SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ–સુધાસિંધુ. (૧૩૦ ) સુધાબિંદુ ૧ લું. વખતે તમારૂ હૃદય તેના પ્રત્યે કેવું લાગણીભર્યુ અને દયાલીનું થવાનું ! ઠીક એજ વસ્તુ આપણી અને એ પૂજ્ય શાસ્ત્રકારેાની વચ્ચે છે. એ પરમ તારકાની પવિત્ર લાગણીઓના આધારેજ આપણે સ'સારસાગર તરવાના માર્ગ મેળવીએ છીએ ! એ લાગણીએ એટલે મધ્ય દરિયાનું વહાણુ, ભૂખ્યાનુ ભાતુ અને મરતાનું અમૃત ! સાચી અને ખાટી દષ્ટિ ! છે, કેટલાક માશુસેાના હૃદયમાં એક પ્રશ્ન ઘણી વખત ઉઠે છે કેએક સમ્યધારી જીવ અને એક મિથ્યાષ્ટિ જીવ-એ અને કવાળા હૈય છે. બન્ને ખાય પીએ છે, સૂવે છે કે બેસે છે. બન્ને જન્મે છે અને મરે છે. અન્નેને કનુ ફળ ભેગવવું પડે છે. તેા પછી સમ્યગદ્રષ્ટિ સારે। અને મિથ્યાષ્ટિ ખાટા એવા સારાસારના ભેદ શા માટે રાખવા ? અલબત બન્ને જીવા કેટલીયે ક્રિયાઓ એકસરખીજ કરે છે એ ખરૂ છે. બન્ને ખાય પીએ અને જન્મે મરે છે. એ પણ સાચું છે. છતાં બન્નેમાં એક મહાન્ ફરક છે, અને તે ફરક કાઈ ખાદ્ય ફરક નથી પણ અંતરની ભાવનાના ફરક છે. મહાનુભાવા ! એકજ સરખી ક્રિયા કરવા છતાં તેનું એકજ સરખુ ફળ નથી આવતું, કારણ કે એ ક્રિયા પાછળનેા હૃદયના નાદ એક સરખા નથી હોતા એ વાત તમે બધા સમો છે. એ માણસાએ એકજ ઝાડ ઉપરથી એકજ સાથે પુષ્પા ચૂટ્યાં. છતાં એનું ફળ બન્નેને જુદું જ મળે છે. એકને જીવા અંધ થાય છે. ખીજો પાપના ભાગી બને છે. કારણ કે એકના પુષ્પ ચૂટવાની ક્રિયા પાછળને આશય પ્રભુપૂજાના હતા જ્યારે બીજાનેા આશય કેવળ સુધીને આનંદ લેવા હતા! આટલા ન્હાના ઉદાહરણ ઉપરથી તમારે સમજવું ઘટે કે એ બન્ને સમ્યગષ્ટિ અને મિથ્યાદષ્ટિ-જીવા કદાચ ઉપરથી એક સરખા દેખાતા હોય છતાં એ લેાકેાના આંતર અહુજ ભિન્ન હોય છે, અને આધ્યાત્મિક દુનિયામાં દરેક પ્રકારના ભેદોના મુખ્ય પાયા અંતરની પ્રેરણા ઉપરજ રાખવામાં આવે છે. એટલે એક સરખી ક્રિયા કરવા છતાં સમ્યગ્દષ્ટિનું અંતર જુદા પ્રકારનું હાય છે અને મિથ્યાદૃષ્ટિનુ જુદા પ્રકારનું ડાય છે. સમ્યગ્દષ્ટિ પ્રાણી, કર્મોને કારણે ફળ ભાગવવા છતાં અને ક્રિયાઓ કરવા છતાં નિરંતર એજ ધ્યાન રાખેછે કે ગમે તેમ કરીને કમની સાંકળના ટૂકડા કરી નાખવા અને પેાતાના આત્માને મુક્ત કરવા. યારે ીજી તરફ મિથ્યાદષ્ટિને મન તે આ સંસારમાં સર્વસ્વના સમાવેશ થાય છે, અને એની વૃદ્ધિનેજ એ પોતાની ઉન્નતિ સમજે છે. મહાનુભાવા ! આત્માની ઉન્નત એ પેાતાની ઉન્નતિ છે અને સંસારની ઉન્નતિ એ પારકાની ઉન્નતિ છે! પેાતાની ઉન્નતિમાં રાચે એ સમ્યગ્દષ્ટિ-સાચી દૃષ્ટિવાળા-ખરા જ્ઞાનવાળા! અને પારકાની ઉન્નતિમાં આનંદ માનીને એને પેાતાની ઉન્નતિ માને એ મિથ્યાદષ્ટિ-ખાટી દ્રષ્ટિવાળાઉલટા જ્ઞાનવાળા, ધગધગતી રેતીમાં ઉઠતી અગ્નિની લહરીઓને પાણીના પ્રવાહ માનનારનું જ્ઞાન તા ખાટુંજ કરે છે. દુનિયામાં બે પ્રકારના નેકરા જોવામાં આવે છે. એકનુ` લક્ષ્ય આ જીવન નાકરી કરીને જીવવાનું હોય છે અને બીજાનું લક્ષ્ય અમુક અનિવાર્ય સમય માટે નાકરી કરીને છેવટે પેાતાના વ્યાપાર ખેડવાનું હોય છે. સમ્યગ્દષ્ટિ જતે દહાડે કર્માંની ગુલામી ફેંકી દેવાનુંજ લક્ષ્ય રાખે છે અને વખત આવે ફૂં કીજ દે છે. અનંત તી કરા, ગધરા અને કેવળીએ આ વાતની સાક્ષીરૂપ છે, અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy