્ચા કરતાં અનેક આનુષંગિક બાબતોની ચર્ચા કરવામાં આવી છે. ત્રેવીસમા વ્યાખ્યાનમાં ન શાસનુસારે વિચારવાળા કેણ કહેવાય તે વિષે વિશેષ અજવાળું નાંખવામાં આવ્યું છે. જેમને આત્મા, ભવ, અને કર્મ સંબંધી વિચાર આવ્યા હોય, જે તે વિચારોનું કળ લેવાને તૈયાર હોય, અને જેઓની તેવા પ્રકારની યથાશક્તિ પ્રવૃત્તિ હોય તેને જ જૈનશાસન વિચારવાળાની કટિમાં ગણે છે, પરંતુ આહાર અને શરીરને માટે વિચારે અને યત્ન કરનારાઓને આ શાસન વિચારશીલ માનતું નથી, એમ પ્રતિપાદન કરી, જીવનો સગાસંબંધીઓ અને બીજી વસ્તુઓ સાથે કેવા પ્રકારનો સંબંધ છે તેમજ પોતાના શરીર સાથે કેવા પ્રકારનો સંબંધ છે તે જણાવી એ સંબંધથી છુટા થવાનું કેટલું હિતકર છે તે આપણને અનેક દાખલા દલીલથી સચોટ રીતે સમજાવ્યું છે. આખરે શરીરને એક મેઈન્ટસ્ટોક કંપનીનું રૂપક આપી, આત્મા તે કંપનીને એજન્ટ છે, અને સગા સંબંધીઓ તેના શેર હોઇશે છે એવું જણાવી આ કંપની વધારે વખત ચાલુ રહે તો એજન્ટની શી દશા થાય અને ભવિષ્યમાં કેવાં દુઃખે તેને સહન કરવા પડે એ વિષય પર અત્યંત વૈરાગ્ય જનક ઉપદેશ આપવામાં આવ્યા છે. ૨૪ ગ્રેવીસમા નાખ્યાનમાં રામદષ્ટિએ વિચારવાળા અથવા સારી કાણ અને વિચારહીન અથવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy