SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૫૮) સુધાબંદુ ૧ લું. શીશમેહની દશા કેવી હોય છે? પેટમાં ભાર હોય, પેટ અનથી ખીચોખીચ ભરા એલું હોય, શૂળ મારતા હોય, તે છતાં દાકતર આવે છે એટલે તે અજીર્ણના દરદીને સંભવિત છે કે ઝપાટાબંધ જુલાબ આપી દે છે! પિટ ભરઉં તો છે અને પિટ ખાલી કરવાની જરૂર પણ છે જ, તે પછી દાકતર જુલાબથી વળી પેટ શા માટે ભરાવે છે? જુલાબ પિતે બોજારૂપ છે પરંતુ દીવેલને એ સ્વભાવ છે કે બીજા પતા ને કાઢવા સાથે તે આપોઆપ જ બહાર નીકળી જાય છે! ભવસાગરમાં ગોથા ખાના મા, બાપ, બૈરી, છોકરાં, પૈસે વગેરે ઉપર મોહ રાખે છે, આ તેના મોહને નાશ કરે છે, તે માટેજ પહેલાં તેને ઉપદેશ, દેવ ગુરુ અને ધર્મ ઉપર રાગ ઉપજાવવો જોઈએ. દેવ, ગુરુ અને પ ઉપર રાગ એ પણ બેશક મેહ તે છેજ! પરંતુ એ મોહ જેમ યથાકાળે પેટમાં ગએલું દીવેલ પિટમાંનો કચરો સાફ કરીને આપોઆપ નીકળી જાય છે, તે જ રીતે દેવાદિક ઉપર મોહ પણ યથાકાળે નાશ પામે છે. જે આત્માને દેવાદિક ઉપર રાગ નથી, અરે! સમ્યગ્દર્શનાદિ ઉપર પણ જેને રાગ નથી તેવા આત્માને શાસ્ત્ર “લીપોઝ” કહે છે જે આત્માનો મેહ ક્ષીણ થયે છે તેને તે સમ્યગદર્શનાદિ ઉપર પણ મોહ નથી કિવા દેવગુરુ ઉપર પણ મોહ રહે તે નથી. સામાન્ય જીવો માટે આ સ્થિતિ એ ઈષ્ટપ્રાપ્તિ માટેની સીડીનું બીજું પગથીયું છે. પહેલું પગથીયું વાદિક ઉપરનો મેહ છે અને તે મોહ પણ જ્યારે ક્ષીણમેહની દશા આવે છે ત્યાર આપે આ૫ ઓગળી જાય છે. પ્રશસ્ત રાગદ્વેષ એટલે શું? મહના બે પ્રકાર છે. અપ્રશસ્ત અને પ્રશસ્ત મહ. - પદગલિક વસ્તુઓ અને તે મેળવવામાં જે પ્રીતિ તે સઘળો અપ્રશસ્ત છે અને દેવ, ગુરુ અને ધર્મ ઉપરની પ્રીતિ એ પ્રશસ્ત છે. જેના ઘાતિને સમહ નાશ પામે છે તેવાઓને પ્રશસ્ત મોહ પણ હેતેજ નથી પરંતુ જે આત્મા ઘાતકર્મથી અંધાએલો છે તેવા આત્માને ઘતિકર્મ રૂપી પેટમાં રહેલા અનના બેજાને બહાર કાઢવા માટે પ્રશસ્ત મેહરૂપી દીવેલની આવશ્યકતા છે જ અપ્રશસ્તમેહને ટાળવા માટે તેને બહાર કાઢવા માટે પ્રશતનેહની જરૂર છે, પછી અપ્રશસ્તાહ જ્યાં નીકળી જાય છે કે તેની સાથે જ પ્રશસ્ત મોહ પણ નીકળી જાય છે. પ્રશરત રાગદ્વેષને નાશ કરવા માટે બીજી કોઈ વસ્તુની ચા ઉપદેશની જરૂર પડતી નથી. દેવાદિક ઉપર રાગ, જ્ઞાન, દર્શન ચારિત્ર ઉપરને રાગ અને જગતની પૌગલિક વરો પરત્વેને દ્વેષ એ સઘળાને રાગદ્વેષ કહ્યો છે પરંતુ તે રાગદ્વેષ પ્રશસ્ત છે એવું કયારે માનવું તેને વિચાર કરો. એ રાગદ્વેષને ટાળવાને માટે જે ઉપદેશની જરૂર જ નથી પડતી તેજ એ રાગદ્વેષ એ પ્રશસ્ત રાગદ્વેષ છે અન્યથા નહિ. અરિહંત, સાધુ, બ્રહ્મચારી એ સઘળાઓમાં જે રાગ છે તે “ક્તિ જાગો જાગો જાદુ મકાનg r પ ર અઝRINT Rા” પ્રશસ્ત પણ કહેવાય છે, અને એ રાગને ટાળવાને માટે ઉપદેશની જરૂર હોતી નથી. એ સિવાયને બીને રાગ તે અપ્રશસ્તરાગ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy