SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ધમાધમી તેફાન કરાવવાને ઉપદેશ આપે છે. આ દશાને ઉપદેશ એજ જૈન કેમની પરવારતી દશા છે. કેઈ નવીન વિચારકે આપના જે અધર્મ વિચાર કર્યો કે બતાવ્યો જાણ્યો નથી. આપના ઉપદેશ પ્રમાણે તે જૈન કેમમાં લોહીની નદી ચાલે અને અંતે પરસ્પર લડી વેરઝેર વધારી સર્વ નાશ સમીપ પહોંચી જવાય. આપના ભાષણમાં બે સ્થાનકે ક્રિયાની વૃદ્ધિ કરવાની પિષણ છે. આપ ક્રિયા કરવાનું કહો છો તે સાથે અમારે વિરોધ નથી. પણ તેમાં પણું આપ ક્રીયા સમજીને કરો એમ કહેતા નથી તમારે તે વર્ષો સુધી ક્રિયા કરનાર તેને અર્થ પણ સમજે નહી અને વ્યાખ્યાનમાં બેસી તમને ‘હા’ કરે એ વર્ગને જ અપનાવવો છે. ધર્મની કેળવણી લે તે પણ તમને ગમતું હોય એવું આપના ભાષણમાં નથી. તેથી આપનું માનસ અત્યારે કઈ દશાએ વતે છે તે ચોક્કસ સમજાય છે. જેન કેમની નજરે જોતાં એમાં અધ:પતન છે, આપને ઉપદેશ ભયંકર છે. કુવામાં પાડનાર છે, જેન કેમનું નિકંદન કરનાર છે એમાં અજ્ઞાનનું પોષણ છે, એમાં સમર્થ દીર્ઘદ્રષ્ટિની ખ્યાતી તરફ શ્રેષ છે, એમાં કેમની આગળ વધતી સંસ્થાઓ તરફ અંતરની અરૂચી છે, એમાં શ્રદ્ધાળુ વર્ગને હાજી કરવાને ઉપદેશ છે, એમાં હિંસક વૃતિની પોષણ એમ પાછા છાપાં ભરવાની વાતો છે, એમાં અંધકિયાવાદની પોષણ છે, એમાં જ્ઞાનવાદનું નીકંદન છે. એ ઉપદેશ દ્વારા ચાલુ રહે તે કેમને ભયંકર પાત થાય, પાંચમા આરાને છેડે પહોંચી જવા જેવી સ્થિતિ થાય. તમને લેકે સાચા સ્વરૂપે સમજે તે માટે જ આ પ્રયાસ છે. તમે સત્ય વિચાર રજુ કરી શકે તે તમારૂં અત્યારનું માનસ જોતાં અસંભવીત છે. તમારે અજ્ઞાનની અંધશ્રદ્ધાપર નાચવું છે. તમારે ચારિત્રની મહત્તા કરતાં સ્વમહત્તા વધારવી છે, તમે ભગવાનના મતમાં ચારિત્રનું સ્થાન શું છે અને એકલું જ્ઞાન કેવું ભયંકર છે તે કદી સમજાવી શકે તેવી સ્થિતિમાં નથી. હજુ સમજે, તમે ચારિત્રને ચારિત્ર ઉપર ભાર મુકે, અંધતા દુર કરવા કટીબદ્ધ થાઓ, ન કરી શકે તે કરે તેને અડચણ ન કરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034465
Book TitleAastikonu Karttavya
Original Sutra AuthorN/A
AuthorMotichand Girdharlal Kapadia
PublisherJain Yuvak Sangh
Publication Year
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy