SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ખીલેલાં પુષ્પની સુવાસ જાણીતાં થિયૉસૉફિસ્ટ હેલેના પેત્રોવના લૅવેસ્કીએ થિયોસૉફિકલ સોસાયટીની સ્થાપના કરી અને ભારતમાં ફરીને એમણે એમનું જીવનકાર્ય આગળ ધપાવ્યું. મૅડમ બ્લવેચ્છીએ અનેક દેશોનો પ્રવાસ કર્યો. તેઓ મુસાફરી સમયે પોતાની સાથે એક થેલો રાખતાં હતાં અને તેમાં જુદા જુદા પ્રકારનાં પુષ્પોના છોડનાં બીજ રાખતાં હતાં અને જ્યાં જાય ત્યાં ખાડો ખોદીને એ બીજ વાવતાં હતાં અને સ્થાનિક વ્યક્તિને એની સંભાળ લેવાનું સોંપતાં હતાં. લૅવેસ્કીની આ આદત કેટલાક લોકોને અત્યંત વિચિત્ર લાગતી હતી. તેઓ વિચારતા હતા કે આમ ફૂલોનાં બી વાવવાનો અર્થ શો ? એક દિવસ એક વ્યક્તિએ એમને પૂછવું, ‘મૅડમ, આપને ખોટું ન લાગે તો મને એ કહો કે તમે પ્રવાસમાં જ્યાં જાવ છો, ત્યાં આવી રીતે પુષ્પોનાં બીજ જમીનમાં કેમ નાખો છો ?” મૅડમ બ્લેવસ્કીએ કહ્યું, “બસ, આ બીજ અંકુરિત થાય અને ઠેરઠેર રંગબેરંગી પુષ્પો ખીલે, એ જ મારી ભાવના છે.' ‘આપની વાત તો સાચી, પણ શું તમે ફરી વાર અહીં આવવાનાં છો ખરાં? તમારી નજરે એ બીજમાંથી ખીલેલાં પુષ્પો તમે જોઈ શકવાનાં છો ખરાં? તમે બીજી વાર તો અહીં આવવાનાં નથી, પછી આવું કરો છો શા માટે?” મૅડમ બ્લેવેચ્છી જવાબ આપતાં : “આ રસ્તા પરથી હું પુનઃ પસાર થઈશ કે નહીં, એની ચિંતા કરતી નથી, કારણ કે મેં મારે માટે જ પુષ્પો ખીલે એવી ઇચ્છા રાખી નથી. AO.G, હું તો બી રોપું છું કે જેથી ચોતરફ પુષ્પો ઊગે અને આપણી આ ધરતી પુષ્પોનો કમનીય શૃંગાર સજે. વળી જે આ ફૂલોને જોશે, એમની આંખે આ બધું હું પણ જોઈશ જ ને ! સુંદર પુષ્પ હોય કે ઉમદા વિચાર હોય, એને ફેલાવવાના કામમાં દરેક વ્યક્તિએ યોગદાન આપવું મંત્ર માનવતાનો જોઈએ અને તે પણ પોતાને મળનારા લાભની લેશમાત્ર ચિંતા કર્યા વગર.” 42
SR No.034428
Book TitleMantra Manavtano
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherGurjar Sahitya Prakashan
Publication Year2017
Total Pages157
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy