SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ-સુધાસિંધુ. (૧૧૩) સુધાબિંદુ ૧ લું. માણસ અને સંગ? સમજે કે તમે રોજ સામાયિક, પૂજા, પ્રતિક્રમણ આદિ શુભ ક્રિયાઓનું પાલન કરવાને પવિત્ર નિયમ લીધું છે. તમે સવારમાં દુકાને ગયા. પૂજાને વખત થયેઃ અને પૂજા કરવા માટે રવાના થવાની તૈયારી કરે છેઃ એટલામાં એક ગરાક આવ્યું: એની સાથે માથાકુટ કરવામાં પૂજાને સમય વીતી ગયેઃ અને એ માથાકુટના પરિણામે એ ગરાક સાથેને માટે સદે નકકી થયો અને તમને હજાર બે હજારનો દેખીતે ફાયદો થયો ! મહાનુભા, જરા તમારા હૃદય ઉપર હાથ રાખીને જવાબ આપો કે એ વખતે તમારા મનમાં શું થાય છે? એ પૂજા ન કર્યાને શેક તમારા મનમંદિરના એક પણ ખુણામાં નહિ મળવાને; અને ઉલટું એ સાંસારિક અણધાર્યો નફો કરવાના કારણે તમારું હદય આનંદરસથી ભરપૂર થઈ જવાનું ! આનું કારણ શું ? કહો કે તમારા મનમાં હજુ ધર્મનું મહત્વ વસ્યું નથી ! ભલે તમે પિોપટજીના રામરામની માફક મેઢાંની ધર્મ એ સર્વોત્તમ માગે છે, મોક્ષ એજ એક મેળવવા લાયક ચીજ છે વિગેરે સારી સારી વાતે બેલતા હે પણ એ વાતાની પાછળ રહેલે ધર્મને ખરો મર્મ હજુ સુધી તમારામાં વચ્ચે નથી ! નહિ તે તમે સંસારની લીલાના વિલાસમાં રાજી ન થાઓ અને ધર્મ પાલનમાં થયેલી ક્ષતિના કારણે તમને દુખ થયા વગર ન રહે! કેટલાક ભલા માણસે આવા પિતાને કરવા પડતા સાંસારિક કાર્યો માટે સંગોને આડે ધરે છે અને કહે છે કે ભાઈ, અમે શું કરીએ અમારા સંગે એવા હતા કે જેથી અમારે એ પ્રમાણે કરવું પડયું ! ખેર, કદાચ ક્ષણભર માટે એ વાત સાચી માનીએ છતાં એ સંજોગોના લીધે તમારી બાહા પ્રવૃત્તિ ફરે પણ એ સાથે સાથે તમારા અંત:કરણના ભાવે તે જો એ પાકા અને સાચા હોય તે, નજ ફરવા જોઈએ કારણવશ થઈને તમે પૂજાને ટાઈમ જ કરીને હજારની કમાણી કરી એ ઠીક પણ ત્યાર પછી તે તમને એ કમાણી આનંદનું જ ધ્યાન ન આવતાં ધર્મમાં થયેલ વિક્ષેપના કારણે તમારા અંતરમાં દુઃખ પણ થવું જ જોઈએ પણ આ નથી થતું, અને એ તમારા ધર્મપ્રેમની કચાશને પ્રત્યક્ષ પુરા છે. તમારી આબરૂને સવાલ ઉપસ્થિત થાય તે તમે એક પળમાત્રમાંજ લાખને રાખમાં મેળવી ઘો પણ ધર્મના આરાધના માટે તમે જરા પણ આર્થિક કે એવું બીજું સાંસારિક નુકસાન ઉઠાવવા તૈયાર ન હે એ શું બતાવે છે અને વળી સંગોનું જે બહાનું કાઢવામાં આવે છે એ ખરી રીતે સાવ પાયા વગરને બચાવ છે. “માણસ સંયોગેને બનાવે છે, નહિ કે માણસ સંયોગેને ગુલામ છે” આ વાત જે માણસના હૃદયમાં ઉતરી હોય તે ગમે તેવા કપરા સંગ ઉભા થાય છતાં પોતાના કલ્યાણના માર્ગને ત્યાગ નથી કરતે, અને આ પ્રમાણે સંગોને સામનો કરીને પણ ધર્મને વળગી રહે એજ ખરો ધમીં! બાકી જે સંગે ઉપરજ બધે આધાર રાખવામાં આવે તે તે માણસ કંઈજ ન કરી શકે! બ્રહ્મદત્ત ચક્રવર્તી, મહાનુભાવ! એ સંસારની તાજુડીથી ઘર્મનું તેલ ન કર! એ લેઢાના ટુકડા સાથે એ ચક્રની કિંમત ન આંકે! નહિ તે તમે કંઈના બદલે કંઈ લઈ લેશે. ધર્મની ખરી મહત્તા આ ભયંકર ભવભ્રમણ અટકાવવામાં છે. આત્માના છુપાયેલા ગુણેને પ્રગટ કરવા કર્મની નિર્જરા કરવી, મોક્ષની પ્રાપ્તિ કરવી; આમાંજ ધર્મની સફળતા છે, અને આની પ્રાપ્તિ જેટલા અંશે વધુ થાય એટલા અંશે સમજવું કે તમને ધર્મને ૨માં વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy