SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૭૮) સુધાબિંદુ ૧ લું. તમારે ન્યાયે ન્યાય કર્યો છે. જેમ તમારે ગુન્હેગાર હું છું તેમ મારી ગુન્હેગાર મારી માતા છે! હું જ્યારે નાના હતા ત્યારે એક દિવસ માતાએ મારા શરીરને તેલ ચેપડ્યું હતું. એટલામાં બારણે તલની ગાડી આવી હતી. હું તે તેલ ચપડેલે શરીરે ગયે અને તલનો ઢગલે સારે લાગવાથી તલમાં આળોટ્યો. મારા આખા શરીરે તલ ચંટી ગયા. હજી જ્યારે ઘરે પાછા આવ્યું, ત્યારે મારી માતાએ મને શિખામણ ન આપતાં મારા શરીર પરના સઘળા તલ લઈ લીધા ! પછી તે જ્યારે જ્યારે પીઠમાં તલના ગાડાં આવતાં હતાં ત્યારે ત્યારે મારી મા મારા શરીરે તેલ ચોપડતી હતી અને મને તલના ઢગલામાં આળોટવા મોકલતી હતી. આ રીતે માતાએ સૌથી પહેલાં મને તલાર બનાવ્યું હતો તે પછી તે હું તલ પરથી સરકારી ચોરતો થયો અને પછી છેવટે મોટી ચોરીઓ કરતાં શીખે. એ રીતે પાપના ક્ષેત્રમાં હું ધીમેધીમે પ્રવેશતો જતે હવે અને આજે પરિણામ એ આવ્યું કે મારે શીરે ફાંસીની દોરી લટકે છે. તમે ક્યાં અને બીજા કયાં? પેલા ચારની આ કથની તદન વ્યાજબી હતી આ ઉપરથી એજ સાબીત થાય છે કે છોકરાઓને જે કુસંસ્કારો પડે છે તેને માટે બીજું કોઈ નહિ પણ છોકરાઓના વાલીઓ અથવા તેના માતાપિતાજ જવાબદાર છે. એજ રીતે ધાર્મિક વિષયમાં પણ જે બાળકે કુસંસ્કારી નીકળે છે અને ધર્મની સામે આંખે કાઢીને ઉભા રહે છે તે માટેની પણ સાચી જવાબદારી માતાપિતાની છે. આજના માબાપ બાળકને ધર્મની કેળવણી આપે છે. નથી આપતા એમ ન;િ પરંતુ એ ધર્મની કેળવણી એવી વિચિત્ર રીતે આપવામાં આવે છે કે જેથી તમે અનાજ સેકીને વાવે છે એમજ કહી શકાય! ધર્મની કેળવણું આપ છો ખરા, પરંતુ તે કુરસદને વખતે. જે નવરાસ મળે તે ધર્મના બે આંકડા ભણે ન ભણે તે ઠીક ! પણ આખો દહાડે કરે નિશાળે તે જજ જોઈએ. આવા ધાર્મિક શિક્ષણનું કશું પણ મૂલ્ય થતું નથી. દુન્યવી શિક્ષણ એ તમારી મુખ્ય ચાવી છે. મુખ્ય ધ્યેય તરીકે તમે તમારું દુન્યવી શિક્ષણ કાયમ રાખે છે અને વધારાના સમયમાં ધર્મના શિક્ષણની વાત કરે છે. આવી પરિસ્થિતિ જ્યાં સુધી કાયમ છે ત્યાં સુધી શાસનના વિરાધકે જરૂર પાકયેજ જવાના છે ! આ સ્થિતિમાંથી તમારે ઉગરી ગયેજ થ્થકો છે. તમે સઘળા બીજી બાબતેમાં જેનકામને અને અન્ય કોમને સરખાવે છે અને બૂમાબૂમ કરી મૂકે છે કે જેમાં બાળવિધવાઓ વધારે છે તેને કાંઈ રસ્તો નીકળતું નથી. ફલાણું આમ છે તેનું કાંઈ બનતું નથી પરંતુ તમે ધાર્મિક શિક્ષણની બાબતમાં તમારી જાતને બીજા સાથે સરખાવતા નથી? કાઠીયાવાડ જેવા પ્રાંતની જ વાત ! સેંકડો મુસલમાનોના મદ્રેસાઓ જ્યાંત્યાં સ્થપાએલા છે. એક પણ પારસીગામ એવું નથી કે જ્યાં પારસી ધર્મના સિદ્ધાંત બાળકોને શીખવાતા ન હોય! ધર્મવૃત્તિ જાગૃત શાથી રહે? હવે આ સ્થિતિનું પરિણામ વિચારજે. તમે કેટલા પારસી અને તેના ધર્મના સિદ્ધાંત વિરૂદ્ધ જતા જોયા છે? ગમે તે માતબર પારસી શ્રીમંત હોય પરંતુ ભાગ્યે જ તેને મોઢામાં તમે સીગાર કે ચીરૂટ જોઈ શકશો ! મુસલમાની સ્થિતિ જુવે. દિલ્હીમાં એક મુસલમાન અમુક વાત જાહેર કરે છે કે બીજે જ દહાડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy