SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ખાન'દ સુધાસિંધુ. તમારા માપથી દુનિયાને માપશે। નિહ. ( ૧૫૬ ) સુધાબિંદુ ૧ લું. હવે જે લેાકેા એમ કહે છે કે મેહં માત્ર પલટા ખાઇ શકે છે પરંતુ તે ટાળી શકાતા નથી તેનું દૃષ્ટિબિંદું વિચારીએ. ઝવેરીના પંદર વરસના છેકરા હોય તે તે છોકરા પણ હીરા, મેાતી વગેરે રત્નાને પારખી શકે છે, તેની કિંમત કરી શકે છે અને તેના જુદાજુદા વળ પાડીને તેનું વેચાણ પણ કરી શકે છે. બીજી બાજુએ કાછીયા, કાળી, દુબળા વગેરેને જન્મ પૂરા થાય, તા પણ તેઓ સાચા મેાતી અને મીણીયામાતીને પણ પારખી શકતા નથી. હવે આવી રીતે અજ્ઞાનપણામાં આખી જિંદગી પૂરી કરેલેા માણસ-જાતના કાછીયેા એમ કહેવા તૈયાર થાય કે : “અરે! મારી જિ'દગી ગઇ, તે છતાં હું જી સાચા કે જીઠાં મેાતીને નથી પારખી શકતે, તા આ ઝવેરીના પદર વરસના છેકરા તે મેતી પારખી શકવાના હતા! પારખ્યા પારખ્યા એણે મેાતી !” કાછીયાને આવા વિચિત્ર અવાદ આપણે લક્ષ્યમાં લેતા નથી. પંદર વરસના ઝવેરીના છેકરાને ભરસે આપણે હજારાના અવાહિરની લેવડદેવડ કદાચ કરી શકીએ છીએ, પરંતુ એ ખામતમાં આપણે કાછીયાને પ્રમાણભૂત માનતા નથી. એજ સ્થિતિ મેઢુ પરત્વે પણ છે. ઝવેરીને છેકરા ઝવેરાત પારખી શકે છે, એનું કારણ એ છે કે તે એના ગુણુદોષ પારખી શકે છે. એજ ન્યાયે જે માદ્ધના ગુણદોષ અને તેનું સ્વરૂપ પારખી શકે છે તે સઘળાજ માહને યથાકાળે છેડી પણ શકે છે. પેાતાની જાત ઉપરથી જેએ આખા જગતનું અનુમાન કરે છે તે ફૂટપટી લઇને પૃથ્વીના પરિઘ માપવા નીકળેલા મૂર્ખાએ જેવા છે. ફૂટપટીથી પૃથ્વીને પિરઘ માપી લેવા શ્રમ સાધ્ય છે ? અને વીતરાગ આવતા નથી !” જગતનું અનુમાન આપણી સ્થિતિ ઉપરથી કરીએ, તા પશુ જે વસ્તુની પરીક્ષા કરવી હોય તે વસ્તુના સ્વભાવ તેના આસપાસના સચેગેા અને તેની સ્થિતિ ધ્યાનમાં લેવાવી જોઇએ. પેાતાના બારણામાં આંબાનુ ઝાડ હાય, એ ઝાડનું ફળ મીઠું હાય છે; તેથી જગતના તમામ વૃક્ષના ફળે મીઠાં છે, એ માન્યતા મિથ્યા છે. તેજ પ્રમાણે હું માડ છેડી શકયા નથી, માટે જગત પણ માહ છેડી શકે નહિ; એમ કથન કરવામાં મહાભયાનક મિથ્યાત્વને નિવાસ છે. સીત્તેર વર્ષના અભણ કણુખી ચાર લીટી પણ વાંચી શકતે નથી માટે તે એવું અનુમાન કરી લે કે સીત્તેર વર્ષ સુધીના માણસ ચાર લીટી વાંચી લખી ન શકે, તે તેને આવે! તર્ક મિથ્યા છે ! થોડા સમય ઉપર આવેાજ તર્કવાદ કરીને એક અજૈનગૃહસ્થે જૈનાની માહુ સંબધીની તત્વજ્ઞાનની દિશાપર ખાટા હુમલા કર્યાં હતા. આ ગૃહસ્થ જૈન તત્વજ્ઞાન ઉપર હુમલેા કરતાં જે શબ્દો ઉચ્ચાર્યા હતા, તે શબ્દો ખરેખર પેલા સીત્તેર વર્ષોંના મજુરની યાદ આપે એવા છે ! મા ગૃહસ્થે જણાન્યુ હતું કે: “કયા જૈન એમ કહે છે કે હુ' વીતરાગ થયા છું? મને સીત્તેર વર્ષના ડાસાને વીતરાગ નથી આવતા, તે શુ' પાંચ વર્ષના જૈન છેાકરાને વીતરાગ આવવાના હતા ?” આ ટીકાકાર ગૃહુસ્થની દયા ખાધા સિવાય બીજો ઉપાય નથી. જેને પેાતાને વીતરાગ અને વૈરાગ્ય એ બે શબ્દોના ૠભિન્નત્વનું પણ જ્ઞાન નથી તેવા માણસ જૈનાચાર ઉપર ટીકા કરવા નીકળે છે, ત્યારે સહેજે ચાળણી કરડવાને હસે છે કેઃ “ તું તે કાણાવાળા છે ને ! ” આવી ચાળણીની મનેદશાને ખ્યાલ આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy