SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ મમમ સાંપ્રત સમસ્યાનું ધર્મમાં સમાધાન . ન ક સમસ્યાઓ, ઉપસર્ગો વગેરે કેવા કેવા પ્રકારના હોય છે તેનો થોડોક ખ્યાલ આ સ્તોત્રમાં આવતા શબ્દોના આધારે આવે છે. વિનર વિન એટલે વિષધર એવા સાપનું ઝેર. મચ્છર, કૂતરું, વીંછી, સાપ વગેરે ક્યારે ક્યારેક માણસોને કરડે છે. મચ્છર કરડવાથી મેલેરિયા, ડેંગ્યુ જેવા તાવ આવવાની શક્યતા રહે છે. કૂતરું કરડે તો હડકવા થવાની આશંકા રહે છે, જેના માટે ઇંજેક્શનો લેવા પડે છે. વીંછી કરડે તો તેનું ઝેર ચઢી શકે છે. ઝેરી સાપ કરડે અને તેનું ઝેર જો સમગ્ર શરીરમાં વ્યાપી જાય તો મૃત્યુ પણ થઈ શકે છે. આ બધી પ્રાણીઓ દ્વારા આવી પડતી આપત્તીઓ છે. આ સ્તોત્ર દ્વારા ભગવાન પાર્શ્વનાથનું સ્મરણ કરવામાં આવે તો સાપના ઝેરનો પણ નાશ (નિમ્નાસં) થઈ શકે છે. રાહ-રોળ-મારીના આ બધા શબ્દો જીવનમાં આવતા જુદા જુદા અવરોધો દર્શાવે છે. પદ એટલે ગ્રહદશા. મંગળ, શનિ, ગુરુ વગેરે નવ ગ્રહોમાંથી વ્યક્તિ ઉપર અમુક સમયે અમુક ગ્રહોનો પ્રભાવ હોય ત્યારે જીવનમાં પ્રતિકૂળતાનું પ્રમાણ વધી જાય છે. 'રોન” એટલે કફ-પિત્ત-વાયુ વગેરે દૂષિત થતાં, ઉત્પન્ન થતી દુખાવા, તાવ જેવી શારીરિક બીમીરીઓ. ‘મી’ એટલે પ્લેગ, મરકી, ચિકનગુનિયા, સ્વાઈનફ્લ્યુ જેવી એકસાથે વ્યાપકપણે ફેલાતી મહામારી કે બીમારીઓ. ‘દુદ્ઘ’ એટલે દુષ્ટ, અનિષ્ટ, અશુભ, ખરાબ ઉપદ્રવો. ‘નરા’ અટેલે વૃદ્ધત્વ કે જેને કારણે નાની-મોટી તકલીફ રહ્યા કરે. આવી જાતજાતની પીડાઓનું શમન આ સ્તોત્રની અસરથી થઈ શકે છે. “નંતિ વસામર્’ એટલે તે ઉપશ પામે છે. કોઈ પીડા થઈ હોય, રોગ થયો હોય, માનસિક આધાત લાગ્યો હોય તે ધીમે ધીમે મટે તે માટે આયુર્વેદમાં 'શમન' પામે છે, તેનું ‘ઉપશમન” થાય છે તેમ કહેવાય છે. કોઈ પણ આફત આવે ત્યારે તેનું શમન ધીમી ગતિએ થાય છે. - ‘દુ:લ-ટોળન્દ્રમ’ એટલે દુઃખ અને દુર્ગતિ. આપણા વર્તમાન જીવનમાં એક યા બીજા પ્રકારનાં દુઃખો કે પ્રતિકૂળતાઓ આવે છે તે કોઈને પણ ગમતા નથી. તે જ રીતે આપણું આ વર્તમાન જીવન પૂરું થાય પછી નવા જન્મમાં દુર્ગતિ થાય અને નીચલી યોનિમાં જન્મ મળે તેવું પણ કોઈ ઇચ્છતું નથી. આ સ્તોત્રનું સ્મરણ કરવાથી ....‘નરતિષ્ણુિ વિ નીવા' એટલે કે મનુષ્ય અને તિર્યંચ ગતિના જીવો કે * ૯૮
SR No.034453
Book TitleSamprat Samasyanu Dharmma Samadhan
Original Sutra AuthorN/A
AuthorGunvant Barvalia
PublisherAshok Prakashan Mandir
Publication Year2019
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy