SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૪૬) સુધાબિંદુ ૧લું. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ. પરન્તુ તમે બધા તમારા રોજના અનુભવ ઉપરથી બરાબર સમજતા હશે કે ઘણય માણસે સાચું સમજવા છતાં સાચું આચરણ કરી શકતા નથી. ઘણી વખત મૂળને ઉદ્દેશીને પ્રારંભ કરવામાં આવેલા પ્રયત્ન, ડાળાઓને વળગવામાં અને પાંદડાઓને મેળવવાની તમન્નામાં વેડફી નાખવામાં આવે છે, અને એ પ્રયત્નનું ધાર્યા કરતાં જુદા જ પ્રકારનું પરિણામ આવે છે. ઘણુંય વખત માણસો મૂળ વસ્તુને મેળવવાના પ્રયત્નમાં મૂકીને ભૂલીને એના પડછાયાના ઉપાસક બની જાય છે ! મહાનુભાવો! આ વાત કંઈ નવી નથી. તમારા બધાના રેજના અનુભવની વાત છે! ધર્મની બાબતમાં પણ આ વાતમાં અપવાદ નથી થયો. ત્યાં પણ ધમરાધનાનો મુખ્ય ઉદ્દેશ અળગો મૂકીને નજીવી વસ્તુઓને મેળવવાની લાલસામાં ધર્મને ઉપયોગ કરવામાં આવે છે! ખેડુત ખેતી કરે છે તે ઘાસ માટે કે કડબ માટે નહિ! ખેતીને મૂળ ઉદ્દેશ તે અનાજ પેદા કરવાને હવે જોઈએ. જેમ અનાજ વધારે થાય એમ ખેતી વધારે સફળ. ઘાસ અને રાડા એ તે ખેતીને આનુષંગિક લાભ છે. એવા આનુષંગિક લાભને કદી પણ મુખ્યપણું નજ આપી શકાય! ગમે તેવી સ્થિતિમાં પણ એ તે ગણજ રહેવાનું! એજ પ્રમાણે ધર્મમાં પણ ધર્મને મુખ્ય ઉદ્દેશ સંસારભ્રમણને નાશ કરવાને છે! બાકી એ ધર્મનું આરાધન કરતાં કદાચ ધનધાન્ય, વૈભવવિલાસ કે ઋદ્ધિસમૃદ્ધિ જેવી સાંસારિક વસ્તુઓ આવી મળે તો ધર્મનું આનુષંગિક ફળ ગણવું જોઈએ. નહિ કે ધર્મનું મુખ્ય ફળ! ધર્મનું મુખ્ય કી તે આત્માપ્તિજ છે ! વળી જે માણસને અદ્ધિસમૃદ્ધિની પ્રાપ્તિ થઈ હોય તેને, ખેતરમાં પૂરવામાં આવતા ખાતરની માફક, ધર્મની વધુ પ્રાપ્તિમાંજ ઉપયોગ કરવાનો હોય છે! નહિ કે એ મળવાથી ધર્મને સફળ થયો માનીને શાંત પણે-નિષ્ક્રિય થઈને–બેસી રહેવું! ખાતરને મેળવીને કદીપણ કઈ ખેડુત સંતોષ માને ખરે કે? વસ્તુસ્થિતિ આમ હોવા છતાં કેટલાય માણસે કેવળ અહિક સુખ માટેજ ધર્મનું આરાધન કરે છે. મુક્તિ માર્ગને તે માત્ર વાતનેજ વિષય બનાવીને ધનધાન્યાદિકને જ પિતાના ધ્યેયરૂપ માનીને એ મેળવવા માટે ધર્મનું સેવન કરે છે, અને આજ ખરે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિને ભેદ છે. એક આત્મિક સુખને લક્ષીને ધર્મ કરે છે, બીજે સાંસારિક સુખ માટે ધર્મ કરે છે. એક આત્માને નિર્લેપ, કર્મફળ રહિત અને મુકત બનાવવા માટે ઉદ્યમ કરે છે, બીજે દેવેંદ્ર નરેદ્ર કે એવી પદવી મેળવીને બસ આ સંસારના સુખવિલાસ ભેગવવાની ભાવનાથી પ્રેરાઈને ધર્મ કરે છે. અલબત્ત ધર્મ અને કરે છે છતાં બનેની ભાવનામાં આટલું મેટું અંતર “ચાકરી માવના, સિદ્ધિર્મવતિ તાદશી” એટલે કે મન માગે એવું મળે, મહાનુભા! સંસારમાં ઉંચનીચ, સારા ખરાબ, સાચા બેટા ગણાતા માણસમાં કઈ બાહા લક્ષણ નથી હતું. માત્ર ભાવનાની શુદ્ધિ અશુદ્ધિ ઉપરજ આ બધા ભેદે રચાયેલા છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિમાં પણ એજ સમજવાનું છે. પહેલા પાકને ચાહે છે, બીજે ખાતર લઈને ખુશ થાય છે, અથવા બીજા શબ્દોમાં કહીએ તે-સાથને સાધ્ય માને તે સમ્યગ્દષ્ટિ અને સાધનને કે સાહ્યાભાસને માને તે મિથ્યાદષ્ટિ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy