SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ખાનદ-સુધાસિંધુ. ( ૧૧ ) સુધાબિંદુ ૧ લું. સાધુઓના લેામ તરીકે વર્ણવે છે. સયમને શાસનની વસ્તુ ન માનતાં સાધુની વસ્તુ માને છે. દીક્ષાની ક્રિયાને શિષ્યલાભનું અપવિત્ર નામ આપે છે, પણ આ વાત સાચી નથી ! મહાનુભાવ એ ખૂબ યાદ રાખજો કે એ સંયમની વૃદ્ધિમાંજ શાસનની વૃદ્ધિ છે. મૈથુન અને અપવાદ. મહાનુભાવા શાસ્ત્રકાર મહુારાજે હુિંસા, અસત્ય, ચારી અને અરિગ્રહુ એ બધાયમાં સ્યાદ્વાદ બતાવીને દરેકમાં અપવાદિક વિધાન કર્યું છે પણ મૈથુનની બાબતમાં એમ કેમ નહિ કર્યું હોય? એ જરા સમજવા જેવું છે. પહેલી તેા વાત એ કે જે વસ્તુ માટે અપવાદિક વિધાન કર્યુ હાય અને એ અપવદનું સેવન કરવામાં આવે તે તે માટે કાઇપણ પ્રકારનું પ્રાયશ્ચિત કરવાનું નથી હાતું અને જે માટે કાઇપશુ પ્રકારને અપવાદ રાખવામાં આવ્યેા ન હોય અને છતાંય એના પાલનમાં અપવાદ લાગે તે તે અપવાદ માટે પ્રાયશ્ચિત કરવુ પડે છે! કારઝુકે તે અપવાદનું સેવન શાસ્રની આજ્ઞા બહારનું છે. હિંસાદિક ચાર અને મૈથુનમાં પણ આ વસ્તુ છે. પહેલા ચાર માટે પ્રાયશ્ચિત નથી. જ્યારે મૈથુનમાં તે જરા પણ અપવાદ જણાય કે તરત પ્રાયશ્ચિત કરવાનું કહ્યું છે ! વળી ખહુજ બારીક દ્રષ્ટિએ તપાસીએ તા એ મૈથુનના સેવનમાં માણુસના આત્માનું બહુજ પતન થાય છે અને વળી વધુ બારીકીથી તપાસીએ તે એના સેવન કરવામાં બીજા બધાય પાપાનું સેવન કરવાના પ્રસ’ગ ઉપસ્થિત થાય છે. વળી સંસારમાં એવું એકેય કાર્ય બુદ્ધિશાળી માણસના જોવામાં નથી આવતું કે જે કા` મૈથુનનું સેવન ન કરવામાં આવે તે નાશ પામતું હાય ! જયારે અમુક સ`યાગમાં હિંસાદિક ચારનું અપવાર્દિક દૃષ્ટિએ પાલન કરવામાં ન આવે તે અમુક નુકસાન અવશ્ય થાય છે. અને એ નુકસાનથી બચવા માટે એને ઈચ્છા વગર પણુ સેવવા પડે છે. જ્યારે મૈથુન સેવવાનું કાય એવું કદી પણ નથી કે જેનુ સથા સેવન કરવામાં ન આવે છતાં કાઈપણ પ્રાણીને નુકસાન થાય. ઉલટુ' મૈથુન સેવન કરવાથીજ પેાતાનુ અને પારકાનું પતન થાય છે સ` નાશ થાય છે, અને આટલા માટેજ શાસકારાએ એમાં કોઇપણ પ્રકારની ખારી રાખી નથી. જે મા`થી પેાતાનું કે પારકાનું લેશમાત્ર પણ ભલું ન થતુ હોય અને ઉદ્યડુ અને પાપના ખાડામાં પડતા હોય ત્યાં શાસ્ત્રકાર અપવાદ શી રીતે માને? અને મૈથુનમાં આજ વસ્તુ રહેલી છે. સુદન બનો. પણ મહાનુભાવા! જેમાં જરા સરખે પણ અપવિદ રાખવાનું શાસ્ત્રકાર મહારાજે ચેાગ્ય નથી ગણ્યુ એ મૈથુન જેટલુ ભયકર છે એટલુંજ એનુ પાલન-બ્રહ્મચર્ય આત્માના ઉદ્ધાર કરવામાં બળવાન છે ખીજા ક્રાઇ નિયમામાં જે શકિત નથી તે આ એકજ ગુણુમાં રહેલી છે. મહાનુભાવા ! એ સુદન શેઠની શૂળીનું સિંહાસન બનવાની પુણ્યઘટના આજે તમને યાદ આપવાની જરૂર નથી. તમે બધા એ જાણેા છે.! એ એકજ ઉદાહરણુ એ બ્રહ્મચર્યનું મહાત્મ્ય બતાવવા ખસ છે. તમે એ બ્રહ્મચર્ય નું રહસ્ય સમજો, તમારા સતાનાને સમજાવે, અને એ પવિત્ર નિયમ તમારા આચરણુમાં ઉતારી તમે પણ સુદČન અને ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034469
Book TitleAnand Sudha Sindhu
Original Sutra AuthorN/A
AuthorSagaranandsuri
PublisherNaginbhai Manchubhai Jain Sahityoddhar Fund
Publication Year1938
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy