SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૩૯) સુધાબિંદુ ૧ લું. રની જ વસ્તુ છે. સંખ્યાની દષ્ટિએ શાસ્ત્રકારોએ મનુષ્યની સંખ્યા કરોડ, અબજ કે પરાધ જેટલી ન રાખતાં એના કરતાંય વધી જાય તેટલી રાખી છે કે સંખ્યાના આંકડા ૨૬ જેટલા રાખવામાં આવ્યા છે એટલે મનુષ્યની સંખ્યામાં તો કે ઈપણ પ્રકારની ઉણપ નથી જ દેખાતી ! અને એ મનુષ્યપણાની માલીકી પણ કઈ વ્યક્તિવિશેષની નથી જ કારણ કે જેનશાસનમાં કર્તા ઇશ્વર જેવી કઈ વસ્તુની કલપનાજ નથી કરવામાં આવી કે જે મનુષ્યપણાની માલીકીને ભેગવી શકે? આપણા રેજના વ્યવહારમાં તે જરૂર જોઈએ છીએ કે અમુક વસ્તુને માલીક અમુક માણસ છે-આ દાબડી દેવદત્તની છે. આ પેટી ઉપર યજ્ઞદત્તને અધિકાર છે. આ મકાન ઉપર ગોપાળની માલીકી ચાલે છે, પણ મનુષ્યપણું એ અમુકની પિતાકી મિલ્કત છે એવું આપણે કદી સાંભળ્યું નથી. એટલે કે-ટૂંકમાં મનુષ્યપણાની ન તે ઓછપ છે કે ન તે એ કઈ વ્યકિતવિશેષની પિતાની સંપત્તિ છે. છતાં પણ મનુષ્યપણાની પ્રાપ્તિને મુશ્કેલ કેમ ગણવામાં આવી છે? આ આખાય લાંબા સવાલને એક ટ્રક અને સચોટ જવાબ આ સુવર્ણના દાંતથી સહેજે સમજાઈ જશે, જમીન નીચે–ખાણમાં–રહેલા સેનાની દુનીયામાં કશી ખામી નથી. હજારો મણ સેનું બહાર કાઢવામાં આવ્યું છે અને હજીએ નીકળેજ જાય છે. બીજી તરફ એ જમીનની ખાસ કોઈની માલીકી પણ નથી હોતી અને હોય તે પણ એ જમીન મેળવવાનું મુશ્કેલ નથી. છતાં દુનીયામાં કેટલા માણસો સોનું કાઢી શકે છે? કરોડની સંખ્યાવાળા માનવસમુદાયમાંથી ગણ્યાગાંઠ્યા મુઠીભર માણસ જ એ કાર્યમાં સફળતા મેળવી શકે છે. કારણ કે એમાં ઘણા મહાન મહાન સાધનોની અપેક્ષા રહે છે, ઘડી ઘડીમાં નવી નવી યુક્તિઓ શોધી શકે એવા ફળદ્રુપ ભેજાની જરૂરત રહે છે; સફળતાને જોઈને ગાંડા ન બની જવાનું અને અફળતાને આસ્વાદ થતા ભગ્નહૃદય નહિ થવાનું મહાન મને બળ જોઈએ છીએ; અવિરત પરિશ્રમ કરવાની અને તાઢતડકા વેઠવાની શરીરશક્તિ જોઈએ છે, અને આ બધાય ઉપરાંત એ કાર્યમાં જરૂરી પડતા પૈસા વેરવાની આર્થિક યોગ્યતા જોઈએ છે. જ્યારે આ બધાય બાહ્ય સાધને આવી મળે ત્યારે જ એ સુવર્ણની પ્રાપ્તિ શકય બને છે. જ્યારે સુવર્ણ જેવી ભૌતિક વસ્તુને મેળવવામાં આટલી બધી ઝહેમત ઉઠાવવી પડે છે તે મનુષ્યપણુંરૂપ મહાન વસ્તુની સિદ્ધિમાં અનેક સામગ્રીઓની જરૂરત પડે એમાં શી નવાઈ? કેટલુંય પુણ્ય સંચિત કર્યું હેય; કેટલીય શુભ પ્રવૃત્તિઓ આદરી હોય અને કેટલુંય તપ કર્યું હોય ત્યારે આ મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, અને આટલાજ માટે એને મુશ્કેલ માનવામાં આવે છે. એ ઇશ્વર શા માટે? બાકી–એ માનવદેહની પ્રાપ્તિ એક તરફથી આટલી બધી મુશ્કેલી ભરી હોવા છતાં એ આપવા લેવાનો અધિકાર, બીજા દર્શનકારોની માફક, જૈનશાસને કોઈ વ્યક્તિ વિશેષને આપી નથી રાખે કે જે મનમાં આવે તેને અને મનમાં આવે ત્યારે આપે અને પાછું પોતાને વિચાર તરંગ ઉઠતાં છીનવી લે! પ્રાણુએ કરેલા કર્મ અને એ કર્મના બદલારૂપે પ્રાણીને મળવાનું ફળ –આ બે વસ્તુઓ (કર્મ અને ફળ) વચ્ચે દલાલીનું કામ કરનાર વ્યક્તિ તરીકે ઇશ્વરને વચમાં પાડવાની મૂર્ખતા જેનશાકરેએ કરી જ નથી. ખરેખર ઈશ્વરને જગતકર્તા તરીકેનું લફરૂં વળગાડીને એ અન્ય દર્શનકારોએ ઈશ્વરને ગળે એક મહાન આફત જ વળગાડી દીધી છે, કે જે આફતને ગભીરપણે વિચાર www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy